SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંડ भावनानुगतादेतदागमादेव जायते । आसत्तिविप्रकर्षाभ्यामागमस्तु विशिष्यते ॥१५१॥ ભાવનાની સાથે રહેલા આગમથી (આ પ્રતિભા રૂપ જ્ઞાન) ઉત્પન્ન થાય છે, પરંતુ, સંનિધિ અને વિપ્રકષને કારણે આગમ, (પ્રતિભાથી) જુદે સમજાય છે. (૧૫૧) આ કારિકામાંના ભાવના, આગમ, આસત્તિ અને વિપ્રકર્ષ એવા શબ્દોનો ભતૃહરિને અભિપ્રેત અર્થ સ્પષ્ટ થતો નથી. પૂર્વ જન્મના સંસ્કારવિશેષ એટલે ભાવના. આ ભાવના તે તે પ્રાણીની જતિને યોગ્ય વ્યવહાર માટે કારણરૂપ બને છે. આગમ એટલે શબ્દ અહીં ભાવનાનુગત આગમ એટલે શબ્દભાવના એમ પણ સમજી શકાય. આ શબ્દભાવના પ્રતિભાના મૂળમાં છે એમ પુણ્યરાજના શબ્દો વતમાળા ર૬ gવ મૂત્રમાદું -માંથી સમજી શકાય છે. આસતિ એટલે સંનિધિ અર્થાત આ જન્મ અને વિપ્રક" એટલે દૂરવ અર્થાત જન્માક્તર. શબ્દભાવના આ જન્મમાં પ્રાપ્ત થયેલ અથવા જ-માસ્તરમાં પ્રાપ્ત થયેલ પણ હોઈ શકે. स्वभावचरणाभ्यासयोगादृष्टोपपादिताम् । विशिष्टोपहितां चेति प्रतिभां षड्विधां विदुः ॥१५२॥ સ્વભાવ, ચરણ, અભ્યાસ, એગ અને અષ્ટથી ઉત્પન્ન થતી તથા વિશિષ્ટ વ્યક્તિઓમાં રહેલી એમ છ પ્રકારની પ્રતિભા સમજવામાં આવે છે. (૧૨) વાનરનું વૃક્ષશાખાઓ પર કૂદવું સ્વભાવને કારણે છે, પ્રકૃતિમાંથી મહત વગેરેની ઉત્પત્તિ પણ આવા સ્વભાવને લીધે છે, નિદ્રામાંથી જાગ્રદેવસ્થામાં આવવું તે પણ આવું સ્વભાવપ્રાપ્ત છે. ચરણ એટલે પિતાની વેદશાખાના આદર્શો પ્રમાણે તપ, સ્વાધ્યાય વગેરે રૂ૫ આચરણ. વસિષ્ટ વગેરે ઋષિઓનું વિશિષ્ટ જ્ઞાન આ કારણે હતું. અભ્યાસ એટલે એક ચોક્કસ કાર્યનું પુન: પુન: આચરણ. કૃ છેદનારને તેના કાર્યના સતત અભ્યાસને લીધે અમુક ચોક્કસ સ્થળે પાણી હશે જ એવું પ્રતિભાશાન હોય છે. રોગને કારણે અનેક પ્રકારની સિદ્ધઓની પ્રાપ્તિરૂપી જ્ઞાન થાય છે. રાક્ષસે, પિશાચ વગેરેનું અન્યના શરીરમાં પ્રવેશવારૂપ જ્ઞાનનું કારણ અદષ્ટ છે. વિશિષ્ટ એટલે અસામાન્ય વ્યક્તિત્વવાળા પુરુષે. તેમનામાં અસાધારણ પ્રતિભા રહેલી હોય છે. જેમકે કૃષ્ણદ્વૈપાયન વ્યાસે પિતાની વિશિષ્ટ પ્રતિભાથી સંજયને મહાભારત યુદ્ધનાં પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં હતાં. આમ પ્રતિભા અનેક પ્રકારની હોવા છતાં આગમવચનોથી જ અભિવ્યક્ત બને છે. પ્રલયકાળે વ્યાકરણનિષ્ઠ પ્રકૃતિ પ્રત્યય વ્યવહાર સંભવ નથી. બધી ભૌતિક શકિતઓ પ્રકૃતિરૂપ મહાશક્તિમાં અન્તલીન બનીને રહે છે. પશ્યન્તીરૂપ આ શબ્દશક્તિ ક્રમે ક્રમે મધ્યમા અને વખરીની સ્થિતિ પ્રાપ્ત કરીને વર્ણ, પદ અને વાક્યમાં નિયત અવસ્થામાં પરિણમે છે, અને વ્યવહારમાં વ્યક્તરૂપ ધારણ કરે છે. વા–૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy