________________
બીજુ કંઠ
એક જલબિન્દુને પણ જલ કહે છે અને નદીસ્ત્રોતને પણ જલ કહે છે. એક શિલા શુભ્ર કહેવાય છે અને હિમાલય પણ શુભ્ર કહેવાય છે. જ્યાં આકૃતિ, સંખ્યા કે પ્રમાણની અપેક્ષા વિના શબ્દસામાન્યને નિશ્ચય થાય છે ત્યાં જે દશ્ય જેવડું હોય તેવડું તેવા શબ્દ વડે વાચ્ય બને છે.
यथा जात्युत्पलादीनां गन्धेन सहचारिणाम् । नित्यसंबन्धिनां दृष्ट गुणोनामवधारणम् ॥१५७॥ संख्याप्रमाणसंस्थाननिरपेक्षः प्रवर्तते ।
बिन्दी च समुदाये च वाचकः सलिलादिषु ॥१५८॥ જેમ જાતિપુષ્પ, કમળ વગેરેના સુવાસ વડે, તેમની સાથે રહેનારા અને હમેશાં સંબંધવાળા (રંગ, આકૃતિ વગેરે) ગુણોનો નિશ્ચય થાય છે;
તેમ (જલ એ શબ્દ) સંખ્યા, પ્રમાણ અને આકારની અપેક્ષા વિના સલિલ અર્થમાં બિન્દુ અને બિન્દુઓના સમુદાયન વાચક બને છે. (૧૫૭-૧૫૮)
આ કારિકા અને કારિકા ૧૫૫, દિગ્ગાગના પ્રમાણમુક્યવના અપહપરિચ્છેદમાં પ્રાપ્ત થાય છે. આ બંને ઉપર ટીકા લખતાં જિનેન્દ્રબુદ્ધિ (ઈ. સ. ૬૫૦-૭૦૦) પિતાની विशालामलवतीभां वे छः सलिलादिषु इति आदिशब्देन पृथिव्यादिपरिग्रहः। संख्यानिरपेक्षत्वेन અવશેષ મુક્યા પ્રકૃત્તિવ શ્યતા આ બે કારિકાઓનો અવતાર કરતાં જિનેન્દ્રબુદ્ધિ લખે છે: क्वचिन्मुख्यावयवेषु प्रवृत्तिः यथाह भर्तृहरिः ।
संस्कारादिपरिच्छन्ने तैलादौ यो व्यवस्थितः ।
आहैकदेशं तत्त्वेन तस्यावयववर्तिना ॥१५९॥ (ગરમ કરવા રૂપી) સંસ્કાર વડે સીમિત બનેલા તેલ (વગેરે અમુક જથ્થાના) અથમાં નિશ્ચિત બનતે તેલ એ શબ્દ, તેના અવયમાં રહેલા સમુદાયના આરોપ વડે અવયવને અર્થ દર્શાવે છે. (૧૫૯)
તેલનું ગરમ થવું અથવા ખારું થઈ જવું એ તેનો વિશિષ્ટ સંસ્કાર દર્શાવે છે; આમ હોવા છતાં આવા તેલ માટે આપણે તેલ શબ્દ વાપરીએ છીએ. અહીં ખેરું તેલ સમગ્ર તેલનું વાચક બને છે, મહાભાષ્યકાર જણાવે છે કે (૧.૪. ૧.૧.૧૪) સમુદાયના અર્થમાં વપરાતા શબ્દો અવયના અર્થમાં પણ વપરાય છે, જેમ કે, થોડુંક તેલ પીધું હેય કે થોડુંક ઘી પીધું હોય તો પણ તેલ પીધું, ઘી પીધું એમ કહીએ છીએ.
येनाथे नाभिसंबंधमभिधानं प्रयुज्यते ।
तदर्थापगमे तस्य प्रयोगो विनिवर्तते ॥१६०॥ જે અર્થ સાથે સંબંધવાળો શબ્દ પ્રયોજાય છે તે અર્થ દૂર થતાં તેને પ્રાગ બંધ થાય છે. (૧૬)
ગ' શબ્દનો અર્થ ગોત્રજાતિ છે. ગો સાથે પ્રાપ્ત ખરીઓ, રૂંવાટી, શિંગડાં વગેરે વિશિષ્ટ ધ ગે શબ્દથી દર્શાવાતા નથી; તે શબ્દના અર્થમાં અન્તભૂત છે, પરંતુ શબ્દાર્થ તો ગોજાતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org