________________
બીજુ કાંડ
समानेऽपि तु शब्दत्वे दृष्टः संप्रत्ययः पदात् ।
प्रतिवर्ण त्वसौ नास्ति पदस्यार्थमतो विदुः ॥५३॥ (વર્ણ અને પદમાં) શબ્દવ ( શ્રોત્રનિદ્રયગ્રાહ્યત્વ) સરખું હોવા છતાં પદક્રમમાંથી જ અર્થ જ્ઞાન થતું દેખાય છે, દરેક વર્ગમાંથી નહિ. તેથી પદમાંથી અર્થ પ્રાપ્ત થાય છે તેમ તેઓ કહે છે. (૫૩)
यथा सावयवा वर्णा विना वाच्येन केनचित ।
अर्थवन्तः समुदिता वाक्यमप्येवमिष्यते ॥५४॥ આ (વર્ણસમુદાયરૂપ પદ )ના અવયવે એવા વર્ષે કઈક (અથવાચક) તત્ત્વ વિનાના હોય છે; પરંતુ સમુદાયમાં હોય ત્યારે અર્થવાન હોય છે. વાકય અંગે પણ આવી જ સ્થિતિ છે. (૫૪) શબ્દસંઘાત મતને અહીં ફરી વાર ઉલ્લેખ કરવામાં આવ્યું છે.
अनर्थकान्युपायत्वात्पदार्थनार्थवन्ति वा ।
क्रमेणोच्चारितान्याहुक्याथ भिन्नलक्षणम् ॥५५॥ (વિનષ્ટ થતાં હોવાથી અર્થપ્રાપ્તિ નહિ કરાવનારાં, પરંતુ (વાકયના અર્થ માટે) પોતાના અર્થને કારણે, અર્થવાન બનનારાં, ક્રમપૂર્વક ઉચ્ચારાયેલાં પદા, (તેમના સ્વતંત્ર અર્થથી જુદે) વાકયાથ જણાવે છે. (૫૫) અહીં ક્રમપક્ષનો ફરી વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
नित्यत्वे समुदायानां जाते परिकल्पने ।
एकस्यैकार्थतामाहुर्वाक्यस्याव्यभिचारिणीम् ॥५६॥ પોના સમુદાયને નિત્ય માનીએ કે (વાય) જાતિની કલ્પના કરીએ, (કેવળ) વાક્યની જ સળંગ અર્થ દર્શાવવાની નિયત શક્તિ છે. (૫૬)
અહીં “એક અનવયવશબ્દ' અર્થાત વાક્યસ્ફોટ પક્ષનો ઉલ્લેખ છે, ઉપસંહારરૂપે અહીં પુનરુક્તિ કરતાં જણાવ્યું છે કે પદસમૂહ નહિ પરંતુ એક અખંડ વાક્યમ્ફોટ જ પ્રતિભારૂપ વાકયાથ નિયત રીતે દર્શાવે છે.
अभेदपूर्वका भेदाः कल्पिता वाक्यवादिभिः ।
भेदपूर्वानभेदांस्तु मन्यन्ते पददर्शिनः ॥५७॥ (અખંડ ટરૂ૫) વાકયને સ્વીકારનારાઓએ અભેદવાળા પદ(ભેદો)ને કમ્યા છે, જ્યારે પદવાદીઓ ભેટવાળા અભેદોને માને છે. (૫૭)
ઉપરની કારિકાઓમાં પદસંઘાત, ક્રમ અને સ્ફોટ એમ ત્રણ પ્રકારનાં વાકયસ્વરૂપે સમજાવવામાં આવ્યાં. હવે “આખ્યાત” એ વાક્ય છે એવાં મતને સ્પષ્ટ કરશે. વા-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org