SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વાક્યપદીય साधारणत्वास्सन्दिग्धाः सामर्थ्यान्नियताश्रयाः । तेषां ये साधवस्तेषु शास्त्रे लोपादि शिष्यते ॥३६२॥ સ્વરૂપ સમાન હોવાને લીધે સંદિગ્ધ અર્થવાળા, પરંતુ સામર્થ્યને કારણે નિયત અર્થના વાચક તે શબ્દોમાંના જે શુદ્ધ શબ્દો છે તેમને માટે શાસ્ત્રમાં લેપ વગેરેનું વિધાન થયું છે. (૩૬૨). અનુનિષ્પાદી એટલે ઉત્તરત્ર નિષ્પન્ન થતા શબ્દો જેવા કે દેવ, દત્ત, વગેરે, સમાન રૂપવાળા હોવાને કારણે સંદિગ્ધ અર્થવાળા પ્રાપ્ત થાય છે, જેમકે દેવ એટલે દેવદત્ત અને કેઈક દેવવિશેષ, અને દત્ત એટલે પણ યજ્ઞદત્ત અને આપેલું એ અર્થમાં પ્રાપ્ત થતું ક્રિયારૂપ આવા શબ્દો ઉપરાંત , દ્રા, ઘા એવા અસાધુ શબ્દો પણ મળે છે. તેમાંથી સાધુ શબ્દ અંગે चतुर्थादनजादौ च लोपः पूर्वपदस्य च । अप्रत्यये तथैवेष्टः उवर्णाल्ल इलस्य च ।। એવા મહાભાષ્યમાં મળતા (૫. . ૧ રૂ.૮૩) શ્લોકવાતિંકવચનથી લોપ વગેરેનું વિધાન થયું છે. तुल्यायामनुनिष्पतौ ज्ये द्रा घा इत्यसाधवः । न ह्यन्वाख्यायके शास्त्रे तेषु दत्तादिवत्स्मृतिः ॥३६३॥ s, દ્રા, ઘા એવા (અવયવશબ્દોની) ઉત્તરત્ર ઉત્પત્તિ તેમના સમુદાયશબ્દો (ચેષ્ઠા, મા, મઘા) ના જેવી જ હોવા છતાં તે (અવયવશબ્દો) અસાધુ છે. દત્ત વગેરેથી (દેવદત્ત વગેરેનું સ્મરણ થાય) તેમ, તેમનાથી તેમના સમુદાયશબ્દોનું સ્મરણ થશો નહિ. (૩૬ ૩) कृतणत्वाश्च ये शब्दाः नित्य खरणसादयः। एकद्रव्योपदेशित्वात्तान्साधून्संप्रचक्षे ॥३६४।। જેમાં હમેશાં ને જૂ થાય છે તેવા જે વાસ વગેરે શબ્દો છે તેમને, એક જ સંજ્ઞીમાં તે વાચ્ય બનતા હોવાથી શુદ્ધ શબ્દ કહેવાય છે. (૬૪) गोत्राण्येव तु तान्याहुः संज्ञाशक्तिसमन्वयात् । निमित्तापेक्षण तेषु स्वार्थे नावश्यमिष्यते ॥३६५।। તેમનામાં સંજ્ઞાશક્તિના સમન્વયને લીધે તેમને ગોત્રના કહ્યાં છે. તેમના અર્થ અંગે (કોઈ પ્રવૃત્તિ)નિમિત્તની અપેક્ષા રાખવામાં આવતી નથી. (૩૬૫) ઉપરના અનુવાદમાં બંને પંક્તિઓનો સ્વતંત્રપણે અનુવાદ કરવામાં આવ્યો છે. તેને બદલે પોત્રાવ તુ તાન્યાહુ: I એટલું ચરણ સ્વતંત્ર લઈને અનુવાદ થશે, "તેમનામાં સંજ્ઞાશક્તિ પ્રાપ્ત થતી હોવાથી તેમના અર્થ અંગે (કેઈક પ્રવૃત્તિ)નિમિત્તની હમેશાં અપેક્ષા રાખવામાં આવતી નથી. મન્નાઇટ્વચા: સંજ્ઞાઃ તાનિ તુ શરિરમવા નોત્રાથાફુ: | એવું અથદર્શન સૂચવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy