________________
૧૫૩
બીજું કાંડ
संसर्गो विप्रयोगश्च साहचर्य विरोधिता । अर्थः प्रकरण लिङ्ग शब्दस्यान्यस्य संनिधिः ॥३१५॥ सामर्थ्यमौचिती देशः कालो व्यक्तिः स्वरादयः ।
शब्दार्थस्यानवच्छेदे विशेषस्मृतिहेतवः ॥३१६॥ સંસર્ગ, વિપ્રયાગ, સાહચર્ય, વિરોધ, અર્થ, સ્થાન–સંદર્ભ, (બીજા વાકયમાંથી) સૂચન અને અન્ય શબ્દનું સાંનિધ્ય;
સામર્થ્ય, ઔચિત્ય, દેશ, કાલ વ્યક્તિ, સ્વર વગેરે, જ્યારે શબ્દના અર્થનો ચક્કસ નિર્ણય થતું ન હોય ત્યારે, વિશિષ્ટ અર્થમાં નિર્ણાયક) કારણે બને છે.
(૩૧ ૫-૩૧૬). સંસર્ગ : એક શબ્દના બીજા શબ્દ સાથેના સંસર્ગથી અર્થને નિશ્ચય થાય છે. સવારના ઘેન ગાર્નીયતાપૂ . એટલે વાછરડા સાથે ગાયને લાવો એવો અર્થ થશે, પરંતુ સવિરા નઃ | નવરા છેઃ ' એ વાકામાં વિક્રશર અને વર શબ્દોના સંસર્ગથી ઘેાડી અને બકરી એવા અર્થ થશે. સવારમા ઘેનુ: એટલે “સાંઢણી” એવો અર્થ થશે.
' શાસ્ત્રમાં અવાઢg: 1 (પા. સુ. ૧.રૂ.૫૧) પ્રમાણે અવ ઉપસર્ગના સંસર્ગને કારણે નિગરણ અર્થવાળ ધાતુ જ સમજવામાં આવે છે, અવાજ કરવો એ અર્થનો ધાતુ નહિ.
વિપ્રયાગ ઃ વિશર્વરશ્નો હૃરિ: 1 એ ઉદાહરણમાં શંખનો હરિ અર્થાત વિષ્ણુ સાથે સંબંધ હોવાથી શંખ અને ચક્ર વિનાના હરિ એવા વાક્યમાં હરિને અથ વિષ્ણુ થશે.
શાસ્ત્રમાં મુગોડનવને ! (ા. . ૧.૩.૬૬) એવા સૂત્ર પ્રમાણે વન એટલે પાલન કરવું એ અર્થ ન હોય ત્યારે આત્મને પદમાં સમજાતા મુઝ ધાતુનો અર્થ ખાવું એ થશે. '
સાહચય : એક શબ્દના બીજા શબ્દ સાથેના સાહચર્યથી અર્થનિર્ણય થશે; જેમ કે, રામઢમળૌમાં સક્ષમળ શબ્દના સાહચર્યને કારણે રામ શબદથી પરશુરામને નહિ પણ દશરથપુત્ર રામચંદ્રનો બોધ થશે.
વ્યાકરણમાં પણ પામ્યાં ને (૧.૩.૧૧) માં વિ અને ઘર ને સાહચર્યને કારણે ઉપસર્ગ માન્યા છે.
વિરોધિતા : રામાનુની શબ્દથી રામના વિરોધી એવા અર્જુનને અર્થાત્ પરશુરામ અને તેમના વિરોધી સહસ્ત્રાર્જુનનો બંધ થાય છે, દશરથપુત્ર રામચન્દ્ર અને કંતિપુત્ર અર્જુનને નહિ.
અર્થ : અહીં અથ એટલે પ્રયોજન. સ્થાળુ મગ મચ્છI (સંસારબંધનને કાપવા શિવને ભજ) માં સંસારબંધચ્છદ એવા પ્રયજનને કારણે થાળુ નો અર્થ શિવ થશે, થાંભલે નહિ. નાગેશ અને બીજા વૈયાકરણે અહીં વાર્થ ને અન્ય શબ્દને અર્થ સમજે છે, અને અગાઉ આપ્યાં તે ઉદાહરણે, મગરિના જુદોતિ વગેરે રજૂ કરે છે. વા–૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org