SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંઠ यः पतञ्जलिशिष्येभ्यो भ्रष्टो व्याकरणागमः । कालेन दाक्षिणात्येषु ग्रन्थमात्र व्यवस्थितः ॥४८५।। (ત્યારે) પતંજલિના શિષ્યો વડે કષ્ટ થયેલ તે વ્યાકરણઆગમ સમય જતાં દક્ષિણ (ભારત)ના પ્રદેશમાં માત્ર ગ્રન્થરૂપે રહ્યો. (૪૮૫) पर्वतादागम लब्ध्वा भाष्यबीजानुसारिभिः । स नीतो बहुशाखत्वं चन्द्राचार्यादिभिः पुनः ॥४८६।। પર્વત પાસેથી આગમને મેળવીને, ભાષ્યનાં સિદ્ધાન્તવચનને અનુસરનારા ચન્દ્રાચાર્ય વગેરેએ તેને અનેક શાખાઓમાં વિસ્તાર્યો. (૪૮૬) વટાત્રિકૂટ પર્વતના એક ભાગ એવા ત્રિલિંગમાંથી. અહીં આ પ્રચલિત પાઠ શંકા પ્રેરે છે. આવા પાર્વતીય પ્રદેશમાં વ્યાકરણગમ પ્રચલિત હતો અને ત્યાંથી ચન્દ્રા ચાય વગેરેએ એનો સમુદાર અને વિસ્તાર કર્યો એ અર્થ જાણીતો છે. વર્વત પર્વતને બદલે કઈક વિદ્વાનવિશેષનું નામ હોવાનો સંભવ છે. આ ઉપરાંત પ્રસ્થમાત્ર વ્યવસ્થિતઃ એવા વિધાન સાથે અને વિરોધ આવે છે. ત્રિકૂટને મધ્યપ્રદેશમાં જબલપુર પાસેના એક પર્વત તરીકે સમજવામાં આવે છે (U. P. Shah : J.A.O.s. 96 (1976): 109–113). ચન્દ્રાચાર્યની કૃતિ વાદ્રપૂત્રમ્ પાણિનિના ટાધ્યાયી પછી, મહત્ત્વનો ગ્રંથ છે. મદામાણ માં પ્રાપ્ત થતાં વાર્તિકે અને મદ્દામાલ્યની મદદ લઈને ચન્દ્રાચાર્યે "લઘુ, વિસ્પષ્ટ અને સંપૂર્ણ વ્યાકરણ સૂત્રશૈલીમાં રચ્યું. સૂત્રે ઉપર વૃત્તિ તેમની રચના નથી. આ ગ્રંથમાં છ અધ્યાય પ્રાપ્ત થાય છે. ચંદ્રવૃત્તિ માંના કેટલાક નિર્દેશ ઉપરથી તેના આઠ અધ્યાયો હોવાનો સંભવ છે. વિવિઝન અને વિપ્લાવિત મામાબૂના પુનરુદ્ધારમાં ચન્દ્રાચાર્યના મુખ્ય કાળા હતો. ચન્દ્રાચાર્ય ઈસવીસનના ચોથા સૈકામાં થયા એવો લગભગ ચંમત અભિપ્રાય છે. न्यायप्रस्थानमार्गास्तानभ्यस्य स्वं च दर्शनम् । प्रणीतो गुरुणास्माकमयमागमसंग्रहः ॥४८७॥ શાસ્ત્રીય સિદ્ધાન્તના તે તે જુદા જુદા પ્રવાહોને અને પોતાના (વ્યાકરણ)દશનનો અભ્યાસ કરીને અમારા ગુરુએ આ આગમ સંગ્રહ ર. (૪૮૭). वर्त्मनामत्र केषाञ्चिद्वस्तुमात्रमुदाहृतम् । काण्डे तृतीये न्यक्षेण भविष्यति विचारणा ॥४८८॥ અહીં (આ બે કાંડમાં કેટલાક સિદ્ધાન્તના માત્ર મૂળરૂપને રજૂ કરવામાં આવ્યું છે. ત્રીજા કાંડમાં સૂક્ષ્મતાથી વિચારણા થશે. (૪૮૮) ચળ નો અર્થ પુણ્યરાજ “વિશિષ્ટ આદર સાથે,” અર્થાત “પિતાના અને અન્યના સિદ્ધાન્તોની ગ્યતા અંગે નિર્ણયપૂર્વક” એવો કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy