________________
બીજુ કાંડ
રાગપુષ, મધળું, ઢોરઢY, નૌરવર વગેરે ઉદાહરણોમાં સમુદાયનો અર્થ અવયના અર્થ ઉપર આધાર રાખે છે, પરંતુ અવયવોના અર્થથી જુદો એવો અર્થ ઉત્પન્ન કરે છે. રવીવજ્ઞ જણું છે કે સમુદાયો ચાર પ્રકારના છે, શબ્દાવથી, અથવયી, શબ્દાર્થાન્વયી અને નિરન્વયી. શબ્દાયીનાં ઉદાહરણે નીરવ : (જંગલી ગધેડું) અને 18: (એ નામનું વૃક્ષ) છે; અર્થીન્વયીનાં ઉદાહરણે શ્રોત્રિયઃ (વેદનું અધ્યયન કરનાર) વૈદૂચ, વાવ: (મોતી ઉત્પન્ન કરતું સ્થાન) વગેરે છે; ત્રીજાનાં ઉદાહરણો રાગપુરુષ:, નીકોપમ્ અને ત્રાળFa: છે, અને ચેથાનાં ઉદાહરણે મુસ૮૬, ૩ત્ત્વમ્ અને વાસ છે.
केचिद्धि युतसिद्धार्था भेदे नितिशक्तयः ।
अन्वयव्यतिरेकाभ्यां केचित्कल्पितशक्तयः ।।२०९॥ કેટલાક (સમુદા)ની શક્તિઓ, સંઘાતમાં તેમનું વિભક્તપણે ગ્રહણ થતાં, નિશ્ચિત બને છે. અન્વય અને વ્યતિરેક વડે કેટલાકની શક્તિ (તેમના વિભાગોમાં) આરોપવામાં આવે છે. (૨૦૯)
શાસ્ત્રાર્થ વ ાનાકર્થવ પ્રતિઃ |
धात्वादीनां हि शुद्धानां लौकिकोऽर्थो न विद्यते ॥२.१०॥ વર્ણોની અર્થવત્તા અંગે (વ્યાકરણ) શાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્થ જ જણાવવામાં આવ્યો છે, (કારણ કે) એકલા ધાતુ, (પ્રત્યય), વગેરેને લૌકિક અર્થ પ્રાપ્ત થતો નથી. (૧૦)
कृत्तद्धितानामर्थश्च केवलानामलौकिकः । .
प्राग्विभक्तेस्तदन्तस्य तथैवार्था न विद्यते ॥२१॥ એકલા કૃત અને તદ્ધિત પ્રત્યેનો અર્થ પણ શાસ્ત્રીય જ છે; તેથી વિભક્તિ પ્રત્યય લાગ્યા પહેલાં કૃતુ પ્રત્યય અને હોય તેવાં અને તદ્ધિત પ્રત્યય અંતે હોય તેવાં પદોના અર્થો પ્રાપ્ત થતા નથી. (૨૧૧)
अभिव्यक्ततरो योऽर्थः प्रत्ययान्तेषु लक्ष्यते ।
अर्थवत्ताप्रकरणादाश्रितः स तथाविधः ॥२१२॥ કૃત અન્ત હોય તેવા અને તદ્ધિત અંતે હોય તેવા શબ્દોનો વધારે સ્પષ્ટ એ જે અર્થ જણાય છે તે પ્રકારના શાસ્ત્રીય) અને અર્થવન્દ્રના સંદર્ભમાં સમજવામાં આવ્યો છે. (૧૨)
અર્થવત્તા એટલે બર્થવાતુર વાચ: પ્રાતિ વિમ્ (વા. ?.૨.૪પ) એવા સૂત્રમાં પ્રાપ્ત થતા અર્થવત્વને ઉલેખ. તેને સંદર્ભ અર્થાત અનુવૃત્તિ તદ્ધિતસમાસા, (વા. . ૧.૨.૪ ૬.) માં મળે છે. તેથી અથવત્વના સંદર્ભ પ્રમાણે કૃદ્ધિતાના શબ્દોનો વિશિષ્ટ અર્થ વ્યાકરણશાસ્ત્રમાં સમજવામાં આવ્યો છે.
તા-૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org