SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંડ અત્યાર સુધી વાકય એટલે પદસમૂહ અને વાકયાથ એટલે પદનો અર્થ એવા પક્ષનું અનેક રીતે ખંડન કરવામાં આવ્યું. વ્યાકરણશાસ્ત્ર કેઈ વિશિષ્ટ તત્ત્વદર્શન ઉપર ભાર મૂકતું નથી પરંતુ શબ્દના સાધુત્વબોધન માટે બધાં દશનેનો ઉપગ કરે છે, તેથી તે કોઈ એક ચક્કસ માર્ગનો આશ્રય કરતું નથી (સઢવારિવયં દૃોઢ શાસ્ત્રમ્ તત્ર નૈ: વખ્યા શા માWાતુમ્ I ) હેલારાજ પણ અન્યત્ર જણાવે છે કે અમે કોઈ દર્શન વિશેષની ચર્ચા અહી કરી નથી પરંતુ શબ્દવ્યવહારમાં જે ઉપકારક છે તેને તપાસવાનું અમારું કાય છે (નાહ્મામિર્તવિક્રવાર વિનુ શાક યવહાર ચઢા તરીમૂ ) વીર્નશ -9. ૨ ૧૪, બનારસ. - આવા શાસ્ત્રીય વ્યવહાર માટે વાકયમાંથી અપદ્યુત કરીને પદોને જુદાં સમજી તે પદોના અર્થો વિષે હવે ચર્ચા કરવામાં આવશે. આ અંગે ચાર મત છે ; (૧) એક શબ્દ અનેક અર્થો દર્શાવે છે, (૨) એક શબ્દ તેન, જુદા જુદા અર્થો સાથે જુદો સમજાય છે, (૩) પદે અને તેમનો અર્થ મિથ્યા છે અને (૪) પદે અને તેમનો અર્થ સત્ય છે. આ ચાર મતિના દરેક શબ્દપચાર, સ્વરૂપાર્થ અને બાહ્યર્થ એમ ત્રણ વિભાગો છે. આમ બાર મત થયા એક શબ્દના અનેક અર્થો છે એવા મતનો આશ્રય કરીને હવે આ કારિકાથી શરૂ કરી ગૌણુર્થ અને મુખ્યાર્થીને વિચાર કરવામાં આવશે. योगपद्यमतिक्रम्य पर्याये व्यवतिष्ठते । अर्थप्रकरणाभ्यां वो योगाच्छब्दान्तरेण वा ॥२५१।। અન્ય શબ્દોના અર્થ અથવા (સ્થાન) સંદર્ભ અથવા બીજા શબ્દો સાથેના સંબંધને કારણે, શબ્દ, એક સાથે બધા અર્થો દર્શાવવાને બદલે એક સમયે એક અર્થમાં જાણીતો બને છે. (૨૫૧) અહીં અર્થવ્રજનાભ્યામ્ માંના એ શબ્દને પદના અર્થ તરીકે સમજવામાં આવ્યો છે, સરખા વાવાઝરનાર્ વગેરે અને અર્થ: જળ જિમ્ વગેરે વા. વ. ૨.૩૧, પ્રોજન એ ગાર્ગી એ આપેલ અર્થ અહીં સ્વીકાર્યો નથી. यथा सास्नादिमान्पिण्डो गोशब्देनाभिधीयते । तथा स एव गोशब्दो वाहीकेऽपि व्यवस्थितः ॥२५२॥ જેમ ગદડી વાળો (માંસ) પિંડ “ગાય” એવા શબ્દ વડે ઓળખાય છે તેમ તે જ “ગાય”શબ્દ વાહીક એવા અર્થમાં જાણીતા બને છે. (૨૨) सर्वशक्तेस्तु तस्यैव शब्दस्यानेकधर्मणः। प्रसिद्धिभेदाद्गौणत्वं मुख्यत्वं चोपजायते ॥२५३॥ અનેક ધર્મોવાળા અને (અર્થ દર્શાવવાની) બધી શક્તિઓવાળા તે (ગાય” એવા) શબ્દના (એના) જુદા જુદા વપરાશ પ્રમાણે (તેનુ) ગણત્વ અને મુખ્યત્વ ઉત્પન્ન થાય છે. (૨૫૩) સંશવત્તે અને અને ધર્મનઃ એવા શબ્દોને પુણ્યરાજ અને માત્ર પ્રમાણે પર્યાય સમજવામાં આવ્યા છે. આમ અમે સ્વીકારતા નથી. આ કારિકામાં એક શબ્દદાન એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy