________________
બીજુ કાંડ
atવજ્ઞ વૃત્તિમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. લોકમાં વાકયો વડે અને તેમના વિભાગે-પદ–વડે વ્યવહાર કરવામાં આવે છે. પદોના અર્થો અન્વય-વ્યતિરેક વડે જેટલા અને જેવા પ્રાપ્ત થાય તે પ્રમાણે કરવામાં આવે છે. પદોમાં પ્રકૃતિ અને પ્રત્યયોના અર્થો અંગે પાણિનિ જેવા વૈયાકરણએ પોતાના જ્ઞાન પ્રમાણે વ્યવસ્થા કરી છે.
- એક મતમાં પ્રકૃતિ, સ્વાર્થ, લિંગ, દ્રવ્ય, અને સંખ્યા દર્શાવે છે. અન્ય મતમાં પ્રકૃતિ, સ્વાર્થ વ્યક્તિ અને લિંગ દર્શાવે છે અને પ્રત્યય સંખ્યા અને કર્મ દર્શાવે છે. વળી એક મતમાં લિંગ વાય છે, તો બીજા મતમાં તે ઘોતક છે. ઘોતન બે પ્રકારનું છે. જે આવિર્ભૂત નથી તેને દર્શાવવું અને એકને તજીને બીજુ સ્વીકારવું. પહેલા મતમાં ૩૫ાસે વાવતિ વગેરે ઉદાહરણે છે. “સેવા કરે છે” “પુષ્કળ રાંધે છે' એવા દ્યોતક અર્થો, પાસે બેસે છે, બરાબર ચડવે છે એવા વાચ્ય અર્થોને બદલે જાણીતા છે. પ્રતિને બરાબર રહે છે અને પ્રસ્થાન કરે છે' એવા બે અર્થોમાંથી પહેલા અર્થના નિષેધ ઉપરથી બીજા અર્થને નિશ્ચય થાય છે. એ જ પ્રમાણે ૩રપુર અને મમતા સે માં ઊંચું પુછ કરે છે અને ગર્ભધારણ કરે છે તથા સામે આવી કાર્ય કરે છે અને અનુકુળ હોય તેમ વર્તે છે એવા અર્થોમાંથી પહેલા અર્થને તજીને અનુક્રમે બીજો બીજો અર્થ સ્વીકારવામાં આવે છે.
ये शब्दा नित्यसम्बन्धा विवेके ज्ञातशक्तयः।
अम्वयव्यतिरेकाभ्यां तेषामर्थो विभज्यते ॥१६६॥ જે વિભકત્યન્ત) શબ્દ (પિતાના અર્થ સાથે) નિત્ય સંબંધવાળા છે અને (પ્રકૃતિ પ્રત્યાયના) વિભાગથી જેમની (અર્થ) શક્તિએ જાણતી છે તેમના અર્થ, અવય અને વ્યતિરેક વડે સમજાય છે. (૧૬)
यावच्चाव्यभिचारेण तयोः शक्य प्रकल्पनम् ।
नियमस्तत्र न त्वेवं नियमो नुशदशबादिषु ॥१६७।। જ્યાં સુધી કોઈ અપવાદ વિના તે (અન્વય અને વ્યતિરેક)ની કલ્પના શક્ય હેય ત્યાં સુધી જ પ્રકૃતિ પ્રત્યયના અર્થવિભાગ રૂ૫) નિયમ પ્રાપ્ત થશે. આવો નિયમ નુત્, રાજુ વગેરે (આગમ આને પ્રત્ય) માટે પ્રાપ્ત થતું નથી (૧૬૭)
માતામાં ગુરુ નથી છતાં પકડીના અર્થની પ્રાપ્ત છે. બત્તિમાં સન્ નથી છતાં સંખ્યા વગેરે પ્રાપ્ત થાય છે. વૃક્ષાનામ્ અને વતિમાં અનુક્રમે રૂદ્ અને માત્ર સાહાય રૂપે છે. તેમને કારણે અથનું પૃથફત્વ પ્રાપ્ત થતું નથી.
सम्भवे नाभिधानस्य लक्षणत्व प्रकल्पते । आपेक्षिक्यो हि संसर्गे नियताः शब्दशक्तयः ।।१६८।।
(પ્રકૃતિ અને પ્રત્યયના અર્થના) અભિધાનને સંભવ હોય ત્યારે તેમાંના એકનું પણ ઘાતકત્વ કપી શકાય નહિ, કારણ કે (પ્રકૃતિ અને પ્રત્યયના) સંસર્ગમાં તેમની શક્તિઓ પરસ્પર અપેક્ષાવાળી હોવા છતાં નિયત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org