________________
૧૬૨
વાકયપદીય
જુવો ગુણવૃદ્ધી (પા.નૂ, ૧.૧.૩) એવું નિયમસૂત્ર સાર્વધાતુવાઘાતુ: (વા.. ૭.૩.૮૧) એવા ગુણવિધિનું અંગ છે. અહીં પકવાયતા છે. માત્તરવરે (૧.૩. ૬.૨.૧.) એવું હુનો પ્રતિષેધ દર્શાવતું સૂત્ર વો ધાતુઝાતિ વિયો: I (ા. સૂ. ૨.૪.૭૧) એવા ૭ના વિધાનને દર્શાવતા સૂત્રનું અંગ બની વાકકવાક્યતા વડે અર્થ દર્શાવે છે.
निराकाक्षाणि निवृत्तौ प्रधानानि परस्परम् ।
तेषामनुपकारित्वात्कथ स्यादेकवाक्यता ॥३५२।। અર્થબોધ પૂર્ણ થતાં (અન્ય પદ કે અન્ય વાક્યની) આકાંક્ષા વિનાનાં અને તેથી સ્વતંત્ર એવાં તે (વા) એક બીજા માટે (અર્થપ્રાપ્તિ અંગે) ઉપકારક ન હેઈ, એક વાક્ય કેવી રીતે બની શકે? (ઉપર) અહીં પૂર્વપક્ષી મીમાંસક, વાર્થભેદના સમર્થનમાં દલીલ કરે છે.
विशेषविधिनाऽर्थित्वाद् वाक्यशेषोऽनुमीयते।
विधेयवन्निवत्येऽर्थे तस्मात्तुल्यं व्यपेक्षणम् ।।३५३।। ઉત્સગનિયમને વિશેષ(=અપવાદ)નિયમની આકાંક્ષા હોવાથી (અપવાદનિયમ રૂપી) શેષ વાકયનું અનુમાન થાય છે. પ્રતિષેધ્ય વિષયની બાબતમાં ઉત્સર્ગનિયમ અપવાદનિયમના જેવી જ અપેક્ષા રાખતા હોવાથી બંનેની અપેક્ષા સરખી છે. (૩૫૩)
અર્થપ્રાપ્તિ માટે ઉત્સર્ગ, અપવાદ, પ્રતિષેધ એમ બધા પ્રકારના નિયમોને એક બીજાની આકાંક્ષા હોય છે. તેથી વૈયાકરણમતમાં વાજ્યભેદ સ્વીકાર્ય નથી. સરખા ઝઘુમકઝૂષા, पृ.६८५ "आपाततो भिन्नवाक्यत्वाभासेऽपि सर्वस्याप्त्सर्गस्य विशेषविधिनियमनिषेधविध्याकाक्षानियमेन तल्लाभे वाक्यैकवाक्यता तयोः । एकवाक्यता चेत्थम् यतो माठराय तक्रमतस्तदतिरिक्तेभ्यो दधि इत्येव ईत्यलम् ।
संज्ञाशब्दैकदेशो यस्तस्य लोपो न विद्यते ।
विशिष्टरूपा सा संज्ञा कृता च न निवर्तते ॥३५४।। સંજ્ઞાશબ્દનો જે અવયવ, તેનો લોપ થતું નથી. વિશિષ્ટ રૂપવાળા તે સંજ્ઞા શબ્દનું (શાસ્ત્રમાં અને લેકમાં) વિધાન થયું હોવાથી તે અષ્ટ થતા નથી. (૩૫૪)
દેવત્ત શબ્દમાં હેવ કે ચત્ત એ જે અવયવ તેનો કદાપિ લેપ થતો નથી. વિશિષ્ટ એટલે વર્ણના ક્રમરૂપી વિશિષ્ટતાવાળી.
संशान्तराच्च दत्तादेर्नान्या संज्ञा प्रतीयते ।
संज्ञिन देवदत्ताख्य दत्तशब्दः कथं वदेत् ॥३५५॥ દત્ત એવા જુદા સંજ્ઞા શબ્દ ઉપરથી દેવદત્ત એવો જુદો સંજ્ઞાશબ્દ સમજાતે નથી. દત્ત શબ્દ દેવદત્ત પદથી જણાવાતા સંજ્ઞીને કેવી રીતે ઉલેખી શકે? (૩૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org