SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંડ આ કારિકાઓના ગુજરાતી અનુવાદમાં વાકયધર્મો અંગે તૃહરિએ વાપરેલા પારિભાષિક શબ્દોના ગુજરાતી પર્યાયે આયા નથી, પરંતુ ટિપ્પણમાં તેમને પૂરેપૂરા સમજાવ્યા છે. આ સમજૂતીમાં પુણ્યરાજદીકાની અને સંવર્ગની મદદ લેવામાં આવી છે. પ્રાસંગિક-ગુરુજી કેટલાક વિદ્યાર્થીઓને અધ્યાપન કરાવતા હોય ત્યારે બીજે અભ્યાસાથીસમૂહ આવે તો બધા સાથે બેસી અધ્યયન કરે, જુદું અધ્યાપન કરાવવાની જરૂર ને હે. અહીં બે અધ્યયનકાર્યો થવાનાં હતાં. બંનેનું પ્રયોજકરૂપમાં સામર્થ્ય પ્રાપ્ત છે. એકના પ્રોગથી બીજુ, તેની સાથે સંબદ્ધ હોઈ, પ્રયોજક બનતું નથી. આને પ્રસંગ કહે છે. (ચર્થ ઘન: શ્રવારેળાર્ધ પ્રતિવસે સ g૪ રૂત્યુથસે . મામાથરીપિwા પૃ. ૪૫), આંબાનાં વૃક્ષોને જળ છાંટયું અને પિતૃઓ ખુશ થયા” એવા ઉદાહરણમાં પિતૃ અપ્રયોજક છે પરંતુ પ્રસંગથી તેમની કાર્યસિદ્ધિ થાય છે. વદમાં પણ “અગ્નિ અને સેસ માટે પશુને હણે છે અને તેની ચરબીથી અગ્નિ અને સોમ માટેનો પુરાડાશ હવિ આપે છે'' (શતપથગ્રાહ્મણ અ. ૨૨૭૧) એવા ઉલ્લેખમાં પુરાડાશનું નિર્વાન પ્રાસંગિક છે વ્યાકરણમાં સર્વાઢીનિ સર્વનામાનિ (સર્વથી શરૂ થતા શબ્દ સર્વનામ છે, વા. . )માં સર્વનામસંજ્ઞાકરણની સાથે સાથે નૂ ને જૂ થતો નથી, તે પણ પ્રસંગથી જણાવાયું છે. તંત્ર-અભ્યાસાથી છાત્રે રાત્રે એક દીવાથી અધ્યયન કરે છે. અહીં એક પદાર્થને ઉપયોગ અનેક પ્રજનાથીઓ એકસાથે કરે છે. (સરખાવો પુણ્યરાજ, “यत्रार्थिनः सर्वे प्रयोजकाभेदेनावृत्त्या वा योऽ: प्रतिपत्तव्यस्तमथेमेकमेव संभवाल्ला રોગતિ તત તરત્રન ) વ્યાકરણશાસ્ત્રમાં તરન્નાહ્ય (વા. . ૧૧૭૦ જે વણની પાસે, આગળ કે પહેલાં તકાર ઉચ્ચાર્યો છે તે વણે પિતાના સમાનકાલ એવા સવર્ણનું ગ્રહણ કરાવે છે) એવું સૂત્ર પંચમી તપુરુષ અને બહુવ્રીહિ (તાવર:1 અને તે; વો યમાત ) એમ બે જદ સમાસ વડે બે અર્થ એકસાથે પ્રાપ્ત કરાવે છે. વેદમાં પણ આવી તત્રની રીતે આગ્નેય યાગની પહેલાં કે પછી પ્રયાજ વગેરે ગૌણ ત્યાગ કરવામાં આવતા તે સામાન્યપણે બધા માટે ઉપકારક બને છે એમ જણાવ્યું છે. આવૃત્તિ-તન્ત્રથી વિરુદ્ધ એટલે આવૃત્તિ. એક ક્રિયા અથવા કારક અનેક સ્થળે ઉપસ્થિત થાય તેને આવૃત્તિ કહે છે. એક થાળી હોય અને પચીસ જમનારા હોય તો એક પછી એક બધા જમે છે. વેદમાં “સત્તર સમિધેની ઋચાઓ છે” એવા સંદર્ભમાં વાસ્તવમાં સામિધેની તેર છે પરંતુ પહેલી અને છેલ્લી ત્રણ ત્રણ વાર ઉચ્ચારાતી હાઈ સત્તર થશે. ભેદ– તન્નનું બીજું પ્રતિયોગી છે ભેદ. પૃથફપણે કાયસિદ્ધિ એટલે ભેદ. એકસાથે ભજન કરનારાઓ માટે જુદાં જુદાં પાત્રો જુદી જુદી રીતે ભેજનકાર્યમાં ઉપયોગી બને છે. તે “વાસણ સાફ કરે છે. (ઘરું સંમાર્ટ ) એવા વૈદિક ઉદાહરણમાં દરેક વાસણને જુદું જુદું સાફ કરવામાં આવે છે. વ્યાકરણમાં ન વેતિ વિમાથા (લા.. ૧૪ = પ્રતિષેધ અને વિકલ્પની વિભાષા સંજ્ઞા છે) સત્રના પ્રત્યાખ્યાનમાં ઉભયત્ર વિભાષાને કેઈ વાર વિધિરૂપમાં તો કઈવાર પ્રતિષેધરૂપમાં એમ ભિન્નરૂપે સમજવામાં આવે છે. વા-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy