________________
બીજ' કાંડ
૧૪૩
वाक्यस्यार्थात्पदार्थानामपोद्धारे प्रकल्पिते ।
शब्दान्तरेण सम्बन्धः कस्यैकस्योपपद्यते ॥२६९॥ વાકયના અર્થમાંથી પદોના અર્થના પૃથક્કરણની કલ્પના કરવામાં આવતાં (અવિદ્યમાન એવા) ક્યા પદનો (તેવા) અન્ય પદ સાથે સંબંધ પ્રાપ્ત થશે? (૨૬૯) : - નૌટ્ટી: એવા અખંડ વાકય વડે વાહીક એવો અખંડ પદાર્થ પ્રાપ્ત થાય છે. હવે જે પદો અને તેમના અને અસત્ય સમજવામાં આવે તો અવિદ્યમાન એવા કયા પદનો તેવા અવિદ્યમાન અન્ય પદ સાથે સંબંધ પ્રાપ્ત થશે? અને ગૌણ મુખ્યાથ વિભાગ પણ કેવી રીતે સમજાશે ? તેથી અખંડ વાકયાથ જ સત્ય છે એમ માનવું જોઈએ.
यच्चाप्येक पदं दृष्ट चरितास्तिक्रिय क्वचित् ।
तद्वाकथान्तरमेवाहुर्न तदन्येन युज्यते ॥२७०॥ અને જે (નૌ એવું) પદ, છે (અસ્તિ) એવી ક્રિયાનો (અર્થના) સંનિવેશવાળું કઈવાર જણાય છે, તે (પદ)ને જુદું વાક્ય કહેવામાં આવે છે અને તે બીજા પદ સાથે જોડાતું નથી. (૨૭૦)
यच्च कोऽयमिति प्रश्ने गौरश्व इति चोच्यते ।
प्रश्न एव क्रिया तत्र प्रक्रान्ता दर्शनादिका ।।२७१॥ “આ કેણ એવો પ્રશ્નન કરવામાં આવતાં, ગાય (છે) અથવા અશ્વ (છે) એમ જે કહેવામાં આવે છે ત્યાં, દેખાય છે (દર) એવી ક્રિયા (નો અર્થ) પ્રશ્નમાં જ શરૂઆતથી પ્રાપ્ત થાય છે (૨૭૧)
नैवाधिकत्वं धर्माणां न्यूनता वा प्रयोजिका ।
आधिक्यमपि मन्यन्ते प्रसिद्ध न्यूनतां क्वचित् ॥२७२।। (પદાર્થના) ધર્મ વિશેનું અધિકત્વ કે ન્યૂનતા (ગૌણ-મુખ્યભાવ)ને નક્કી કરતાં નથી. (શબ્દની લેક) પ્રસિદ્ધિને આધારે કઈવાર (વિશેના) અધિત્વને ન્યૂનતા સમજવામાં આવે છે. (૨૭૨)
બીજી પંક્તિના અન્વયને “વવિદ્યાધિક્ય વિર નર (રા) પ્રસિદ્ધિ સારાં માતે ” એ પ્રમ ણે સમજતાં “શબ્દની પ્રસિદ્ધિનું કારણ કેઈવાર ધર્મવિરોષની અધિકતા. અથવા ન્યૂનતા માનવામાં આવે છે” એવો અનુવાદ થશે.
जातिशब्दोऽन्तरेणापि जातिं तत्र प्रयुज्यते । सम्बन्धिसदृशाद् धर्मात्त गौणमपरे विदुः ॥२७३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org