________________
૧૦૯
બીજુ કાંડ
अशक्तेः सर्वशक्तेर्वा शब्दैरेव प्रकल्पिता।
एकस्यार्थस्य नियता क्रियादिपरिकल्पना ॥१३॥ શક્તિઓ વિનાના કે બધી શક્તિઓવાળા એક અર્થની (જાતિ, ગુણ), ક્રિયા વગેરે રૂપે નિયત કલ્પના શબ્દો વડે જ નકકી કરવામાં આવે છે. (૧૩૧)
અહીં પદવાદીના બે મત રજૂ થયા છે. અર્થમાં પૃથક શક્તિ હોતી નથી પરંતુ. તે શબ્દાધીન છે. બીજા મતમાં અથમાં બધી શક્તિઓ હોય છે. અને તે બધી શબ્દાધીન છે.
यो वार्थी बुद्धिविषयो बाह्यवस्तुनिबन्धनः ।
स बाह्यं वस्त्विति ज्ञातः शब्दार्थ इति गम्यते ॥१३२॥ (શબ્દ શક્તિ વડે) બુદ્ધિનો વિષય બનેલ જે અર્થ (આત્યંતર હોવા છતાં) બાહ્ય પદાર્થ ઉપર આધાર રાખે છે, બાહ્ય પદાર્થ રૂપે જાણેલે તે, શબ્દના અર્થ રૂપે સમજાય છે. (૧૩૨)
आकारवन्तः संवेद्या व्यक्तिस्मृतिनिबन्धनाः ।
एते प्रत्यवभासन्ते संविन्मानं त्वतोऽन्यथा ॥१३३॥ (શબ્દો વડે) સંવેદ્ય બનતા જે અર્થો વ્યક્તિગત સ્મૃતિ પર આધાર રાખે છે તે વિશિષ્ટ આકારવાળા સમજાય છે. જે અર્થો તેથી જુદા (= સ્મૃતિ પર આધાર રાખનારા નથી, તે માત્ર સંવિદ્ રૂપ છે (૧૩૩).
જે અર્થે સ્મૃતિદર્શનથી વિશિષ્ટ આકાર પ્રાપ્ત કરે છે તેના મૂળમાં અગાઉ સાંભળેલ કે જોયેલ અર્થોરૂપી સંકેત હોય છે. જે અર્થે આવી, સ્મૃતિદર્શનની સ્પષ્ટ અભિવ્યક્તિથી પ્રાપ્ત થતા નથી તે અર્થાત અપૂર્વ, દેવતા, વર્ગ વગેરે શબ્દો આકાર વિશેષ વિનાનું માત્ર જ્ઞાનરૂપ દર્શાવે છે. પદવાદીને આ અગિયારમો મત છે.
यथेन्द्रियं सन्निपत द्वैचित्र्येणोपदर्शकम् ।
तथैव शब्दादर्थस्य प्रतिपत्तिरनेकधा ॥१३४॥ વિષય સાથે એકરૂપ બનતી (ચક્ષ) ઈન્દ્રિય જેમ (વિષયના) વિવિધ આકારે દર્શાવે છે તેમ શબ્દમાંથી અર્થનું અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૧૩૪).
પદવાદીનો આ બારમે મત છે. ચક્ષુ ઈન્દ્રિયની કોઈ ખામીને કારણે પદાર્થો વિવિધ આકારરૂપે પ્રાપ્ત થાય તેમ પિતાની વિશિષ્ટ વાસનાથી પૂર્ણ ચિત્તવાળાઓનો શબ્દાર્થબંધ પણ જુદા જુદા હોય છે. આમ હોવાથી શબ્દને કેઈ નિયત એક અર્થ સંભવે નહિ. સરખો પુણ્યરાજ:
अविपरीतमप्यर्थ मिन्द्रियदोषवशान्नानारूपमवभासयति यथा, तथैव नियतवासनाबासितचेतसा શકાતીતિરિત નાતિ અશ્વિનિયત પ્રશ્ન: શકહ્યાર્ચઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org