SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદીય વા. . પ્રતિસુશાગ્રંટનુષ: ચન્ ! (૧૧૦૧, પુત, હતું, શા. ૧, ૨, ગુણ, ને ૬ પ્રત્યય થાય છે)ના વાર્તિક ૨ ઉપરના ભાષ્યમાં જણાવવામાં આવ્યું છે કે સૂત્રમાંના નિયમ પ્રમાણે પદકારોએ પદપાઠની યોજના કરવાની છે, અર્થાત પદકારોએ સૂત્રનિયમોને અનુસરવાનું છે, સૂત્રનિયમોએ પદકારાને અનુસરવાનું નથી (ન ઢબેન વહેવા અનુવર્યા પટ્ટનમ ક્ષામનુવમ્ ). આ ઉપરથી ભાષ્યકાર સૂચવવા માગે છે કે પદો અસત્ય છે, પદવિભાગ કયિત છે, પરંતુ અજ્ઞાનીઓને બોધ આપવા માટે જ પદવિભાગ સમજાવવામાં આવે છે. આ મુદ્દો આ કારિકામાં રજૂ થયો છે. પુણ્યરાજ જણાવે છે કે સૂત્રકારને અને ભાષ્યકારને અખંડપક્ષ માન્ય છે. पदप्रकृतिभावश्च वृत्तिभेदेन वर्ण्यते । पदानां संहिता योनिः संहिता वा पदाश्रया ॥५८॥ સંહિતાનું પદપ્રકૃતિત્વ જુદા જુદા સમાસે વડે વર્ણવાય છે; (જેમકે) પદની પ્રકૃતિ(=આધાર) એટલે સંહિતા અથવા પદો જેની પ્રકૃતિ અર્થાત્ આધાર છે તે સંહિતા. (૫૮). અહીં વેજ્ઞાતિશાહચ (૨.૧) માં પ્રાપ્ત થતી સંહિતાની વ્યાખ્યા વગરુતિઃ સંહિતાને બે રીતે સમજાવવામાં આવી છે. અખંડ પક્ષને સ્વીકારનારા વાનાં પ્રકૃતિ: પદને આધાર તે સંહિતા એવું અથધટન કરે છે. આવા અર્થધટન પ્રમાણે સંહિતા અખંડ અને અપૌરુષેય એવું વાક્ય છે અને પદો પૌરુષેય અને કલ્પિત છે. ખંડપક્ષમાં અર્થાત અન્વિતાભિધાનવાદીઓને મતે નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત એવાં આ પૌરુષેય પદો પરસ્પર સંસર્ગથી અસત્ય એવાં વાક્યરૂપે પરિણમે છે. આ મતમાં પદો સંહિતાની પ્રકૃતિ અર્થાત્ આશ્રયરૂપ આધાર છે. पदाम्नायश्च यद्यन्यः संहिताया निदर्शकः । __ नित्यस्तत्र कथं कार्य पद लक्षणदर्शनात् ॥५९।। | (સંહિતાથી) જુદો એ પદાસ્નાય ( પદપાઠ) જે સંહિતાને નિર્દેશ કરનારે અને નિત્ય હોય તો તે પદપાઠને નિયમ પ્રમાણે કેવી રીતે રચી શકાય? (૫૯) અહીં અગાઉ નિર્દેશેલ (કારિકા ૫૭, નોંધ) પતંજલિવચન ન હૃક્ષનેન વારા મનુવર, વ%ારૈર્નામ ચક્ષામનુવર્યંમ્ ા માંનો મત રજૂ કરવામાં આવ્યો છે. પદકાર એટલે પદપાઠના રચયિતાઓ. આવા પદકારાએ વ્યાકરણના નિયમસમૂહ(ક્ષ)ને અનુસરવાનું છે કારણ કે આત્યંતિક રીતે પદે પૌરુષેય અને અનિત્ય છે. ભાષ્યમાં રજૂ થયેલ પ્રથમ વાર્તિક લિ રાજવારંવધે.. રાા ધર્મનિયમ: ક્રિય? - માં તે શબ્દને નિત્ય કહ્યો છે. આ અંગે એવું સમાધાન કરી શકાય કે પદોને નિત્ય માને તે પણ તેવાં પદમાં સંહિતાની પુનારચના એ ઉત્પાદ્ય એવું કાર્ય છે. તેથી અખંડપક્ષને હાનિ પહોંચતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy