SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંડ प्रतिवर्णमसंवेद्यः पदार्थप्रत्ययो यथा । पदेष्वेवमसंवेद्य वाक्यार्थस्य निरूपणम् ॥६॥ પદના અર્થનું જ્ઞાન જેમ (તેના) દરેક વર્ણ ઉપરથી પ્રાપ્ત થતું નથી, તેમ વાક્યના અર્થનું નિરૂપણ તેના દરેક જુદા પદમાંથી થતું નથી. (૬) આ મુદ્દાની સ્પષ્ટતા કરતાં હોવજ્ઞ જણાવે છે કે જેમ દરેક વર્ણમાંથી પદના અર્થનું જ્ઞાન થતું નથી તેમ દરેક પદમાંથી વાયાર્થીને બોધ થતો નથી, કારણ કે વાકયાર્થ દરેક સ્વતંત્ર પદમાં રહેલે હોતો નથી. વાકયાથ પ્રકાશની જેમ સ્વયં પ્રકાશે છે અને તે સ્વયંપ્રકાશ હેવાથી અર્થબંધ માટે અત્યંત પ્રમાણભૂત છે. वाक्यार्थः संनिविशते पदेषु सहवृत्तिषु । यथा तथैव वर्णेषु पदार्थः सहवृत्तिषु ॥६१॥ જેમ સાથે રહેનારાં પદોમાં વાકયને અર્થ રહે છે તેમ એક સાથે રહેલા વર્ષોમાં પદને અર્થ રહેલું હોય છે. (૧) પદવાદી જણાવે છે કે પદે કે વર્ષો નિષ્ફળ નથી. એક સાથે રહેલા વર્ષે કે એક સાથે રહેલાં પદે પદાર્થ અને વાકયાથને બંધ કરાવે છે. અહીં વિશિષ્ટ સંનિવેશથી જ પદો અને વણે અર્થવાહક બને છે; તેથી અખંડપક્ષની દલીલ યોગ્ય નથી. सूक्ष्म ग्राह्य यथान्येन संसृष्ट सह गृह्यते । . वाऽप्यन्येन वर्णेन संबद्धो वाचकस्तथा ॥२॥ ગ્રહણ માટે યોગ્ય વસ્તુ સૂક્ષ્મ હોવા છતાં બીજા (પદાર્થ) સાથે રહેલ હોય ત્યારે જ ગ્રાહ્ય બને છે તેમ વણ પણ બીજા વર્ણ સાથે સંબંધમાં હોય ત્યારે અથવાચક બને છે. (૬૨) पदस्योच्चारणादों यथा कश्चिन्निरूप्यते । वर्णानामपि सान्निध्यात्तथा सोऽर्थः प्रतीयते ॥६३॥ (એકલા) પદના ઉચ્ચારણથી જેમ કંઈક અર્થ સમજાય છે. તેમ વર્ણોને સાંનિધ્યથી પણ તે જ અર્થ સ્પષ્ટ થાય છે,(૬૩) જેમ વણે એકબીજા સાથે રહેવાથી તેમનાથી બનતા પદનો અર્થ સમજામાં છે, તેમ પદો પણ એકબીજા સાથેના સંબંધથી વાક્યર્થનાં વાચક બને છે. આમ હાઈને પણ કે પદથી જ એવું વાકય સંભવી શકે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy