SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ વાષપદીય જે સાધ્ય અત્યંત પરાર્થે છે તેને શું કહે છે. áનવનિત (તેઓ ડાંગરને ખાંડે છે)માં ત્રીfટ્ટ શેષી છે અને અવઘાત શેષ છે. લોકવ્યવહારમાં રાજા શેષી છે, તેને માટે કરવામાં આવતાં કાર્યો શેષ છે. વ્યાકરણશાસ્ત્રમાં વિધિશાસ્ત્ર શેષ છે, સંજ્ઞા પરિભાષાદિ શેષ છે. પ્રધાન અને શેષ કાર્યોના ક્રમને વિનિયોગક્રમ કહે છે. યજ્ઞકાર્યોમાં કેટલાંક કાર્ગો સાક્ષાત્ ઉપકારક છે તો બીજા કેટલાંક પરોક્ષ છે. વેદમાં દશ પૂર્ણ માસમાં વ્રીહિનું અવહનન સાક્ષાત ઉપકારક છે, જ્યારે પ્રયાજ પરોક્ષ રીતે ઉપકારક છે. લેકવ્યવહારમાં પિતાને માટે ઘડાવેલાં ઘરેણું સાક્ષાત ઉપકારક છે, સ્ત્રીપુત્રાદિક માટેનાં ઘરેણાં પિતાને સાક્ષાત્ ઉપકારક નથી. વ્યાકરણશાસ્ત્રમાં પ્રત્યય માટે પ્રકૃતિ સાક્ષાત ઉપકારક છે. પ્રકૃતિનો વિશેષ દૂરથી (મારા) ઉપકારક છે. शक्तिव्यापारभेदोऽस्मिन्फलमत्र तु भिद्यते । संबन्धाज्झानभेदोऽयं भेदस्तत्राविवक्षितः ।।८३।। અહીં શક્તિ અને વ્યાપારની ભિન્નતા છે, અહીં (બીજ) ફલની ભિન્નતા છે. અહી (કેઈકની સાથેના સંબંધને કારણે ભેદ સમજાય છે. (અને) ત્યાં ભેદ વિવાક્ષેત નથી. (૮૩) શક્તિ વ્યાપારભેદ-વાવાઝૂ વિડ્યો તે વાદ વિવોતરે છે અને વાદ વિથો તે (વાદળમાંથી, વાદળમાં, વાદળ, ચમકે છે) આવાં ત્રણ વાકોમાં વાદાને અપાદાન, અધિકરણ અને કર્તા એમ ત્રણ પ્રકારના ભિન્ન રૂપવાળી શક્તિઓમાં દર્શાવ્યો છે. વ્યાપારભેદ વિવક્ષા પ્રાપ્ત છે. ધનષ વડે વીધે છે'માં માત્ર શક્તિભેદ છે, વ્યાપારભેદ નથી. કારણકે અહીં ધનુષની કરણશક્તિ અપાદાન શક્તિને અન્તભૂત કરીને રહી છે. એટલે વ્યાપારભેદ સંભવતો નથી, કારણકે વ્યાપારભેદને પ્રયોજક શકિાભેદ છે. ફતભેદ-કર્મરૂપની ભિન્નતાને આધારે ફલભેદ સમજાય છે; જેમકે, એક દાનધર્મનાં આયુ, આરોગ્ય, સંપત્તિ વગેરે જુદાં જુદાં ફળ હોય છે. ઘણી વાર અનેક ક્રિયાઓનું એક જ ફળ હોય છે. અનેક માણસો ઘણી વાર એક વિવાદાસ્પદ બાબત માટે ભેગા મળીને નિશ્ચય કરે છે (સરખા વાવીય ૨ રૂ૭૬). સબધજ ભેદ-ધાતુના ઉપાત્ત ક્રિયા સાથેના સંબંધના ભેદને સંબંધજ ભેદ કહે છે જેમકે. વવતિ, વન વગેરે ક્રિયારૂપમાં રાંધવાનું કાર્ય છે, પરંતુ કર્તાઓમાં (સંખ્યા)ભેદ હેવાથી તે ભિન્ન લાગે છે - - અવિવક્ષિત ભેદ અને અભેદ કહે છે. પરવા કોઢ મુતા (ભાત રાંધીને તે જમે છે)માં સમાનતૈયો: પૂર્વેના વા ! ( વા. સૂ. ૩ ૪.૨ ૧ સમાન કર્તાવાળા બે ધાતુઓમાંથી પહેલી ક્રિયા દર્શાવનાર ધાતુને કરવા પ્રત્યય થાય છે) સૂત્રથી કર્તા અને કર્મના ક્રિયાભેદને કારણે શક્તિભેદ પ્રાપ્ત થાય છે, પરંતુ તેની વિવક્ષા નહિ હોવાથી તેને અવિવક્ષિતભેદ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy