________________
બીજુ કાંડ
सदित्येतत्तु यद्वाक्यं तदभूदस्ति नेति वा ।
क्रियाभिधानसंबन्धमन्तरेण न गम्यते ॥४२९।। સંત (અસ્તિત્વ) એવું (એક શબ્દરૂ૫) વાકય, “તે હતું, “તે નથી, અથવા તે છે એવા ક્રિયાપદના ઉલેખ સાથેના સંબંધ વિના સમજાતું નથી. (૪૨૯)
आख्यातपदवाच्येऽथे साधनोपनिबन्धने ।
विना सत्त्वाभिधानेन नाकाक्षा विनिवर्तते ॥४३०॥ કારક રૂપી નિમિત્તવાળા ક્રિયાપદવડે વાચ્ય બનતા અર્થની આકાંક્ષા સાધનરૂપ દ્રવ્યના અભિધાન વિના નિવૃત્ત થતી નથી. (૪૩૦)
प्राधान्यात्तु क्रिया पूर्वमर्थस्य प्रविभज्यते ।
साध्यप्रयुक्तान्यङ्गानि फलं तस्य प्रयोजकम् ।।४३१॥ ક્રિયા(રૂપ અંશ), તેના પ્રાધાન્યને કારણે, (વાયના) અર્થમાંથી જુદો સમજવામાં આવે છે. (સાધન) સાધ્ય ક્રિયા)ની નિષ્પત્તિ માટે પ્રયુક્ત હોઈ ગૌણ છે. ફળ તેનું પ્રયોજક છે. (૪૩૧)
સાધનો ક્રિયાની નિષ્પત્તિ માટે પ્રયોજાતાં હેવાથી, પ્રધાનભૂત એની ક્રિયાના સન્દર્ભમાં ગૌણ છે. ક્રિયાના સંદર્ભમાં તેના ફળનું શાબ્દિક અપ્રાધાન્ય હોવા છતાં, ફળની નિષ્પત્તિ ક્રિયાની પ્રયોજક હેવાથી ફળનું પ્રધાન્ય છે (ઝક્યુil fપાડવતિ જાણવા વિયાય ૩૪ વોશ્ચમ-પુણ્યરાજ)
प्रयोक्तैवाभिसन्धत्ते साध्यसापनरूपताम् ।
अर्थस्य चाभिसंबम्धकल्पनां प्रसमीहते ।।४३२।। માત્ર (વાક્યન) પ્રકતા જ સાધ્ય અને સાધનની કલ્પના કરે છે, અને (સાધ્ય અને સાધનરૂ૫) અથના સંબંધની કલ્પનાને ઈચ્છે છે. (૪૩૨)
આ સાધ્ય', “આ સાધન', આવો તેમની વચ્ચેના સંબંધ', આ બધું કાલ્પનિક છે એ પ્રક્તાની બુદ્ધિમાંથી પ્રાપ્ત થાય છે.
पचिक्रियां करोमीति कर्मत्वेनाभिधीयते ।
पक्तिः करणरूप तु साध्यत्वेन प्रतीयते ॥४३३॥ હું રાંધવાની ક્રિયા કરું છું એવા વાક્યમાં રાંધવાની ક્રિયાને કમ તરીકે ઉલ્લેખવામાં આવે છે. ક્રિયાના કરણરૂપે જણાવાતું રાંધવાનું કાર્ય સાયરૂપે સમજાય છે. (૪૩૩)
પાકક્રિયાને પ્રોક્તાની ઈચ્છા પ્રમાણે ક્રિયા અથવા કારકરૂપે સમજી શકાય. “તે પાક્રિયા કરે છે' એવા વાકયમાં “પાકક્રિયા’ કેમ છે અને કરે છે એવા ક્રિયાપદવડે (પાક) ક્રિયાને ઉલ્લેખ છે. કર્મ સિદ્ધ છે અને ક્રિયા સાધ્ય છે.
વો- ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org