________________
વાકષ૫રીય
અહી પ્રતિભારૂપ વાકાયથ એક અને અખંડ છે એવો વિચાર પ્રાપ્ત થાય છે. જેમ વાકય આંતર બુદ્ધથનુસહાયરૂપ છે તેમ વાક્યર્થ પણ આંતર બુદ્ધ થનુસંહારરૂપ છે. ત્રીસમી કારિકામાં અખંડ વાકયનો ઉલ્લેખ હોવાથી આ કારિકામાં શબ્દ અને અથથી વાક્ય અને વાક્યર્થનો ઉલ્લેખ સમજવાનો છે.
અવ્યપદેશ્ય અને અનિત્ય એવા શબ્દભાગો કે વર્ણભાગે વડે પ્રાપ્ત થતું વાક્તત્વ અભિનન અને મુખ્ય શબ્દાત્મા છે. તે વ્યવહારમાં બાહ્ય અથ સાથે એકત્વને પામીને અર્થબંધ કરાવે છે. વવજ્ઞમાં પ્રાપ્ત થતા સૂમ વ્યાખ્યાન પ્રમાણે (૧) તે બાહ્ય શબ્દાર્થ છે અને તે આંતર નિત્ય શબ્દાત્માની અભિન્ન અભિવ્યક્તિ રૂપે છે. (૨) સર્વ પદાર્થોને નિત્ય માનીએ તે તેમની શબ્દ દ્વારા અભિવ્યક્તિ થતાં તેમને બંધ થશે. (૩) પદાર્થ બુદ્ધિમાં પ્રતિબિંબિત થતાં, તેમનું જ્ઞાન થાય છે. આ ત્રણેય મતમાં આન્તર શબ્દાત્મા અને અર્થાત્મા એક અને અખંડ છે એમ સમજવાનું છે.
प्रकाशकप्रकाश्यत्वं कार्यकारणरूपता ।
अन्तर्मात्रात्मनस्तस्य शब्दतत्त्वस्य सर्वदा ॥३२॥ તે આન્તર તસ્વરૂપ શબ્દાત્માને હંમેશાં પ્રકાશક-પ્રકાશ્યરૂપ અને કાયકારણરૂપ સ્વભાવ છે. (૩૨)
આન્તર શબ્દાત્માની બે પ્રકારની શકિતઓ છે, એક પ્રકાશક પ્રકાશ્યરૂપે અને બીજી કાર્યકારણરૂપે. બંને એકબીજા ઉપર આધૃત છે. પ્રકાશક કારણરૂપ છે અને પ્રકાશ્ય કાર્યરૂપે છે.
तस्यैवास्तित्वनास्तित्वे सामध्ये समवस्थिते । __ अक्रमे क्रमनिर्भासे व्यवहारनिबन्धने ॥३३॥ - તે (શબ્દાત્મા)ની જ અસ્તિત્વ અને નાસ્તિત્વ એવી (બે) શક્તિઓ છે. કમવિનાની એવી તેમનામાં ક્રમની પ્રતીતિ, (માત્ર) વ્યવહારકાર્ય માટે છે. (૩૩)
सम्प्रत्ययप्रमाणत्वात्प्रदार्थास्तित्वकल्पने ।
पदार्थाभ्युच्चये त्यागादानर्थक्यं प्रसज्यते ॥३४॥ (પદના) અર્થના બોધને પ્રમાણ માનીને જે પદ અને તેના અર્થના અસ્તિત્વની ક૯૫ના કરવામાં આવે તો (પૂર્વ પૂર્વ પદના) અર્થો સાથે (ઉત્તરોત્તર) પદોના અર્થોનું મિશ્રણ થવાથી તે (પૂર્વપૂવપદ)ના પિતાના અર્થોને ત્યાગ થતાં તે અનર્થક અનશે. (૩૪).
અહીં પદવાદીનું ખંડન રજૂ થયું છે. દેવદત્ત ગાયને લઈ આવ' એ વાક્યમાં અગાઉનાં પદે જેવાં કે “દેવદત્ત, ગાયને” વગેરેના અર્થ સાથે પછીના પહેલા અર્થનું મિશ્રણ થતાં, તે અગાઉના પદના અને ત્યાગ થશે અને તે અર્થ, સળંગ વાક્યાથ જણાવવા શક્તિમાન બનશે નહિ. તો પછી વાક્ષાર્થને બંધ કેવી રીતે થાય ?
तत चानर्थकस्योच्चारणवैकल्यादुच्चारिताद्वा तस्मा च्छन्दमात्रात् पदार्थप्रत्ययर यानुपपत्तेः किं निबन्धना वाक्यार्थप्रतीतिः स्यादिति यत्किञ्चिदेतत् । -पुण्यराज
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org