________________
બીજુ કાંડ
વનમાંથી વૃક્ષ લાવો અને ‘વનમાંથી કેયલ લાવો” એ બે વાકયમાં કશું સામ્ય નથી. બંને અત્યંત વિલક્ષણ વાક છે. વનમાંથી અને લાવો એવા શબ્દો સમાન છે, તેથી સમાન વાક બનતાં નથી. આનું કારણ એ છે કે અખ ડ વાયાર્થવાદી વૈયાકરણ સમજે છે કે સ્વતંત્ર પદોનું જુદું અસ્તિત્વ નથી. બધાં જ પદે મળીને એક વાક્ય બને છે. તેમાં અખંડત્વ રહેલું છે. વૃક્ષને બદલે કોયલ શબ્દ મૂકવાથી બંને વાકયો જુદાં જ થયાં સમજવાં.
एकस्य भागे सादृश्यं भागे भेदश्च लक्ष्यते । निर्भागस्य प्रकाशस्य निर्भागेणैव चेतसा ॥९३।। तथैव भागे सादृश्यं भागे भेदोऽवसीयते ।
भागाभावेऽपि वाक्यानामत्यन्तं भिन्नधर्मणाम् ।।९४।। જેમ (પીળું, લાલ વગેરે અનેક ભાગ અન્નહિત હોવા છતાં (વાસ્તવમાં) ભાગ વિનાના (ચિત્ર) જ્ઞાનના, નિભંગ મનને કારણે, એક ભાગમાં (અન્ય સાથે) સાદય અને બીજા ભાગમાં ભિન્નતા જણાય છે; તેમ અત્યંત ભિન્ન ધર્મોવાળા વાક્યોમાં ભાગનો અભાવ હોવા છતાં તેમના એક ભાગમાં સદશ્ય અને બીજા ભાગમાં ભેદ કપવામાં આવે છે. (૯૩૯૪)
અહીં પ્રકાશનો અર્થ જ્ઞાન કરીશું. એક સળંગ ચિત્રના અખંડ જ્ઞાનમાં (વાસ્તવમાં, આપણું ચિત્ત પણ અખંડ જ્ઞાનબોધક હોવાથી) ભાગભેદ વિનાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે; આમ હોવા છતાં એક ચિત્તમાં અનેક રંગે પૂર્યા હોવાને કારણે એક ભાગમાં કાળું અને લાલ એમ ભાગભેદ જણાય છે. અહીં કાળું સાથે સદશ્ય અને લાલ અને પીળું વચ્ચે ભેદ જણાય છે. - આ પ્રમાણે “વનમાંથી વૃક્ષ લાવો” અને “વનમાંથી કોયલ લાવોમાં વનમાંથી લાવે પૂરતું સદશ્ય અને વૃક્ષ અને કેયલ વચ્ચે ભેદ જણાય છે.
रूपनाशे पदानां स्यात्कथं चावधिकल्पना ।
अगृहीतावधौ शब्दे कथं चार्थो विविच्यते ॥९५।। (સંધિ થવાથી) પદોનું રૂપ નષ્ટ થતાં તેમની મર્યાદા કેવી રીતે સમજાય? અને શબ્દની મર્યાદા નકકી થયા વિના અને નિશ્ચય કેવી રીતે થઈ શકે? (૫)
ધ્યાનચા (દહીં લાવે), પીટ્ટ તિતિ (અહીં દહીં છે) વગેરે વાકયમાં ધિનું રૂપ વિનષ્ટ થઈને અને ધી થયું છે. આમ થવાથી હૃધ્ય કે સંધી પદ સંધિનો જ અર્થ દર્શાવશે એવી મર્યાદા કેવી રીતે સમજાશે ?
संसर्ग इव रूपाणां शब्देऽन्यत्र व्यवस्थितः । नानारूपेषु तद्रप तन्त्रेणापरमिष्यते ॥९६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org