________________
૦
વષષીય
वक्त्रान्यथैव प्रक्रान्तो भिन्नेषु प्रतिपत्तषु ।
स्वप्रत्ययानुकारेण शब्दार्थः प्रविभज्यते ॥१३५॥ વક્તાએ જુદી જુદી રીતે અર્થ જ્ઞાન માટે પ્રયુક્ત કરેલા શબ્દને, જે શ્રોતાઓ જુદાજુદા હોય તો તેમની સમજણ પ્રમાણે જુદો જુદો અર્થ પ્રાપ્ત થાય છે. (૧૩૫)
જો વૈશેષિકે એ ઘટ શબ્દને અવયવવાન દ્રવ્ય તરીકે સમજાવવા પ્રયોજે હોય તે સાંખ્યો તેને ગુણસમાહારરૂપ અને જેને અને બૌદ્ધો પરમાણુસંચયરૂપે સમજશે.
एकस्मिन्नपि दृश्येऽर्थे दर्शन भिद्यते पृथक् । .
कालान्तरेण चैकोऽपि तं पश्यन्त्यन्यथा पुनः ॥१३६॥ કેઈ એક જ દશ્ય પદાર્થમાં તે એકરૂપ હોવા છતાં શાસ્ત્રસિદ્ધાન્તની ભિન્નતાને કારણે કે ઈવાર તેનું) દર્શન ભિન્ન જણાય છે. અને વળી બીજી વ્યક્તિ તેને બીજે સમયે (અન્યશાસ્ત્રસિદ્ધાન્તની વાસના પ્રમાણે) ફરીવાર જુદી રીતે સમજે છે. (૧૩)
एकस्यापि च शब्दस्य निमित्तैरव्यवस्थितैः ।
एकेन बहुभिश्चाएँ बहुधा परिकल्प्यते ॥१३७॥ (શાસ્ત્રસિદ્ધઃોરૂપ) જુદાં જુદાં નિમિત્તોને કારણે એક વ્યક્તિ વડે તેમજ અનેક વ્યક્તિઓ વડે ઘટ શબ્દના અર્થને અનેક પ્રકારે કલ્પવામાં આવે છે. (૧૩૭)
तस्माददृष्टतत्त्वानां सापराधं बहुच्छलम् ।
दर्शनं वचनं वापि नित्यमेवानवस्थितम् ॥१३८॥ તેથી તત્ત્વદર્શન વિનાની વ્યક્તિએનું દર્શન ભૂલવાળું અને ઘણું મુશ્કેલીઓ વાળું હોય છે અથવા તેમનું વચન પણ હંમેશાં અવ્યવસ્થિત હોય છે. (૧૩)
સ્વશાસ્ત્રસિદ્ધાન્તની વિગતો પ્રમાણે વ્યક્તિ કે વ્યક્તિએ શબ્દાર્થને જુદી જુદી રીતે સમજે છે. તેથી શબ્દાર્થનું દર્શન અને તે પ્રમાણે શબ્દ વડે કથન કેઈ એક વ્યક્તિનું કે અનેક વ્યક્તિઓનું હમેશાં એકસરખું હોતું નથી. વળી એક જ વ્યક્તિનું દાન તેના પિતાના સિદ્ધાતદર્શનમાં ફેરફાર થતાં કાલાન્તરે જુદું પ્રાપ્ત થાય છે. અહીં અનુવાદ વાવ એવો પાઠ લઈને કર્યો છે. જુદાંજુદી અવ્યવસ્થિત કારણે અનેક અર્થપ્રકારે માટે જવાબદાર હોય છે.
ऋषीणां दर्शनं यच्च तत्त्वे किञ्चिदवस्थितम् ।
न तेन व्यवहारोऽस्ति न तच्छब्दनिबन्धनम् ॥१३९॥ ઋષિઓનું કેટલુંક દર્શન તત્ત્વસંગત હોય છે, પરંતુ તેનાથી લેકવ્યવહાર સંભવતું નથી. અને શબ્દાર્થને વ્યક્ત કરવાનું કારણ પણ તે બનતું નથી. (૧૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org