SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વાકષ૫દીય गुणभावेन साकाक्षं तत्र नाम प्रवर्तते । साध्यत्वेन निमित्तानि क्रियापदमपेक्षते ॥४८॥ વાકયમાં નામ ક્રિયા(ના સંદર્ભમાં ગૌણ હોઈને ક્રિયાપદની અપેક્ષા રાખે છે (અને) ક્રિયાપદ ક્રિયાનાં (અર્થ)સાધક નિમિત્તે(=કારકે)ની અપેક્ષા રાખે છે. (૪૭) सन्त एव विशेषा रो पदार्थेषु व्यवस्थिताः । ते क्रमादनुगम्यन्ते न वाक्यमभिधायकम् ॥४९॥ (દેવદત્ત વગેરે) પદેના અર્થોમાં જે વિશે (વાક્યાની અભિવ્યક્તિ થતાં પહેલાં) રહેલાં છે તે દરેક પદમાંથી ક્રમે ક્રમે વ્યક્ત બને છે. વાક્ય (કમથી પ્રાપ્ત થતા અથ સિવાયના અર્થનું) અભિધાન કરતું નથી. (૪૯) અહીં ક્રમ વાક્ય છે એ મતને રજૂ કરવામાં આવ્યો છે. शब्दानां क्रममात्रे च नान्यः शब्दोऽस्ति वाचकः । क्रमो हि धर्मों कालस्य तेन वाक्यं न विद्यते ॥५०॥ શબ્દોને ક્રમ જ માત્ર (વાક્યના અર્થનું અભિધાન કરતે) હોવાથી બીજે કેઈ શબ્દ (વાક્યનો) વાચક નથી. ક્રમ એ કાલનો ધર્મ છે અને તેથી (ક્રમથી અતિરિક્ત એવા) વાક્યનું અસ્તિત્વ નથી. (૧૦) ये च संभविनो भेदाः पदार्थेष्वविभाषिताः । ते संनिधाने व्यज्यन्ते न तु वणेष्वयं क्रमः ॥५१॥ પદના અર્થોમાં જે (કર્તા, કર્મ વગેરે) ભેદો અન્તભૂત છે પણ અજ્ઞાત રહેલા છે, તે એકબીજાના સાંનિધ્યથી અભિવ્યક્ત થાય છે; વણમાં આ ક્રમ નથી. (૫૧) વાક્યમાં કર્તા, કર્મ, ક્રિયાપદ વગેરે દર્શાવનારા શબ્દોના અર્થે અન્તભૂત હોય છે, પરંતુ જ્યાં સુધી તે એકબીજા સાથે સાંનિધ્ય ન પામે ત્યાં સુધી અને તેમને ચોક્કસ ક્રમ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અભિવ્યક્ત થતા નથી. કમને કારણે અર્થની અભિવ્યક્તિ માત્ર પદસંબંધે જ હોય છે. વર્ષો અંગે આવો ક્રમ પ્રાપ્ત થતો નથી. તેથી વણના ક્રમથી કે વર્ણસંઘાતથી વાક્ય થતું નથી. वर्णानां च पदानां च कममात्रनिवेशिनी । पदाख्या वाक्यसंज्ञा च शब्दत्वं नेष्यते तयोः ॥५२॥ માત્ર ક્રમમાં જ પ્રાપ્ત થનારાં વર્ષો અને પદોને પદ અને વાય એવી સંજ્ઞાઓ આપવામાં આવે છે, તે (વણ અને પદ) ઉપરથી અર્થબધ થતું નથી. (ર) વણુ સમૂહ કે પદસમૂહ વાક્ય નથી, પરંતુ પદમ જ વાકય છે. વર્ણ અને પદ શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય હોવા છતાં અથવાચક બનતાં નથી અર્થાત્ વાચક વર્ણ કે શબ્દનું નહિ પણ શબ્દક્રમનું જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy