SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંઠ - વાકય કહી શકાય (કાચું પમ્). (૮) અર્થ અંગે એકબીજાની આકાંક્ષા રાખતાં પદોમાંના દરેક પદને પણ વાક્ય કહી શકાય (પૃથર્વવ સાક્ષ ). અખંડ પક્ષમાં વાકયનો અથ પ્રતિભા છે. ખંડ પક્ષમાંના ‘આખ્યાત શબ્દ વાકય છે એ મતમાં વાકયને અર્થ ક્રિયા છે. સધાતપક્ષ અને કમપક્ષમાં વાકયનો અર્થ સંસર્ગ છે. આદ્યપદ અને પૃથ; સાકક્ષ સર્વ પદ' એ પક્ષમ વાનો અર્થ સંસૂષ્ટ છે. સંસર્ગ પક્ષમાં પદોના અર્થોથી જ અર્થાત વિશિષ્ટ એ અર્થ વાકયમાં સમજવામાં આવે છે. સંસૃષ્ટ પક્ષમાં પદોના અર્થોને પરસ્પર સુમેળ એવો ભાવ વાક્યમાં સમજવામાં આવે છે. સંસર્ગ વાકયા પક્ષમાં એક ભેદ સમજવામાં આવે છે, તે છે નિરાકાંક્ષ પદાર્થ એ વાક્યાથ. સંસર્ગ પક્ષમ પદે પરસ્પર સાકાંક્ષ હોય છે નિરાકાંક્ષપદાર્થ પક્ષમાં પદ નિરાકાંક્ષ અર્થાત પરસ્પર આકાંક્ષા વિનાનાં હોય છે દ્વિતીયકાંડના ટીકાકાર પુણ્યરાજ છ પ્રકારનો વાકયાથ જણાવે છે; સંસર્ગ, સં સુષ્ટ, નિરાકાંક્ષ પદાર્થ, પ્રયોજન, ક્રિયા અને પ્રતિભા અખંડ પક્ષમાં અવયવ વિનાનું એક શબ્દરૂપ જાતિસ્ફોટામક વાકય અને વાક્યનો અર્થ પ્રતિભા એવો મત વૈયાકરણને સંમત છે આ મતમાં વાક્ય અને વાક્યના અર્થ વચ્ચે અભ્યાસ અર્થાત્ તાદામ્યરૂપ સંબંધ છે. બાકીના સાત પક્ષમાં યોગ્યતા અર્થાત વાગ્યવાચકભાવ સંબંધ મીમાંસકોને સંમત છે. મીમાંસને સંમત વિધિ, નિવેગ, ભાવના. સંજ્ઞા વગેરે અર્થોને માત્ર ઉલેખ જ પુણ્યરાજે કર્યો છે. વાકયાથ વિષયક જે પૂર્વ પૂર્વ વિક૯૫ ઉત્તરોત્તર વિકપનું કારણ બની અર્થરૂપ આકારવિશેષ તરીકે પ્રાપ્ત થાય તેને બૌદ્ધ મતમાં વાકયાથ કહીશું. આ વાકયાથ પ્રતિભા વાક્ષાર્થમાં અન્તભૂત ગણી શકાય. સંપૂર્ણ પ્રતિભા રૂપે નહિ, કારણકે પ્રતિભા વાક્યર્થમાં અર્થ બાહ્ય વસ્તુરૂપ હોય છે જ્યારે વિજ્ઞાનવાદી બદ્ધ મતમાં આવો અર્થ કેવળ વિજ્ઞાનાકાર હોઈ બાહ્ય વસ્તુરૂપ હેતે ન”ી. निघातादिव्यवस्थार्थ शास्त्रे यत्परिभाषितम् । साकाङ्क्षावयवं तेन न सर्व तुल्यलक्षणम् ॥३॥ નિઘાત વગેરેની વ્યવસ્થા માટે (વ્યાકરણ)શાસ્ત્રમાં (વાકયનું) જે શાસ્ત્રીય. લક્ષણ આપવામાં આવ્યું છે તે “આકાંક્ષાવાળા અર્થવાન અવયવ (= શબ્દો)નો સમૂહ (એટલે વાકય)” એવા (મીમાંસકોક્ત) લક્ષણ સાથે બધી રીતે સમાન નથી (૩) અવ્યય, કારક અને વિશેષણ સાથેનું ક્રિયાપદ વાક્ય બને છે” (માક્યાત સાચારવિરોષ વાક્યમ્ ! વા. લૂ. ૨. ૧. ૧. વા. ૨) અને “એક ક્રિયાપદ(વાળા શબ્દસમૂહ) ને વાક્ય (કહે છે) ' (vwત. પી. [ ૨.૧ ૧ વાર્ત. ૧૦). આવી વ્યાખ્યા વૈયાકરણ કાત્યાયને આપેલી છે. “આ લાકડી છે, તેના વડે પકડ”, આ વાક્યમાં ‘લાકડી” અને તેના વડે પકડ” વચ્ચે સામર્થ્ય હેઈને હૃર (પકડ) માં વા. ૬ તિરુતિરુ: ૮.૨ ૨૦. પ્રમાણે, નિઘાત પ્રાપ્ત થશે. પરંતુ અહીં કાત્યાયનની વ્યાખ્યા પ્રમાણે બે વાકયો છે, એક નહિ; અને નિપાત તો શબ્દ એક જ વાક્યમાં હોય તે જ પ્રાપ્ત થાય. અહીં તો બે વાગ્યે છે, “ નદીના ઊભો રહે છે કાંઠે ' (નવાતિgત છે )માં “ નદીના અને ઊભે રહે છે. વચ્ચે સામર્થ્ય નથી છતાં બંને શબ્દો એક જ વાક્યમાં આવતા હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy