SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ બીજુ કાંડ શબ્દ અંગે એકત્વપક્ષમાં કે નાનાત્વપક્ષમાં અર્થ, પ્રકરણ વગેરે વડે જ તેમના અને નિર્ણય થાય છે. नामाख्यातसरूपा ये कार्यान्तरनिबन्धनाः । शब्दा वाक्यस्य तेष्वर्थो न रूपादधिगम्यते ॥३१८॥ નામ અને આખ્યાત જેવા રૂપવાળા અને અન્ય વ્યાકરણકાર્ય માટે કારણ રૂ૫ બનતા જે શબ્દો છે તેમનો અર્થ વાકયના સ્વરૂપ ઉપરથી સમજાતો નથી. (૩૧૮) અહીં શા વાયરા એવો પાઠ સમજીને અનુવાદ કરવામાં આવ્યો છે. વાયાય એવો પાઠ સમજતાં “શબ્દો અને તેમના વડે વાચ્ય બનતા જે અર્થો છે તેમાં અર્થ” એ પુનરુક્તિવાળો અનુવાદ થશે. : શબ્દ ઘડે એવો નામાર્થ દર્શાવે છે, સુષિ અતિવૃઢઘોઃ (ગતિ અને વૃદ્ધિ અર્થમાં fધ ધાતુને પ્રયોગ થાય છે) એવા કથનમાંથી શ્વ: એવું અદ્યતન ભૂતકાળ બીજા પુરુષ એકવચનનું રૂ૫ થશે. બંને શબ્દો અહીં સરખા રૂપવાળા સમજાય છે. એ જ પ્રમાણે મગાવઃ ને નામપદ લેતાં બકરીનું દૂધ એવો અર્થ સમજાશે અને તે જ શબ્દને આખ્યાતપદ સમજતા fક ધાતુનું પ્રેરક રૂ૫ બનશે. આવી સ્થિતિમાં શબ્દનું માત્ર સ્વરૂપ અર્થનું નિર્ણાયક બનશે નહિ; પરંતુ અર્થ પ્રકરણ વગેરે નિર્ણાયક બાબતો ઉપયોગી થશે. “વાયષ્ય કવેત વસુમત” એવું વિધિવાકય વાયુસેપિઝા વૈવતા | સા ગમાન મૂર્તિ જમવતિ તાં ન માન ૩૫થાવતિ ! એવા સ્તુતિરૂ૫ અર્થવાદ વાક્યની મદદથી વાયુદેવતા માટે નક્કી કરેલા ધોળા પશુની હનનક્રિયામાં પ્રવૃત્તિ કરાવે છે. या प्रवृत्तिनिवृत्त्यर्था स्तुतिनिन्दाप्रकल्पना । कुशलः प्रतिपत्ता तामयथार्था समीहते ॥३१९॥ કુશળ શ્રોતા, પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરાવનારી જે સ્તુતિ અને નિન્દા છે તેને અયથાર્થ સમજે છે. (૧૯). विधीयमान' यत्कर्म दृष्टादृष्टप्रयोजनम् । स्तूयते सा स्तुतिस्तस्य कर्तृरेव प्रयोजिका ॥३२०॥ વેદમાં પ્રબોધેલા અને દષ્ટ પ્રજનવાળા તેમજ અદષ્ટ પ્રોજનવાળા કર્મની જે સ્તુતિ થાય છે તે સ્તુતિ, તે કર્મકર્તા માટે જ પ્રવર્તક બની રહે છે.(૩૨૯) व्याघ्रादिव्यपदेशेन यथा बालो निवर्त्यते । असत्योऽपि तथा कश्चित्प्रत्यवायोऽभिधीयते ॥३२१॥ વાઘ વગેરેની (બીકને) બહાને જેમ બાળકને (રડતું) અટકાવવામાં આવે છે, તેમ સાચું ન હોવા છતાં પણ (યજ્ઞકાર્ચ નહિ કરવાથી) અનિષ્ટ થાય છે તેમ) જણાવવામાં આવે છે. (૩૨૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy