SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ વાય૫દીય अनड्वाहमुदहारि या त्व हरसि शिरसा कुम्भ भगिनि साचीनमभिधावन्तमद्राक्षोः । (મ. મા. ૧.૧.૫૮,૩૧) એવા શબ્દસમૂહમાં શબ્દોના અર્થો પરસ્પર વિરુદ્ધ જણાય છે, પરંતુ વાક્ય સમાપ્ત થતાં પાણી લાવનારી હે બહેન, જૂનો ઘડે મસ્તક ઉપર ધારણ કરનારી તેં, આમતેમ દેડતા બળદને જયેએવો વ્યવસ્થિત અથ પ્રાપ્ત થશે. स्तुतिनिन्दाप्रधानेषु वाक्येष्वर्थो न तादृशः। पदानां प्रविभागेन यादृशः परिकल्प्यते ॥२४७।। સ્તુતિ અને નિન્દાને અર્થ જેમાં મુખ્ય હોય તેવાં વાકમાં, પદોના વિછેદ વડે જેવો અર્થ પ્રાપ્ત થાય છે તે અર્થ પ્રાપ્ત થતો નથી. (૨૪૭) વોર્સમ...વગેરે લોકને રજૂ કરીને પુણ્યરાજ સમજાવે છે કે કેઈક વાક્યમાં અખંડ વાક્યાથ લેતાં સ્તુતિપ્રધાન અર્થ સમજાય છે, હું ત્રાનિત પિસવ...(કુન્તક : વોદિતનીવિત છુ. પB) શ્લોકને રજૂ કરીને તે જણાવે છે કે અહીં અખંડ વાયાથી સમજતાં નિન્દાપ્રધાન અર્થ સમજાય છે પરંતુ વિચ્છિન્ન પદે વડે પ્રશસ્તિનો અર્થ સમજાય છે. अथासंसृष्ट एवार्थः पदेषु समवस्थितः । वाक्यार्थस्याभ्युपायोऽसावेकस्य प्रतिपादने ।।२४८॥ અથવા પદોમાં (પરસ્પર) અસંબદ્ધ એવો અર્થ રહેલો છે, અને તે (અર્થ) અખંડ વાકયાર્થનું પ્રતિપાદન કરવામાં કારણરૂપ બને છે. (૨૪૮) અહીં પદવાદીની દલીલને ફરી વાર રજૂ કરવામાં આવી છે. पूर्व पदेष्वसंसृष्टो यः क्रमादुपचीयते। छिन्नप्रथितकल्पत्वात्तद् विशिष्टतर विदुः ॥२४९॥ (પરંતુ) પહેલાં પદોમાં (પરસ્પર) અસંબદ્ધ રહેલો જે અર્થ ક્રમે ક્રમે (અન્ય પદે સાથે જોડાઈને) વૃદ્ધિ પામતાં રચાય છે તેને, (પહેલાં) છેડીને ફરી બાંધેલ પદાર્થની જેમ, અત્યંત જુદે સમજવામાં આવે છે. (૨૪૯) પુણ્યરાજની ટીકામાં આ કારિકાને જે અર્થ દર્શાવ્યો છે તે પ્રમાણે છિન્નતિqવાિિાતર વિએ પાઠ છે. પહેલાં અસંસ્કૃષ્ટ એ પદોને અર્થ ક્રમે ક્રમે વૃદ્ધિ પામીને એકાથરૂપે રચાય છે, ત્યારે તે પદોના અર્થથી જુદો હોય છે એમ માનવું જોઈએ. તેડેલું કેડિયું તેના ટુકડા સાંધી લેવાતાં આખું બને છે પરંતુ બંને વચ્ચે ભેદછે જ, પૂના સંપાદનને પાઠ 1 વિશિષ્ટતર વિઃ સ્વીકારતાં તોડેલું કેડિયું અને આખું કેડિયું એમ બે વચ્ચે ભેદ નથી એ પ્રમાણે અસંસ્કૃષ્ટ પદનો અર્થ જુદો સમજો જોઈએ નહીં. एकमाहुरनेकार्थ शब्दमन्ये परीक्षकाः । निमित्तभेदादेकस्य सार्वार्थ्य तस्य भिद्यते ॥२५०।। બીજા પરીક્ષકે જણાવે છે કે એક શબ્દના અનેક અર્થો હોય છે. જુદાં જુદા કારણોને લીધે તે) એક શબ્દની બધા અર્થો દર્શાવવાની શક્તિ જુદી સમજાય છે. (૨પ૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy