________________
૧૨૨
વાકયપદીય
बीजकालेषु संबन्धाद् यथा लाक्षारसादयः । वर्णादि परिणामेन फलानामुपकुर्वते ॥१८५।। वृद्धिस्थादभिसंबन्धात्तथा धातूपसर्गयोः ।
अभ्यन्तरीकृताद् भेदः पदकाले प्रकाशते ।।१८६॥ જેમ બીજ વાવવાના સમયે જ લાખનો રસ (વગેરે વૃક્ષના બીજભાવ સાથે) સંબંધમાં હોવાથી અને ઉત્તર કાળમાં) ફળોના રંગ (રસ) વગેરેના ફેરફારથી (ફળને) ઉપકારક બને છે;
તે પ્રમાણે ધાતુ અનેઉપસર્ગના બુદ્ધિનિષ્ઠ સંબંધને કારણે અને તે અંતહિત હોવાથી (ક્રિયા)વિશેષ, પદ(નિષ્પત્તિ)ને સમયે સ્પષ્ટ બને છે. (૧૮૫-૧૮૬)
લાખના વૃક્ષમાં લાખો રસ વગેરે તે વૃક્ષના બીજકાળમાં પણ અસ્તિત્વમાં હોય છે અને તેથી તે વૃક્ષને ફળપ્રાપ્તિને સમયે પણ રંગ અને રસ અંગે ઉપકારક બને છે. તે પ્રમાણે ધાતુ અને ઉપસર્ગના સંબંધને સમયે અવ્યક્તરૂપે રહેલ ક્રિયાવિશેષ, ધાતુને સાધન સાથે સંબંધ થતાં વ્યક્ત બને છે. તેથી “પહેલાં ધાતુ ઉપસર્ગ સાથે જોડાય છે, પછી સાધન સાથે” એવો મત યોગ્ય છે.
૧૮ પમી કારિકાનો અનુવાદ આવી રીતે પણ સૂચવી શકાય ? જેમ બીજ વાવવાના સમયે તે બીજને લગાડવામાં આવેલ લાખ વગેરે રંગો તે બીજમાંથી થયેલ વૃક્ષનાં ફળમાં રંગના ફેરફાર વગેરેથી ઉપકારક બને છે.”
૧૮૨મી કારિકામાં પૂર્વ ધાતુ: ૩૧ળ ગુજરાતે પશ્વાત્સાયનેન ! એવો મત રજૂ થયો છે. ૧૪૪મી કારિકામાં પૂર્વ ધાતુઃ સાધન યુગ્રેસે શ્વાકુવાળ ! એવો મત રજૂ થયો છે. ૧૮૪મી કારિકામાં આ બીજ મતને વધારે સ્પષ્ટ કરવામાં આવ્યો છે અને કારિકા ૧૮૫ અને ૧૮૬માં બીજા મતનું ખંડન કરીને પ્રથમ મતને સ્વીકાર્ય ગણવામાં આવ્યો છે.
क्वचित्संभविनो भेदाः केवलैरनिदर्शिताः ।
उपसर्गेण संबन्धे व्यज्यन्ते प्रनिरादिना ॥१८७।। કોઈક સ્થળે, એકલા ધાતુઓ વડે નહિ દર્શાવાયેલા પરંતુ શકય એવા વિશેષ અર્થો, ક, નિન વગેરે ઉપસર્ગો સાથે (ધાતુઓના) સંબંધ થતાં વ્યક્ત થાય છે. (૧૮૭)
વાય અને વાક્યર્થ અંગેના મતોની ચર્ચા કરવામાં આવી. તે અંગે અખંડ વાકયાર્થીનું સ્થાપન કરી, નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત એવાં ચાર પ્રકારનાં પદો અંગે અછડતો ઉલ્લેખ કર્યો પછી, હવે ઉપસર્ગો ધાત્વર્થના દ્યોતક છે કે વાચક છે કે સહકારી છે એવા ત્રણે મતનો ઉલ્લેખ કરવામાં આવશે. આ કારિકામાં ઉપસર્ગો ક્રિયાવિશેષના ઘાતક છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારિકા ૧૮૮માં ત્રણ મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org