________________
ર
વાયદીય અનિર્ધારિત રૂપવાળી હોવા છતાં (શબ્દોના અર્થોના સંસર્ગને તે જણાવે છે. (વાકયાર્થના) સમગ્ર રૂપને તેણે પ્રાપ્ત કર્યું હોય તેમ (અર્થની અભિવ્યક્તિનો) તે વિષય બને છે. (૧૫)
साक्षाच्छब्देन जनितां भावनानुगमेन वो ।
इतिकर्तव्यतायां तां न कश्चिदतिवर्तते ॥१४६॥ (અનેક શાસ્ત્રોના અભ્યાસ રૂપ) શબ્દગ્રહણ વડે અથવા પૂર્વજન્મની ભાવનારૂપ જ્ઞાન વડે ઉત્પન્ન થયેલી તેને વ્યવહારમાં કઈ ઉલ્લંઘતું નથી. (૧૪૬)
प्रमाणत्वेन तां लोकः सर्वः समनुगच्छति ।
समारम्भाः प्रतायन्ते तिरश्चामपि तद्वशात् ॥१४७॥ તેને આખું જગત પ્રમાણ રૂપે સ્વીકારે છે. પશુઓના વ્યવહાર પણ તેને કારણે જ પ્રસરતા રહે છે. (૧૪૭)
यथा द्रव्यविशेषाणों परिपार्केरयत्नजाः। ___ मदादिशक्तयो इप्टाः प्रतिभास्तद्वतां तथा ॥१४८॥ (મહુડાં, ગેળ વગેરે) વિશિષ્ટ દ્રવ્યના પરિપાક(માત્ર)થી, માદકતા વગેરે શક્તિઓ, પ્રયત્ન વિના સિદ્ધ બને છે, તે જ પ્રમાણે પ્રતિભા વાળી વ્યક્તિઓની પ્રતિભા પણ પ્રયત્ન વિના સિદ્ધ બનેલી) હોય છે. (૧૪૮)
स्वरवृत्ति विकुरुते मधौ पुस्कोकिलस्य कः ।
जन्त्वादयः कुलायादिकरणे शिक्षिताः कथम् ॥१४९।। વસંત ઋતુમાં પુષ્કોકિલના અવાજને (વિશિષ્ટ પંચમ સ્વરમાં) કેણુ ફેરવી નાંખે છે? કળિયા વગેરેને જાળાં વગેરે બાંધવાનું કેવી રીતે શિખવવામાં આવ્યું હશે? (૧૪૯)
आहारप्रीत्यपद्वेषप्लवनादिक्रियासु कः ।
जात्यन्वयप्रसिद्धासु प्रयोक्ता मृगपक्षिणाम् ॥१५०॥ જાતિ કુલ વગેરે પ્રમાણે જાણીતી આહાર, પ્રીતિ, ષ અને (જળમાં) તરણ વગેરે ક્રિયાઓમાં પશુઓને અને પંખીઓને કણ પ્રેરે છે? (૧૫)
બિલાડી માટે ઉંદરને આહાર, કુતરાનો માલિક તરફને પ્રેમ અને સાપ-નાળિયો વગેરેના પરસ્પર દેખ તેમની વિશિષ્ટ જાતિ અને કુળ પ્રમાણે જાણીતા છે. ભેંસ, ઘોડા વગેરેને જળમાં તરવાનું જાતિપ્રસિદ્ધ છે. આ સઘળું નિયત અને અનાદિ પ્રતિભાથી પ્રાપ્ત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org