________________
૧૭૫
બીજુ કાંડ
સાધનનો આધાર એવી ક્રિયાને સાધન સાથેનો એક્કસ નિયમ હમેશાં પ્રવર્તતો નથી. “ન નાં.... લાકડી વડે ગાયને...” એવા આધાર વિનાની અને માત્ર સાધનના ઉલ્લેખવાળી ઉક્તિમાં, “ચારવા લઈ જા”, “ડરાવ”, “મા”, એવા ઘણું આધારે પ્રાપ્ત થાય છે. જ્યાં સાધનને પ્રયોગ ન હોય ત્યાં સાધ્યપદ સાથેના તેના સામર્થ્યને લીધે તે સાધ્યનું અસ્તિત્વ સમજાશે. આવી સ્થિતિમાં સાધનનો સ્પષ્ટ ઉલ્લેખ, અન્ય આધારની નિવૃત્તિ માટે થશે.
क्रिया क्रियान्तराद्धिन्ना नियताधारसाधना ।
प्रकान्ता प्रतिपतॄणां भेदाः सम्बोधहेतवः ॥४१८॥ અન્ય ક્રિયાઓથી જુદી અને નિયત આધારરૂપ (કર્તા, કમ વગેરે) સાધન વાળી ક્રિયા અહીં આરંભમાં જ (વાક્યાથરૂપે સમજવામાં આવી છે. પદોરૂપી ભેદો (તે શ્રોતાઓના) બોધ માટે (ઉપાયરૂપ) છે. (૪૧૮)
अविभाग तु शब्देभ्यः क्रमवदूभयोऽपदक्रमम् ।
प्रकाशते तदन्येषां वाक्य वाक्यार्थ एव च ॥४१९।। બીજાઓને મતે ક્રમવાન (વોં કે પદો) વડે પ્રાપ્ત થતું, (વણે અને પદોન ક્રમ વિનાનું અને વિભાગ વિનાનું વાકય અને (તે) વાક્યર્થ વ્યક્ત થાય છે. (૪૧૯
स्वरूप विद्यते यस्य तस्यात्मा न निरूप्यते ।
नास्ति यस्य स्वरूप तु तस्यैवात्मा निरूप्यते ॥४२०॥ વાકયાર્થથી જુદા રૂપવાળા (પદ)ના તત્ત્વનું નિરૂપણ કરવામાં આવતું નથી. જેને (વર્ણ, પદ અને તેમના ક્રમને દર્શાવતું) રૂપ નથી તેવા (વાકય)ના આત્મા (eતત્ત્વ)ને નિરૂપવામાં આવે છે. (૪૨૦)
રામપરેડ નિર્ધાર વિદુઃા.
अर्थावभासरूपा हि शब्देभ्यो जायते स्मृतिः ॥४२१॥ બીજા (વિદ્વાન) જણાવે છે કે (વાયના) અથના સ્વરૂપને નિશ્ચય શબ્દોથી થતા નથી, કારણ કે શબ્દમાંથી તે અથને આભાસ આપતું (માત્ર) મરણ ઉત્પન્ન થાય છે. (૪૨૧).
अन्यथैवाग्निसम्बन्धाद्दाह दग्धोऽभिमन्यते ।
अन्यथा दाहशब्देन दाहाथः संप्रतीयते ॥४२२॥ દાઝેલ વ્યક્તિ, અગ્નિ સાથેના તેના સંબંધને કારણે, દાહને (અમુક) એક રીતે સમજે છે, પરંતુ દાહ એવા શબ્દ વડે જુદી જ રીતે દાઝવુ” એ અર્થ જણાવાય છે. (૨૨)
અગ્નિથી દાઝનારો માણસ દાહને, ફોલેલા ઊઠવા, ચામડી બળી જવી એમ અમુક રીતે, વ્યક્તિગત દુ:ખકારક અનુભવ તરીકે સમજે છેપરંતુ દાહ એવો ઉચ્ચરિત શબ્દ સાંભળનાર વ્યક્તિ એના અર્થને જુદી જુદી રીતે સમજે છે; અહીં ભતૃહરિ જણાવવા માગે છે કે શબ્દાર્થજ્ઞાન સત્ય નથી, પરંતુ વાક્યાથજ્ઞાન જ સત્ય છે, કારણ કે શબ્દના અથથી વસ્તુભૂત બાહ્ય અથની પ્રતીતિ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org