SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદાય નિઘાત પ્રાપ્ત થશે. ક્યા શબ્દ એક જ વાકયમાં છે અને ક્યા શબ્દ જુદાં વાકયમાં છે એ નક્કી કરનારી વાકયની વ્યાખ્યા કાત્યાયને આપી છે. મીમાંસકોને સંમત વાકયલક્ષણ માનીએ તો “આ લાકડી છે તેના વડે પકડ’ એવા (સાકાંક્ષ પદસમૂહરૂ૫) વાકયમાં દૃર (પકડ)ને નિવાત પ્રાપ્ત થશે. આ રીતે વૈયાકરણ અને મીમાંસક મતમાં વાક્યની વ્યાખ્યાઓ સર્વત્ર એકસરખી લાગુ પડતી નથી. સાક્ષાચવે એ પાનામાક્ષશવમ્ __ कर्मप्रधान गुणवदेकार्थ वाक्यमुच्यते ॥४॥ (વાક્યમાંથી છૂટા પડ્યા હોય ત્યારે આકાંક્ષાવાળા અવયવો ( શબ્દ, વાળ પરંતુ વચે છૂટા પડયા ન હોય ત્યારે બીજા (વાયની બહારને) શબ્દોની આકાંક્ષા વિનાને, ક્રિયાપદપ્રધાન, વિશેષપદોવાળો અને એક પ્રોજનવાળો (શબ્દસમૂહ) વાકય કહેવાય છે. (૪) મીમાંસક મતમાં અહીં વાકયની વ્યાખ્યા આપી છે. તે પ્રમાણે શબ્દસઘાત એટલે વાય અને સંસગ એ વાક્યાથે છે. કર્મ પ્રધાન એમ કહ્યું તેથી માત્ર આખ્યાત શબ્દ વાકય બનશે એ મત મુળવત્ એવું દ ઉમેરવાથી દૂર થાય છે. અને કુળવત્ એટલું જ કહ્યું હોય તો નીટો ઘટ એ સંધાત પણ વાકય કહેવાત. તેને નિરાસ કરવા નૈવધાનમ્ કહ્યું છે. सम्बोधनपद यच्च तक्रियाया विशेषकम् । वजानि देवदत्तेति निघातोऽत्र तथा सति ।।५।। હે દેવદત્ત, “હું જાઉ એ (વાય)માં હે દેવદત્ત એવું જે સંબોધન (વિભક્તિવાળું) પદ છે “તે હું જાઉ” એવા ક્રિયા(શબ્દ)નું વિશેષણ છે, તેમ હેવાથી હે દેવદત્ત એવા બે ધનશબ્દમાં નિઘાત પ્રાપ્ત થાય. છે (૫) નિ સેવકર એવા વાંકમાં કેસર (હે દેવદત્ત) શબ્દ અવ્યય, કારક, કારકવિશેષણ છે ક્રિયાવિશેષણ નથી તેથી ગ્રામરિસ ૧ પી. . ૮. ૧. ૧૧ (સાધનાન્ત શબ્દને નિધાત પ્રાપ્ત થાય છે) એવા નિયમ પ્રમાણે નિવાત થશે નહિ. પરંતુ કાત્યાયનની વાકયની વ્યાખ્યામાંના વિશેષણમ્ શબ્દથી ત્રિાયાવિશsળનું એ અર્થ પણ પ્રાપ્ત થાય છે. તેથી સેવાને ત્રગાનનું વિશેષણ માનતાં સૂત્રની પ્રાપ્તિ થતાં નિઘાત થશે. ગ્રાઉન એટલે “મને જવાદે.' यथानेकमपि क्त्वान्त तिङन्तस्य विशेषकम । तथा तिङन्त तत्राहुस्तिङन्तस्य विशेषकम् ॥६॥ જવા (પ્રત્યય) જેને અંતે છે તેવા (ન્નારના, મુત્રા, વીરવા વગેરે) અનેક શબ્દ જેમ (amતિ એવા) ક્રિયાશબ્દનાં વિશેષણ બને છે તેમ એક ક્રિયાશબ્દ બીજા ક્રિયાશબ્દનું વિશેષણ બને છે તેમ તેઓ જણાવે છે. (૬) કાત્યાયનની વ્યાખ્યા પ્રમાણે માપાત૬ એકવયનાત શબ્દ હોઈ વાક્યમાં એક જ ક્રિયાશ ( ક્રિયાપદ) હોવો જોઈએ એવો આક્ષેપ કરવામાં આવે તો એમ કહી શકાય કે સ્નાયા વયા, મુવા 2 નતિ(નાહીને, રાંધીને, જમીને તે જાય છે)માં જેમ અનેક હારત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy