SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વાયવરીય પ્રકરણ : પ્રકરણ એટલે સ્થાન સંદભ. વ: જ્ઞાનાત માં પરમાત્મા અથવા રાજા એવા અર્થોમાંથી સંદર્ભ પ્રમાણે અર્થ લેવાશે. અહીં અગાઉ આપેલ ઉદાહરણ, સૈધવમાનય ! (મીઠું લાવ અથવા ઘોડો લાવ) માંથી આ વાત સ્પષ્ટ થશે. લિંગ : અન્ય સ્થળ અર્થાત કથનમાંથી પ્રાપ્ત થતું સૂચન, એટલે લિંગ : હાર્દરા: ૩૧ઘાતિ | (ચોપડેલા કાંકરા તે પાસે મૂકે છે) એવા વાક્યમાં માતા: પદથી શેનાથી ચેપડયા છે તે સ્પષ્ટ થતું નથી, પરંતુ તેનો જૈ જૂતy , એવા અન્ય વચન ઉપરથી ઘીથી ચેપડેલા છે એ અર્થ નક્કી થયો. શબ્દાક્તરસંનિધિ : અન્ય શબ્દના સાંનિધ્યને કારણે શબ્દનો અર્થ નિશ્ચિત થાય છે. અક્ષ0 રેવન” | માં અક્ષના અનેક અર્થો થતા હોવા છતાં હવનના સાંનિધ્યને કારણે મક્ષનો અથ પાસા થશે. વહ્ય પુરાતે: માં રેવહ્ય શબ્દના સાંનિધ્યને કારણે પુરાાતિનો અર્થ શિવ થશે. સામર્થ્ય : મધુમઃ જોજિસ્ટ: ઉદાહરણમાં મધુના વસન્ત અને મદિરા એવા અર્થોમાંથી કેફિલની ઉન્મત્તતા વસંતને કારણે હાઈ બંને વચ્ચે સામર્થ્ય હોવાથી મધુનો અર્થ મદિરા થશે નહી. વ્યક્તિ : પાણિનિપૂર્વેના આચાર્યોએ વ્યક્તિ શબ્દ લિંગ (gender)ના અર્થમાં વાપર્યો છે. મિત્ર શબ્દ પુલિંગમાં સૂર્યને વાચક છે, નપુંસકમાં સખાનો. સ્વર સ્વરને કારણે અર્થભેદ પ્રાપ્ત થાય છે, જેમકે રાત્ર: શબ્દમાં છેલ્લો સ્વર ઉદાત્ત હેવાથી ષષ્ઠી તપુરુષ સમાસ સમજાતાં, ઇન્દ્રનો હણનાર એવો અર્થ થશે, પરંતુ પૂર્વપદ માં તેનો મૂળ સ્વર કાયમ રહેતો હોવાથી બહુવ્રીહિ સમાસ સમજાતાં ઈન્દ્ર જેને હણનાર છે એવો અર્થ સમજાશે. સ્વરનું મહત્વ વૈદિક ભાષામાં હતું. પ્રશિષ્ટ સંસ્કૃતમાં તે ઘટતું ચાલ્યું. અલંકારશાસ્ત્રીઓ અર્થનિર્ણય માટે સ્વરને અનુપયોગી ગણે છે. આ બે કારિકાઓમાં પરિગણિત મુદ્દાઓની ચર્ચા ભતૃહરિને અનુસરીને, પછીના સમયમાં વ્યાકરણના અને અલંકારના ગ્રંથમાં વિસ્તારથી કરવામાં આવી છે, અહીં બૃહદેવતા, મીમાંસા સૂત્ર અને અન્ય શાસ્ત્રગ્રંથોમાં પ્રચલિત સિદ્ધાતોમાંથી સૂચન લઈને એક સળંગ યાદી ત્રણ કારિકાઓમાં આપી છે. અર્થ, પ્રકરણ, લિંગ, ઔચિત્ય, દેશ અને કાલને ઉલ્લેખ બૃહદ્દેવતામાં થયો છે. સંનિધિ, લિંગ, પ્રકરણ અને વાક્ય મીમાંસામાં જાણીતા છે (મીમાંસાસૂત્ર ૩ ૨.૧૪). આ ત્રણે કારિકાઓ અંગે પુણ્યરાજના અભિષા ચિન્ય છે ભર્તુહરિએ પ્રચલિત મતોને અહીં એકસંય ક્યાં છે. કારિકા ૩૧૪માં ભર્તુહરિને મત છે અને પછીની બેમાં અન્ય મત છે એ વાત બરાબર નથી. भेदपक्षेऽपि सारूप्याद्भिन्नार्थाः प्रतिपत्तृषु । नियता यान्त्यभिव्यक्ति शब्दाः प्रकरणादिभिः ॥३१७॥ અથભેદને કારણે શબ્દભેદ સમજ એવા મતમાં સમાન રૂપવાળા શબ્દોના અર્થો, સમજનારાઓમાં જુદા જુદા પ્રાપ્ત થતા હોવા છતાં સંદભ વગેરે વડે નિયત અર્થમાં તે (શબદો) અભિવ્યક્ત બને છે. (૩૧૭) . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy