SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ વાકયપદીય આવે તો મીમાંસાશાસ્ત્રમાં ગણાવેલા આ ન્યાયો નકામા કરશે. આ વાકયધર્મો અર્થાત વાક્યલક્ષણે નિર્ણાયક તો છે. ભર્તુહરિએ આ દસ કારિકાઓમાં પ્રાસંગિક, તંત્ર, આવૃત્તિ, ભેદ, બાધા, સમુચ્ચય ઊહ, સંબંધબાધ, સામાન્યાતિદેશ, વિશેષાતિદેશ, અર્થિત્વ, સામર્થ્ય, અર્થભેદ, અધિકાર, ક્રિયાન્તરબુદાસ, શ્રુત્યાદિ ક્રમ, ક્રમબલાબલ, અવિવક્ષિત ક્રમ, પરાડૂ ગ, અપ્રાજક, પ્રાજક નાતરીયક, પ્રધાન, શેખ, વિનિયોગક્રમ, સાક્ષાદુપકારી, આરાવિશેષક, શક્તિવ્યાપારભેદ, સંબંધજ ભેદ, અવિવક્ષિત ભેદ, પ્રસજયપ્રતિષેધ, પથુદાસ, ગૌણુ, મુખ્ય, વાપી, ગુરુ, લાઘવ, અંગાંગિભાવ, વિકલ્પ, નિયમ, યોગ્યતા, લિંગભેદ, અને અદ્ધિાર એમ તેંતાલીસ વાકયધર્મો ગણાવ્યા છે. આવા કેટલાક વાક્યધર્મો ભતૃહરિએ તૃતીયાકાંડને બે સમુદેશે લક્ષણ સમુદ્દેશ અને બાધા સમુદેશમાં સમજાવ્યા હતા (તત્ર દ્વારા પરવતુર્વશતિ ક્ષાનીતિ ક્ષારો સાવશે સવિરોધું વિસ્તરણ થાક્યાદ્યતે | (કારિકા ૭૬ ઉપરની વવજ્ઞ). પુણ્યરાજ જણાવે છે કે આગમના વંશને કારણે અથવા હસ્તપ્રતોના લહિયાઓના પ્રમાદને કારણે હવે પદકાંડમાં આ લક્ષણ સમુદેશ પ્રાપ્ત થતો નથી ખાધા સમુદ્દેશ પણ નષ્ટ થયું છે, ૭મી કારિકાથી ૧૫૧મી કારિકા સુધી રવીવજ્ઞવૃત્તિનો પાઠ અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલ વાકયપદીયગ્રંથમાં મળતા નથી. આ વાક્યધર્મો અંગે પુણ્યરાજે વિસ્તારથી ચર્ચા કરી છે. ભતૃહરિએ સ્વપજ્ઞવૃત્તિ માં (કારિકા ૭૬) છ અથવા બાર અથવા ચોવીસ વાક્યલક્ષણોનો નિર્દેશ કર્યો છે. આ અંગે કશી સ્પષ્ટતા તેમણે કરી નથી. એથી ઊલટું ૭૭ થી ૮૭ સુધીની કારિકાએામાં તેમણે તેતાલીસ વાકયધર્મો ગણાવ્યા છે. જૈમિનિકૃત મીમાંસા બાર અધ્યા છે. તેમાં છ છ અધ્યાયનાં બે ષક માનવામાં આવ્યાં છે. પહેલા પર્કમાં વિધિ, ભેદ, શેષશેષિભાવ, પ્રયુક્તિ, ક્રમ અને અધિકારી એટલાં લક્ષણ પ્રાપ્ત થાય છે. બીજા પકમાં સામાન્યાતિદેશ, વિશેષાતિદેશ, ઊલ, બાધા, તંત્ર અને પ્રસંગની ચર્ચા કરી છે. આ પ્રમાણે બાર લક્ષણે થયાં. થોપજ્ઞમાં ઉલ્લેખેલ ચાવીસ લક્ષણે ક્યાં તે સ્પષ્ટ થતું નથી, પરંતુ પુયરાજે કલ્પના કરી છે કે ઉપર નિદેશેલાં બાર લક્ષણેના પ્રતિપક્ષરૂપે બીજાં બાર લક્ષણો સમજવાનાં છે. હવે આ મૂળ બાર લક્ષણોમાં વિધિ અર્થાત પ્રમાણને પ્રતિપક્ષ હોઈ શકે નહિ. એ જ પ્રમાણે સામાન્યાતિદેશ અને વિશેષાતિદેશના પ્રતિપક્ષ પણ કલ્પી શકાય નહિ. ઊહના બે પ્રતિપક્ષ સમજીશું. આ પ્રમાણે વિચારતાં અભેદ, ગુણપ્રધાન ભાવની અવિવક્ષા, અપ્રાજક, અવિવેક્ષા, ક્રિયાન્તરબુદાસ, સંબંધાબાધા સમુચ્ચય, વિકલ્પ, આવૃત્તિ અને ભેદ એમ દસ પ્રતિપક્ષે મળીને બાવીસ લક્ષણો પુણ્યરાજે ગણુવ્યા છે. આમ વવજ્ઞના ઉલ્લેખને કંઈક અંશે તકસગત ગણાવવાનો પુયરાજનો પ્રયત્ન છે. અમને એમ લાગે છે કે અહી વોવજ્ઞમાં લક્ષણસમુદેશના અનુલક્ષ્યમાં આ છ બાર કે વીસ સંખ્યા નિદેશી છે. દ્વિતીયાકાંડની કારિકાઓ ૭૭થી ૮૭માંના વાક્ય ધર્મો માત્ર મીમાંસાના નહિ પણ બધા લૌકિક અને શાસ્ત્રીય ન્યાયમાંથી પસંદ કરવામાં આવ્યા છે, તેથી આ કારિકાઓ ઉપરની પુણ્યરાજની ટીકામાં છે, બાર, કે વીસ લક્ષણેની સંગતિ જણવવી કંઈક અંશે અપ્રસ્તુત લાગતી હોવા છતાં રવીપજ્ઞના વચનનું મહત્ત્વ સમજી તેનું વિસ્તૃત વ્યાખ્યાન પુણ્યરાજે આપ્યું છે, અલબત પુખરાજે તેતાલીસ વાકષધર્મોનું અત્યંત સ્પષ્ટ વિવેચન કર્યું છે જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy