________________
૧૦૭
વાપરીય
(જાતિ વગેરે) કેટલાક ભેદો તેમનું અભિધાન કરનારા શબ્દો વડે સ્પષ્ટ થાય છે, જ્યારે બીજા કેટલાક પછીથી ઉત્પન્ન થનારા અર્થોના ભેદો)ને પણ શબ્દના અર્થ તરીકે સમજવામાં આવે છે. (૧૨) ' શબ્દના અર્થ અંગે એમ કહી શકાય કે શબ્દ તેની જાતિ વગેરેનું અભિધાન કરે છે અને પછી પ્રાપ્ત થતા આકારવિશેષરૂપી ભેદનું પણ અભિધાન કરે છે : અવા આકારવિશેષ રૂપી અથભેદો અર્થ સામાન્યની પ્રાપ્તિ થયા પછી થતા હોવાથી તેમને અનનિપાદી કહેવાશે.
जातेः प्रत्यायके शब्दे या व्यक्तिरनुषङ्गिणी ।
न तद् व्यक्तिगतान्भेदान जातिशब्दोऽवलम्बते ॥१२२।। જાતિને બંધ કર = નારા શબ્દનું ઉચ્ચારણ થતાં જાતિ સાથે સંબંધવાળી જે વ્યક્તિને બંધ થાય છે તે વ્યક્તિમાં પ્રાપ્ત થનારા ભેદોનું અભિધાન જાતિ શબ્દ કરતું નથી. (૧૨)
જાતિ શબ્દ જાતિમાત્રનો બેધ કરાવે છે. શબ્દમાંથી પ્રાપ્ત થનાર જાતિ સાથે વ્યક્તિ અવિભાજ્યપણે સંબંદ્ધ હોવાથી વ્યક્તિને પણ બંધ થશે. છતાં જાતિ વ્યક્તિગત વિશેષોને બંધ કરાવશે નહિ. કા ૧૨૧માં રજૂ થયેલા મતનું કારિકા ૧૨૨-૧૨૪માં ખંડન કરવામાં આવ્યું છે.
घटादीनां न चाकारान्प्रत्यायति वाचकः ।
वस्तुमात्रनिवेशित्वात्तद्गतिर्नान्तरीयका ॥१२३॥ (અર્થને) વાચક (શબ્દ), વિશેષ વિનાના વસ્તુમાત્ર સાથે રહ્યો હોવાથી ઘટ વગેરેના આકારે (વગેરે)ને બધ કરાવતું નથી. તેવા આકારવિશેષનો બાધ આનુષંગિક (૧૨૩) છે.
“નાન્તરીયકને સામાન્ય અર્થ અવિભાજ્ય અથવા આવશ્યક લેવાય છે. અહીં આનુષગિક અર્થાત પછીથી ઉત્પન્ન થનાર, અનુનિષ્પાદી એવો અર્થ સમજીશું.
क्रिया विना प्रयोगेण न दृष्टा शब्दचोदिता ।
प्रयोगस्त्वनुनिष्पादी शब्दार्थ इति गम्यते ॥१२४॥ (ક્રિયા)શબ્દ વડે પ્રેરેલી ક્રિયા, (ર્તા, કરણ વગેરે સાધનવાચક શબ્દના) સંબંધ વિના પ્રાપ્ત થતી નથી, તેથી ક્રિયાને સાધન સાથેનો સંબંધ આનુષંગિક બાધ કરાવનાર શબ્દાર્થ સમજવામાં આવે છે. (૧૨૪)
અહીં પ્રગ એટલે યત વગેરે ક્રિયાશબ્દનો કતી, કર્મ, કરણ વગેરે સાધનવાચક શબ્દ સાથે સંબંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org