SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ઉટ વાષ૫દીય अर्थ कथंचित्पुरुषः कश्चित्संप्रतिपद्यते । संसृष्टा वा विभक्ता वा भेदा वाक्यनिबन्धनाः ॥३९॥ (શબ્દના) અને વ્યક્તિ કોઈ પણ રીતે પ્રાપ્ત કરે છે. વાકયના અવય (= પદોના બધા અર્થો) વાકયમાંથી જ પ્રાપ્ત થાય છે, ભલે પછી તે (અવય વાકયમાં પરસ્પર) જોડાયેલા હોય કે વિભક્ત હોય. (૩૯) શ્રોત્રિયંછોડધીતે | વા. સુ. પારા (“છન્દસ ભણેલો એવા અર્થમાં અનિયમિત શ્રોત્રિયન શબ્દ થયો છે) સૂત્રમાં ક્ષત્રિયન શબ્દ છન્દઃ અધીતે ! (વેદનું અધ્યયન કરે છે. એવા વાક્યનો અર્થ દર્શાવે છે.) છમ્ શબ્દને શ્રોત્ર આદેશ થાય છે. તે શ્રોત્ર ને તેનું અધ્યયન કરે છે', એ અર્થમાં ધન પ્રત્યય લગાડાય છે; અથવા શ્રોત્રિયમ્ એટલે શ્રોત્ર (કાન) વડે કરવામાં આવેલું કાર્ય (શ્રોત્રાખ્યાં ત મ . . ટૂ. ૪ રા૮૪ પરનું માથ) અર્થાત્ છમ્ નું અધ્યયન એવો અર્થ પણ કેટલાકને મતે શકય છે. सोऽयमित्यभिसंबन्धो बुद्ध्या प्रक्रम्यते यदा । वाक्यार्थस्य तदेकोऽपि वर्णः प्रत्यायकः क्वचित् ॥४०॥ આ રીતે છે” એમ તાદાભ્યરૂપ સંબંધ બુદ્ધિ વડે જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે એક વર્ણ પણ વાકયના અર્થને બંધ કરાવનારે બને છે. (૪૦) વાક્ય અને વાક્યર્થની એક્તા જ્યારે વક્તાના મનમાં હોય છે ત્યારે વિભક્ત પદના અથથી વાકયાર્થીની પ્રાપ્તિ થાય છે, એમ બનતું નથી. વાણીના સંબંધોને નણનાર વ્યક્તિએ (વાચોળવિત:) એક વણમાંથી પણ સમગ્ર વિચારને સમજી શકે છે. તેમના મનમાં વર્ણ, વર્ણસમૂહ એવું પદ અને પદસમૂહ એવું વાક્ય એવા ભેદ હોતા નથી. केवलेन पदेनार्थी यावानेवाभिधीयते । वाक्यस्थं तावतोऽर्थस्य तदाहुरभिधायकम् ॥४१॥ (વાક્યના અવયવ નહિ એવા) એકલા પદ વડે જેટલે અર્થ દર્શાવવામાં આવે છે તેટલે જ અથ વાક્યમાં તે (અન્તર્ગત) હોય ત્યારે દર્શાવે છે. (૪૧) પુણ્યરાજને મતે અહીં વાક્ય એટલે અભિહિતાન્વયે મતમાં પદસંઘાત છે. संबन्धे सति यत्त्वन्यदाधिकथमुपजायते । बाक्याथेमेव तं प्राहुरनेकपदसंश्रयम् ॥४२॥ જ્યારે પદે વાક્યમાં પરસ્પર સંસ્કૃષ્ટ હોય છે ત્યારે જે વિશેષ અર્થ પ્રાપ્ત થાય છે તે વાકયને જ અર્થ છે અને તે અનેક પદો ઉપર આધાર રાખે છે. (૪૨) અહીં સંસર્ગરૂ૫ વાક્યાથને ઉલ્લેખ થયો છે. વીર: પુરુષ એવા વાકયમાં અને રાજ્ઞક એવા પદમાં પ્રતિપાદિકાર્ય ઉપરાંત સંસર્ગ એવો અર્થ રહેલો છે. ગ્રામ, પ્રામા: વગેરે પદોમાં દિવ, બહુત્વ વગેરે સંબંધરૂપ અર્થ તેના પ્રતિપાદિકા “ગામડું” અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy