SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ લ બીજુ કાંડ ક્રિયારૂપ (હેત્વર્થ કૃદતો) ત્રગતિ એવા મુખ્ય ક્રિયાશબ્દના વિશેષણો છે તે પૂર્વ જ્ઞાતિ તતઃ વતિ તતો ગ્રંન્નતિ : માં ડ્રગતિ એવા મુખ્ય ક્રિયાશબ્દના બીજા ક્રિયાશબ્દો દ્વાતિ, વતિ વિશપણે છે. તેથી એક વાકયમાં અનેક ક્રિયા શબ્દો હોઈ શકે यथैक एव सर्वार्थप्रत्ययः प्रविभज्यते । दृश्यभेदानुकारेण वाक्यार्थावगमस्तथा ॥७॥ - જેમ બધા અર્થોનો બધ કરાવનાર એક જ્ઞાનરૂપ (શબ્દતત્ત્વ)ને, જોયેલા પદાર્થો(ઘટ, પટ, વગેરે)ની ભિન્નતા પ્રમાણે જુદું જુદુ સમજવામાં આવે છે તેમ વાક્યના અથને (શબ્દોના અર્થ પ્રમાણે જુદો) સમજવામાં આવે છે. (૭) કારિકા ૪ માં વાક્યને gવાનું કહ્યું છે. આના અનુસંધાનમાં કારિકાઓ થી ૧૪ સુધીમાં અખંડ વાકય અને અખંડ વાક્યર્થની ચર્ચા કરવામાં આવી છે. ભર્તુહરિ અખંડ વાયરૂપ શબ્દતત્ત્વને સ્વીકારે છે એમ કહી શકાય. આવા અખંડ વાયતવને પુણ્યરાજ અખંડ વાકયસ્કેટ કહે છે. અખંડ વાકયમ જદ જદા શબ્દો અને તેમના અર્થો અર્થ ત સમન્વિત અને સંમિત્ર છે. જેમ શબ્દ અને જેમના અથવો એવા વર્ગોમાં ભિન્નતા લાગે તેમ માત્ર બાહ્ય દષ્ટિએ વાય અને તેના અવયવોમાં ભિન્નતા લાગે છે, પણ વાકય અને તેના અવયવમાં અને વાકયાથ અને શબ્દાર્થોમાં કશે વાસ્તવિક ભેદ નથી. चित्रस्यैकस्वरूपम्य यथा भेदनिदर्शनः । नीलादिभिः समाख्यान क्रियते भिन्नलक्षणैः ।।८।' तथैवैकस्य वाक्यस्य निराकाङ्क्षस्य सर्वतः । शब्दान्तरैः समाख्यान साकाौरनुगम्यते ।।९।। જેમ એક (અને અખંડ) સ્વરૂપવાળા ચિત્રને જુદાં જુદાં લક્ષણવાળા અને ભિન્નતા (=ભેદ) દર્શાવનાર કાળા ધેાળા, લાલ) વગેરે રંગે વડે સ્પષ્ટ કરવામાં આવે છે તેમ સર્વથા (અન્ય શબ્દોની) આકાંક્ષા વિનાના એવા એક વાકયનું પરસ્પર આકાંક્ષાવાળા જુદા જુદા શબ્દો વડે વ્યાખ્યાન થાય છે. (૮-૮) સુંદર વાસ અને માધુર્યવાળા પીણામાં, મોરના ઈંડાના રસમાં, કોઈ સુંદર ચિત્રના રૂપમાં, મનુષ્ય અને સિંહ એમ બંનેને એક સાથે દર્શાવતા નરસિંહના રૂપમાં, ગાય અને ઘેડાના જેવા આકારો બોધ કરાવતા ગવયમાં તથા ચિત્રના રૂપના જ્ઞાનમાં બાહ્ય ભિનતા હોવા છતાં તેમનું આંતર સ્વરૂપ એક જ હોય છે, તે પ્રમાણે વાક્ય અને વાક્યર્થમાં શબ્દ અને શબ્દાર્થોને કારણે દેખાતી ભિન્નતાઓ હોવા છતાં વાસ્તવમાં બંને એક, અભિન્ન અને અખંડ છે. यथा पदे विभज्यन्ते प्रकृतिप्रत्ययादयः । __ अपोद्धारस्तथा वाक्ये पदानामुपपद्यते ।।१०।। જેમ પદમાં પ્રકૃતિ, પ્રત્યય વગેરેને જુદા પાડવામાં આવે છે તેમ વાક્યમાં પદનું વિશ્લેષણ પ્રાપ્ત થાય છે. (૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy