SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંડ नियतास्तु प्रयोगा ये नियतं यच्च साधनम् । तेषां शब्दाभिधेयत्वमपरैरनुगम्यते || १२५ ॥ ક્રિયા શબ્દોના સાધન સાથેના જે નિયત સંબંધો છે અને જે (કર્તા, કરણ વગેરે) સાધના નિયત છે તેનુ શબ્દો અભિધાન કરે એમ ત્રીજા આચાર્ચો કહે છે. (૧૨૫) બંધ કરા (વિષેત્તિ) એવા ક્રિયાશબ્દને બારણું (દ્વારÇ) સાથેને સંબંધ નિયત છે. એ પ્રમાણે સેામ વડે (સોમેન) એમ ખેલતાં યજ્ઞ કરવા (યજ્ઞેત) એવા ક્રિયાશબ્દ સાથે સાધનના નિયત સંબધ પ્રાપ્ત થાય છે. આમ શબ્દનું અભિધાન સાધ્યસાધનાત્મક છે. પદ્મવાદીના આ ત્રીજો મત છે. ૧૦ समुदायोऽभिधेयो वाप्यविकल्पसमुच्चयः । અસત્યો વાષિ સંઘ રાખ્વાર્થ: શિષ્યન્તે ।।૧૨।। અર્થાંના વિકલ્પ કે સમુચ્ચય વિનાના સમુદાય અથ નું અભિધેય છે. ખીજા કેટલાક આચાર્ચો (દ્રવ્યના જાતિ વગેરે સાથેના) અસત્યરૂપ સંસને શબ્દના અર્થ તરીકે સ્વીકારે છે. (૧૨૬) વ Jain Education International પદ્મવાદીને આ ચેાથેા અને પાંચમે મત છે, પદને અથ સમુદૃાય માનીશું; પણ જો તેમાં અનેક વિકલ્પેના સ્વીકાર થાય તેા વચન અંગે નિશ્ચય નહિ થાય અને જે અનેકને સમુચ્ચય તેમાં સ્વીકારીએ તે બહુવચન પ્રાપ્ત થાય. તેથી સમુચ્ચય અને વિકલ્પ વિનાના સમુદાય અભિધેય છે એમ કહ્યું છે. આ ઉપરથી એટલું તે પ્રાપ્ત થશે જ કે સમુદાયરૂપ અભિધેયમાં સખ્યાના નિશ્ચય થતા નથી. વન એમ ખેલતાં ધવ, ખદિર કે પલાશ જેવાં વૃક્ષોની વિકલ્પે પ્રતીતિ થતી નથી; એટલુ જ નહિ પણ તે બધાંના સમુચ્ચયની પ્રતીતિ પણ થતી નથી. બ્રાહ્મણ શબ્દ ઉચ્ચારવાથી તપ કે જાતિ કે જ્ઞાન એવા વિકલ્પાની પ્રતીતિ થતી નથી અને તેમના સમુચ્ચયની પણ પ્રતીતિ થતી નથી.(સરખાવા તવસંત્રદ્ ઉપરની વષ્નિા રૃ. ૨૮૪) પુણ્યરાજ જણાવે છે કે માલમુદ્દેશમાં અવિચાર પ્રસંગે આના વિસ્તાર કરવામાં આવશે. આવા કેાઈ સમુદ્દેશ હાલ પ્રાપ્ત થતા વાચીયમાં મળતા નથી. ઘટ વગેરે દ્રવ્ય સિવાય ઘટત્વ તિ અનુપલબ્ધ હાઈ કેટલાક આચાર્યાં ધદ્રવ્યને ઘટાતિ સાથેના સંસગ શબ્દનુ અભિધેય છે એમ સ્વીકારે છે. બૌદ્ધો અપેાહથી ભિન્ન એવી જતિ સ્વીકારતા નથી. અદ્વૈત વેદાન્તીએ પણ જાતિના સ્વીકાર કરતા નથી અને સાંખ્યા દ્રવ્યને જાતિ, ગુણુ અને ક્રિયાને સમૂહ સમજે છે, તેથી ઘટને ઘટત્વતિ સાથેના સસ અસત્ય સમજવે! જોઈએ. તત્ત્વતંત્ર પૃ. ૨૮૪માં અસત્યો વાવિ સંસ† એવા પાઠ મળે છે. અસત્યોાધિ સંસર્ગ:। એવા પાઠ લેવાથી અસત્યરૂપ ઘટત્વજાતિ સાથેને સ`સગ॰ એવા અય થશે. , For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy