________________
વાકયપદીય
જેમ અનેક ગૌણ વાક્યોના બનેલા એક મહાવાકયમાં અથધકતા પ્રમાણે નાનાં વાકયે પ્રાપ્ત થાય છે અને તેથી અખંડ વાકયાને કશો બાધ આવતો નથી તેમ અખંડ વાકયમાં પદોના અર્થને સ્વીકારવામાં પણ કશો બાધ આવતો નથી. શક્તિભેદને કારણે અવાન્તર વાકય અને પદોને અર્થ પણ જુદે પ્રાપ્ત થશે. આવી સ્થિતિ પરસ્પર વિરોધી નથી આમ કહેવા માટે પુખરાજ બદ્ધસિદ્ધાન્તનું ઉદાહરણ આપે છે બૌદ્ધ નિવિભાગ અને વ્યક્તિરૂપ દ્રવ્યને એક બાજુ સ્વીકારે છે અને સાથે સાથે અહ (ઈતર વ્યાવૃત્તિ)ને આધારે જાતિને સ્વીકારે છે.
સરખાવો : પુણ્યરાજ : યથા શાને નિર્વિમેવ સોજવસ્ત્રક્ષ કરવું स्वलक्षणमभ्युपगम्यते तत्तदितरपदार्थव्यावृत्तिसमाश्रयणेन च जात्या दिव्य पहारः कश्चिन्निर्वाह्यते !
यथैवैकस्य गन्धस्य भेदेन परिकल्पना ।
पुष्पादिषु तथा वाक्येऽप्यर्थभेदो विधीयते ॥८९॥ જેમ ફૂલ (ચંદન) વગેરે જુદાં જુદાં દ્રમાં રહેલ એક જ સુવાસ જુદી જુદી સમજાય છે તેમ (અખંડ) વાકયમાં પણ (અવાન્તર વાકો, શબ્દસમૂહો, શબ્દો વગેરેમાંથી) અર્થભેદ સમજાવી શકાય છે (૮૯)
गवये नरसिंहे चाप्येकज्ञानादृते यथा । भाग जात्यन्तरस्यैव सदृशं प्रतिपद्यते ॥९०।। अप्रसिद्ध तु यं भागमदृष्टमनुपश्यति । तावत्यसंविद मूढः सर्वत्र प्रतिपद्यते ॥९१॥ तथा पिकादियोगेन वाक्येऽत्यन्तविलक्षणे ।
सदृशस्यैव संज्ञानमसतोऽर्थस्य मन्यते ॥९२।। ગવયમાં કે નરસિંહમાં કોઈ એક(જાતિ)નું જ્ઞાન ન હોવા છતાં, ગવયના એક ભાગ અને નરસિંહના એક ભાગનું જાત્યન્તર સાથેનું સામ્ય જેમ સમજાય છે; અને જ્યારે અજ્ઞાની સમજે છે કે તેણે (ગવયનો અવ એવો) જેભાગ વ્યવહારમાં અપ્રસિદ્ધ છે તેને જોયો નથી ત્યારે તેટલા પૂરતું (સંપૂર્ણ ગવાય અંગે) તે અજ્ઞાનને જ પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે વિઝ (કોયલ) વગેરેના ઉપગથી વાક્ય અત્યંત જુદું બન્યું હોય ત્યારે અજ્ઞાની (વાસ્તવમાં) અવિદ્યમાન અર્થના જેવા (અર્થની) કલ્પના કરે છે. (૯૦-૯૨)
ગવાય એક પશુવિશેપનું નામ છે; અશ્વ અને ગાયના સંબંધથી તે ઉત્પન્ન થાય છે. તેમાં ગાયનાં લક્ષણો કંઈક અંશે વધારે સ્પષ્ટ હોય છે. ગવયમાં ગેત્વ પ્રાપ્ત થતું નથી. તે જ પ્રમાણે નરસિંહમાં નરત્વ કે સિંહ પ્રાપ્ત થતુ નથી. પરંતુ અજ્ઞાની જન આવા ગોત્વ વગેરેની કલ્પના કરે છે. અવિદ્યમાન એવા વગેરેની કલ્પના ભ્રમમૂલક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org