________________
૧૭૨
વાકયપુરીય
विनियोगाहते शब्दो न स्वार्थस्य प्रकाशकः ।
अर्थाभिधानसंबन्धमुक्तिद्वार प्रचक्षते ॥४०३।। (નિયત અર્થમાં) વિનિયોગ વિના અનેકાર્થી શબ્દ તેના (ચક્કસ) અને બંધ કરાવતો નથી. તેથી (શબ્દના) અર્થનું પ્રતિપાદન કરનારા (ચોગ્યતા રૂ૫) સંબંધને ઉક્તિનું દ્વાર કહે છે. (૪૦૩)
આ કારિકાના સંદર્ભમાં અંબાર્બી નીચે પ્રમાણે વિચારો દર્શાવે છે. શબ્દાર્થ સંબંધ રૂપ વ્યાપારને અભિધા કહેવામાં આવે છે. આ અભિધાને પ્રતિભાથી જુદી અથવા અભિન્ન સમજી શકાય. ઉક્તિ અર્થાત વિનિયોગ વડે પ્રાપ્ત થતી પ્રતિભા વાગ્ધર્મ છે. અનુસંધાન અને અભિસંધાન વડે જણાવાતી તેને મનધર્મ કહે છે અને પ્રણિધાન વડે જણાવાય ત્યારે તેને પશધર્મ કહે છે. અહીં પ્રતિભા એટલે અનેકાર્થક શબ્દના એક અર્થના નિશ્ચય કરાવતે વાધર્મ સમજવો. પુણ્યરાજને મતે ઉક્તિ અને વિનિયોગ એક જ છે. સમગ્ર રીતે વિચારતાં અભિધા, પ્રતિભા, ઉક્તિ અને વિનિયોગ સમાનાર્થક જણાય છે.
यथा प्रणिहित चक्षुर्दर्शनायोपकल्पते ।
तथाऽभिसंहितः- शब्दो भवत्यर्थस्य वाचकः ॥४०४।। જેમ (પદાર્થ) તરફ મોકલેલ નેત્ર જેવાને માટે સમર્થ બને છે તેમ તે તે અર્થ સાથે સંધાન પામેલ શબ્દ અર્થને વાચક બને છે. (૪૦૪)
क्रियाव्यवेतः सम्बन्धो दृष्टः करणकर्मणोः ।
अभिधानियमस्तस्मादभिधानाभिधेययोः ॥४०५॥ કરણ અને કમને સંબંધ ક્રિયા મારફત જણાય છે. તેથી (શબ્દ અને અર્થ વચ્ચેના) અભિધાન અને અભિધેય રૂપ સંબંધનું અભિધા વડે નિયમન થાય છે. (૪૫)
કરણ અને કર્મની ક૯૫ના ક્રિયા વિના થઈ શકતી નથી. ક્રિયા જ ફલવતી છે, બીજા કશાની ફેલવત્તા નથી. બાજરીયામાંથી દાણુ છૂટા પાડવાની ક્રિયામાં દાણુ છુટા પાડવા માટેના ધોકા કરણ છે અને દાણું કર્મ છે. ધોકા વડે છુટા પાડવાના કાર્યને ક્રિયા કહે છે.
बहुष्वेकाभिधानेषु सर्वेष्वेकार्थकारिषु ।
यत्प्रयोक्ताभिसन्धत्ते शब्दस्तत्रावतिष्ठते ॥४०६॥ એક શબ્દથી જ્યારે અનેક અર્થો દર્શાવાતા હોય અને અનેક શબ્દ જ્યારે એક અર્થ” દર્શાવતા હોય ત્યારે પ્રતા જેને નિર્દેશ કરે (તે અર્થમાં) શબ્દ પ્રાપ્ત થાય છે. (૪૦૬)
आम्नायशब्दानभ्यासे केचिदाहुरनर्थकान् ।
स्वरुपमात्रवृत्तींश्च परेषां प्रतिपादने ॥४०७॥ કેટલાક વિદ્વાને) વાદક શબ્દને, તેમના અભ્યાસ વખતે અર્થ વિનાના સમજે છે. બીજાઓને શીખવતી વખતે તેમના માત્ર સ્વરૂપનું જ પ્રતિપાદન થાય છે. (૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org