________________
બીજુ કાંડ
૧૮૧ (માત્ર માનસિક) બોધ રૂપે નિયત બનતી (શબ્દોની અર્થ) શક્તિઓ (વાયાર્થમાં) ચક્કસ રૂપમાં પ્રાપ્ત થતી નથી. તે(વાક્યાથથી બીજે તેમનું રૂપ પ્રાપ્ત થતું નથી. (૪૪૬)
बहुष्वपि तिङन्तेषु साकाङ्क्षेष्वेकवाक्यता ।
तिङा तिझ्यो निघातस्य पर्युदासस्तथार्थवान् ॥४४७॥ એકબીજા માટે આકાંક્ષાવાળાં અનેક ક્રિયાપદ હોવા છતાં તેમના વડે) એક વાક્ય (જ) બને છે. આ રીતે બીજા ક્રિયાપદે પછી આવતા ક્રિયાપદ વડે નિઘાતને નિષેધ અર્થવાન થશે. (૪૪૭)
તિતિ: (૧. સ. ૮.૧.૨૮) જણાવે છે કે જે ક્રિયાપદની પહેલાં ક્રિયાપદ ન હોય તેવો શબ્દ હોય તો તે ક્રિયાપદને અનુદાત્ત પ્રાપ્ત થાય છે. આ ઉપરથી એમ કહી શકાય કે અન્ય ક્રિયાપદ પહેલાં આવ્યાં હોય તો નિઘાત અર્થાત્ અનુદાત્તનો પથુદાસ અર્થાત નિષેધ થશે. વાર્તિકકારના મતે મરચાતું લાગ્યયાવિશેષાં વાંચમ (ક.મા. ૨.૧.૧. વા.)માં એકવચનનો પ્રયોગ હોવાથી અનેક આખ્યાતો હોય તો અનેક વાક્યો થાય. સૂત્રકારને મતે અનેક ક્રિયાપદો હોવા છતાં વાક્યભેદ થશે નહિ.
एकतिङ् यस्य वाक्यं तु शास्त्रे नियतलक्षणम् ।
तस्यातिङग्रहणेनार्थो वाक्यभेदान्न विद्यते ॥४४८॥ જેમના મતમાં વ્યાકરણશાસ્ત્રમાં “એક ક્રિયાપદવાળું વચન વાકય છે” એવું (વાક્યનું) નિશ્ચિત લક્ષણ માનવામાં આવ્યું છે તેમને માટે, જુદાં જુદાં વા હોવાને કારણે(“તિર, તિરઃ . ટૂ. ૮.૨.૨૮ એવા સૂત્રમાં) ૩તિ (યિાશબ્દ નથી તેવું પદ) એ શબ્દ મૂકવાનું કશું પ્રજન નથી. (૪૪૮)
तिडन्तान्तरयुक्तेषु युक्तयुक्तेषु वा पुनः ।
मृगः पश्यत यातीति भेदाभेदौ न तिष्ठतः ॥४४९॥ જુઓ, હરણું જાય છે' એવા વાકયમાં જ્યાં જાય છે એવું (મુખ્ય) ક્રિયાપદ બીજા ક્રિયાપદ સાથે જોડાયેલું હોય અથવા તે (અન્ય) ક્રિયાપદ સાથે સંબદ્ધ શબ્દ સાથે જોડાયેલું હોય ત્યાં વાક જુદાં જુદાં છે કે એક જ છે એવી સ્થિતિ પ્રાપ્ત થતી નથી. (૪૪૯) - હરણ જાય છે એવું એક વાક્ય છે, અને “જતું હરણ જુઓ એવું બીજું વાક્ય થશે. બીજી રીતે વિચારીએ તે “જુએ હરણું જાય છે. એવા વાકયમાં “હરણું જાય છે? એવો પદસમૂહ જુઓનું કર્મ થશે. અહીં એક વાક્ય થયું. આમ પહેલા પ્રકારમાં વાક્યભેદ અને બીજામાં વાકાભેદ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org