________________
વાય૫રીય
सर्व सत्त्वपदं शुद्धं यदि भावनिबन्धनम् । संसर्गे च विभक्तोऽस्य तस्यार्थो न पृथग्यदि ॥३४२॥ क्रियाप्रधानमाख्यात नाम्नां सत्त्वप्रधानता ।
चत्वारि पदजातानि सर्वमेतद्विरुध्यते ॥३४३।। (ક્રિયાશબ્દથો) સ્વતંત્ર અને દ્રવ્યને બોધ કરાવનારુ (નામ) પદ જે કિયા (ના બોધ)નું નિમિત્ત બનતું હોય, (આખ્યાત પદ સાથે) સંબંધમાં તે (નામ પદના) અર્થ જુદે હોય અને તે (આખ્યાત પદ)ને (પિતાને) જુદે અર્થ ન હોય;
તે આખ્યાત ક્રિયાપ્રધાન છે, નામ દ્રવ્યપ્રધાન છે અને પદો ચાર પ્રકારનાં છે એવાં બધાં (યાસ્ક જેવા વિદ્વાનનાં સિદ્ધાન્તકથનો) ખેટાં ઠરશે. (૩૪૨-૩૪૩)
वाक्यस्य बुद्धौ नित्यत्वमर्थयोग च लौकिकम् ।
दृष्ट्वा चतुष्ट्रव नास्तीति वदत्यौदुम्बरायण ॥३४४॥ (શ્રોતાની બુદ્ધિમાં વાકયનું નિત્ય માનીને અને લોકમાં તેને અર્થ સાથેનો સંબંધ સમજીને ઔદુમ્બરાયણ કહે છે કે પદો ચાર પ્રકારનાં નથી. (૩૪૪)
શ્રોતા જ્યારે વાક્ય સાંભળે છે ત્યારે તેને પદની અને પદોના ખંડ અર્થની પ્રતીતિ થતી નથી, તેથી જ ઔદુમ્બરાયણે અખંડ વાક્ય અને અખંડ વાક્ષાર્થ પક્ષનો સ્વીકાર કરીને ચાર પ્રકારનાં પદ અંગે મત ઉચ્ચાર્યો છે. યાસ્ક ચાર પ્રકારનાં પદો-નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત, સમજે છે (નિ ૧.".) યાસ્કે ઔદુમબરાયણના મતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે નિત્યં વચનનો સુવરાવળઃ | તન્ન સૂવું નો વઘસે. (૧.૨.) અહીં નિયનિસ્ય નો અર્થ દુર્ગ, સ્કન્દસ્વામી વગેરે ટીકાકારો “અનિત્ય સમજે છે, ભર્તુહરિની આ કારિકા ઉપરથી સમજાય છે કે “ઈન્દ્રિય” એટલે બુદ્ધિ, અને વચન એટલે વાય એવો અર્થ થશે. ઔદુમ્બરાયને મતે વાકય બુદ્ધિમાં નિત્ય છે, તેથી નામ, આખ્યાત, ઉપસગ અને નિપાત એવા પદવિભાગની જરૂર નથી. શાસ્ત્રમાં આવા વિભાગો પ્રક્રિયાભેદ માટે ઉપગી છે.
व्याप्तिमांश्च लघुश्चैव व्यवहारः पदाश्रयः ।
लोके शा च कार्यार्थ विभागेनैव कल्पितः ॥३४५।। લોકમાં તેમજ શાસ્ત્રમાં પદ ઉપર આધાર રાખતે વાક્યને વપરાશ, લાઘવયુક્ત અને સર્વગ્રાહી છે અને (અર્થ) કાર્ય માટે (પદ, વર્ણ વગેરે) વિભાગમાં સમજવામાં આવ્યો છે (૩૪૫)
न लोके प्रतिपतॄणामर्थयोगात्प्रसिद्धयः ।
तस्मादलौकिको वाक्यादन्यः कश्चिन्न विद्यते ॥३४६।। લોકમાં શ્રોતાઓની વ્યવહાર પ્રવૃત્તિઓ શબ્દના ચગ્ય અર્થ સાથેના સંબંધને કારણે (જ) થતી નથી, તેથી અખંડ વાક્યથી જુદું અને અલૌકિક કશું હેતું નથી. (૩૪૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org