SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ વાકય૫રય तानि शब्दान्तराण्येव पर्याया इव लौकिकाः । __ अर्थप्रकरणाभ्यां तु तेषां स्वार्थो नियम्यते ॥३३२॥ તે પદ (=વૃક્ષ એવો અર્થ દર્શાવનારું નામપદ વૃક્ષ અને દિગ્દતિ ના અર્થનું સૂચન કરતું વૃક્ષ: પદ) અન્ય શબ્દો છે, અને લેકવ્યવહારમાં વપરાતા પર્યાયે (જેવા) છે. (અન્ય શબ્દનો અર્થ અને સ્થાન સંદર્ભ વડે તેમને અર્થ નિશ્ચિત બને છે. (૩૩૨) જેમ ચાવ: અને ચાવ, અને પ્રતિ વર્ષ:, વૃષ અને વૃષભ: વગેરે પર્યાય હોવા છતાં પૂર્ણ સ્વતંત્ર પદે છે, તેમ વૃક્ષ: અને વૃક્ષતિતિ એ બંને વાકય જ છે. તો પછી, પૂર્વપક્ષી પૂછશે, એકલાં નામપદો વૃક્ષ: કે તરવડ જ શા માટે વાપરતા નથી અને શા માટે તિછતિ કે તિgક્તિ સાથે વાયરૂપ પ્રાગ વપરાય છે ? આના જવાબમાં એમ કહેવાય કે લેકવ્યવહાર અને પ્રાપ્ત થાય છે. જ્યાં એક વૃક્ષ કે એકલે ઉતષ્ઠતિ શબ્દ પ્રાપ્ત થાય ત્યાં અર્થ, પ્રકરણ વગેરે વડે વાક્યાથી પૂર્ણ બનશે. प्रतिबोधाभ्युपायास्तु ये तं तं पुरुष प्रति । नावश्य तेऽभिसंबद्धाः शब्दा ज्ञेयेन वस्तुना ॥३३३।। પ્રત્યેક વ્યકિતના સબંધમાં તેના બંધ માટે કલ્પવામાં આવેલા શબ્દ, વાચા પદાર્થો સાથે હંમેશાં સંબદ્ધ હોતા નથી. (૩૩૩) असत्यां प्रतिपत्तौ वा मिथ्या वा प्रतिपादने । स्वैरर्थनित्यसंबन्धास्ते ते शब्दा व्यवस्थिताः ॥३३४॥ (દ્વાર એવા ઉચ્ચરિત શબ્દથી થતા દ્વાર જિજેહિ એવા વાક્યનો) અર્થ જ્યારે સાચે ન હોય અથવા તે અન્યથા સમજાયો હોય ત્યારે , વિદિ વગેરે) તે તે શબ્દ પિતાના અર્થો સાથે હંમેશાં સંબદ્ધ હોય છે. (૩૩૪) यथाप्रकरण द्वारमित्यस्यां कर्मणः श्रुती। बधान देहि वेत्येतदुपायादवगम्यते ॥३३५॥ જ્યારે દ્વારજૂ એવું (દ્વિતીયાન્ત) કર્મપદ સંભળાય છે ત્યારે, વક્તાની ઈચ્છા મુજબ, સ્થાન સંદર્ભ પ્રમાણે, બંધ કરો અથવા પ્રવેશ આપે એ અર્થ પ્રાપ્ત થાય છે. (૩૩૫) અહીં મીમાંસક કૃતાર્થોપત્તિ મતને ફરીવાર રજૂ કરે છે. तत्र साधनवृत्तियः शब्दः सत्त्वनिबन्धनः । न स प्रधानभूतस्य साध्यस्यार्थस्य वाचकः ॥३३६।। ત્યાં (વાકયપ્રગમાં વૃ: એવો) જે શબ્દ (કર્તા, કર્મ વગેરે) કારકમાં પ્રવૃત્તિવાળો અને દ્રવ્યરૂપ આશ્રયવાળે છે (ત્યાં) તે, (વૃક્ષ: વિદzત્તા એવા) મુખ્ય સાધ્યના અર્થનો વાચક બનતો નથી. (૩૩૬) અહીં પણ તિતિ એવા અપ્રયુક્ત પદની વૃક્ષ એવા એકપદરૂપ વાક્યમાં જરૂર નથી, એવા વૈયાકરણમતનું મીમાંસક વડે ખંડન કરવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy