SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપતીય ન વા વદ્યાર્થ યોm (ા. . ૧૨૬ ૪ વાં. ૧8) જણાવે છે કે પદ તેનાં પ્રકૃતિ અને પ્રત્યયને કારણે સાવયવ નથી કારણકે અર્થપ્રયોગ માટે પદનો જ પ્રયોગ થાય છે. જેમ પદ વાસ્તવમાં પ્રકૃતિપ્રત્યય વડે અવયવવાન નથી તેમ વાક્ય પણ તેના અવય એવા શબ્દો વડે સાવયવ નથી. वर्णान्तरसरूप च वर्णभागेषु दृश्यते । पदान्तरसरूपाश्च पदभागा अवस्थिताः ॥११॥ જેમ વર્ણના અવયવમાં અન્ય વર્ગો જેવું રૂપ દેખાય છે તેમ (વાકયમાં) શબ્દરૂપી અવય બીજા પદેના જેવા રૂપવાળા રહેલા પ્રાપ્ત થાય છે. (૧૧) भागैरनर्थकैर्युक्ता वृषभोदकयावकाः । अन्वयव्यतिरेकौ तु व्यवहारनिबन्धनम् ॥१२॥ વૃષમ (બળદ), ૩ (પાણી) અને ચાવા (જવનું ખાઘ) જેવા શબ્દ (કષમ, અને વાવ જેવા) અથ વિનાના ભાગે વડે જોડાયેલા છે. અન્વય અને વ્યતિરેક (વડે તેમનું જ્ઞાન) વ્યવહાર(પ્રાગ)ને આધાર છે. (૧૨) વૃષમ, ૩ અને વાવમાં વષમ, ૩ઃ અને વાવ જેવા શબ્દોનો કશે અથ પ્રાપ્ત થતું નથી. વ્યાકરણશાસ્ત્રમાં પદમાં પ્રકૃતિ અને પ્રત્યય અર્થવાન હોય છે. અન્વય અને વ્યતિરેકથી તેમના અર્થનું જ્ઞાન થાય છે. અવયવ્યતિરેક પ્રક્રિયા માટે ઉપયોગી છે. વાસ્તવમાં નિરંશ પદની જેમ નિરંશ વાક્ય જ અથનું વાચક છે. शब्दस्य न बिभागोऽस्ति कुतोऽर्थस्य भविष्यति । विभागैः प्रक्रियाभेदमविद्वान्प्रतिपद्यते ॥१३॥ શબ્દને (જ્યારે) વિભાગ હોતો નથી ત્યારે અને કયાંથી હોય? અજ્ઞાની (જુદા જુદા) વિભાગે વડે પ્રક્રિયા ભેદને સમજે છે. (૧૩) જેમ પદમાં પ્રકૃતિ પ્રત્યય વિભાગ કૃત્રિમ પ્રક્રિયા છે તેમ વાકમાં પદવિભાગ પણ કૃત્રિમ છે. વાસ્તવમાં વાકય અખંડ છે. તેનો અર્થ અખંડ પ્રતિભારૂપ છે. ભેદપૂર્વક ગ્રહણ એ તો શબ્દાત્મા અને અર્થાત્માના જ્ઞાનનું સાધન માત્ર છે. શબ્દો અને વાકના વિભાગ સમજ્યા વિના સંસૃષ્ટરૂપ શબ્દ અને વાયના અર્થોનું જ્ઞાન થવું મુશ્કેલ છે. જેમ ભાષાના બધા શબ્દોને એક પછી એક દરરોજ પાઠ કરીને જાણી શકાય નહિ. તેમાં તે પ્રયત્નગૌરવ પ્રાપ્ત થાય, તેમ બધા શબ્દો અને વાકયેના અર્થોનું જ્ઞાન પ્રકૃતિપ્રત્યયના જ્ઞાનથી કે દરેક પદના જ્ઞાનથી શકય નથી. એવું પણ બને કે કેટલાક દુિ, (વૃક્ષવિશેષ), મિતz,(ઝડપી દોડનાર) ટુર્યશ(મુશ્કેલીથી દેખાય તેવું) વગેરે શબ્દોના વિભાગે સમજવા સહેલા નથી. पदप्रतिपत्तिपूर्विका हि सामान्यविशेषावग्रहणोपाया लघुप्रक्रमा विभागेनाविभक्तस्य प्रतिपत्ति: प्रकृतिप्रत्ययादिप्रतिपत्तिवत् । गुरुप्रकमा स्वत्र संसृष्टरूपस्य प्रतिपत्तिरविभागेन् प्रतिपदं पाठवत् । कुशलस्तु प्रतिपत्ता सर्वमेव भेदमभेदानतिक्रमेण पश्यति । प्रक्रियाभेदास्तु शास्त्रे विभागनिबन्धनम् । -स्त्रोपन Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy