________________
વાકયપરાય
અને વિશેષણ સાથેનું આખ્યાત (ક્રિયાપદ) એટલે વાક્ય” એવું લક્ષણ કાત્યાયને આપ્યું છે. આ વ્યાખ્યા પ્રમાણે “તે મેટેથી વાંચે છે, “તે ભાત ૨.ધે છે, “તે પેચા અને છૂટા ભાત રાંધે છે વગેરે વાક્યનાં ઉદાહરણો છે. મીસમાંકની વ્યાખ્યા પ્રમાણે વાક્ય એટલે છૂટા પાડવામાં આવે ત્યારે પરસ્પર આકાંક્ષાવાળા એક સળંગ અથવાળા શબ્દોને સમૂહ એટલે વાકય (મરવા વાવરું સાકાલ દ્રિમાને ચાત્ | મીમાંસાસૂત્ર રા૧૪ ૬). આવી વ્યાખ્યાઓ ઉપરાંત પછીના સમયમાં વાક્ય અંગે અનેક વ્યાખ્યાઓ પ્રચલિત બની. આ બધાનો સંગ્રહ આ કારિકામાં કરવામાં આવ્યો છે.
પહેલી બે કારિકામાં વાક્ય અંગે પ્રાચીન આચાર્યોના આઠ વિકલ્પ-મતને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાક્ય અંગે અખંડ પક્ષ અને ખંડ પક્ષ એમ બે પક્ષો માનીએ તો સંધાતવતિની જાતિ. એક અનવયવ શબ્દ અને બદ્ધથનસંહાર એમ ત્રણ લક્ષણો તેમાં પ્રાપ્ત થશે. બીજા અર્થાત ખંડ પક્ષમાં શબ્દસમુદાય (સંઘાત), (શબ્દ) ક્રમ એ બે લક્ષણે અભિહિતાવય પક્ષમાં પ્રાપ્ત થશે અને ક્રિયાશબ્દ ( આખ્યાત શબ્દ ), પહેલું પદ અને દરેક સાકાંક્ષ પદ એમ ત્રણ લક્ષણો અવિતાભિધાન પક્ષમાં પ્રાપ્ત થશે.
વાકથ અંગે ખંડ પક્ષ અને અખંડ પક્ષ એવા બે મત નવેઢwાતિશાસ્ત્રના વચન (૨.૧) ૧ઢપ્રતિઃ સંદિતાના અર્થઘટન ઉપરથી પ્રાપ્ત થાય છે. પદની પ્રકૃતિ એવો તપુરુષ સમાસથી પ્રાપ્ત થતો અર્થ લેતાં પદસમૂહ એવા માની મૂળ પ્રકૃતિ સંહિતા છે એવો નિર્ણય પ્રાપ્ત થશે અને અખંડ પક્ષ પ્રાપ્ત થાય. પદે જેની પ્રકૃતિ અર્થાત્ મૂળ છે એવા બહુવ્રીહિસમાસથી પ્રાપ્ત થતો અર્થ લેતાં પદે જેની પ્રકૃતિ છે તે સંહિતા એવો નિર્ણય પ્રાપ્ત થાય અને ખંડ પક્ષ પ્રાપ્ત થશે.
હવે આ આઠ લક્ષણે વિષે વિચારીશું. (૧) સામાન્ય રીતે પ્રત્યયાત નામ અને ક્રિયાશબ્દોને સમૂહ એટલે વાકય અથવા કારક સાથેને ક્રિયાશબ્દ એટલે વાક્ય (કુદિતા. તરો વાર કિયા તા જારાવિસે ) એ વાકય અંગેના મત પ્રચલિત છે. પરંતુ કોઈ વાર “જ, ખસ, બેસ, ઢાંક” એવા ક્રિયા શબ્દો પણ વાક્ય બની શકે છે (આદ્યાતમ). (૨) “અહીંથી દૂર ખસ,’ આસન ઉપર બેસ.” તપેલી થાળી ઉપર ઢાંક' એવા શબ્દસમુદાયો પણ વાકયો બને છે (શસંશાત). (૩) “દેવદત્ત, ગાયને લઈ આવ' એવા શબ્દસમુદાયમાં રહેલ જાતિ એટલે વાક્ય એ અર્થમાં આ જાતિ સમગ્ર સમુદાય સાથે જોડાયેલી હોઈને વાકય રૂપ બને છે (જ્ઞાતિ: અજ્ઞાતવર્તિની), (૪) એક અખંડ અવયવહીન શબ્દને પણ વાકય કહી શકાય અર્થાત્ અખંડ વાયરૂપ એક શબ્દ એટલે વાક્ય. વર્ણોનું સ્વતંત્ર અસ્તિત્વ આ એક અવયવહીન શબ્દમાં નથી જ ( [ નવયa: ઢ:). (૫) એકબીજા સાથે જોડાયેલાં પદો ક્રમ અર્થાત પર્વોપય એટલે વાક્ય એમ પણ કહી શકાય (દમ). (૬) પદોને સમૂહ ચિત્તમાં અર્થની એક, અવિભાજ્ય અને કમહીન આંતર અભિવ્યક્તિ કરાવે છે. આ આન્તર અર્થભિવ્યક્તિને ઉપસંહાર અથવા આત્યંતર ફેટ રૂપે સમજવામાં આવે છે. તેને બુદ્ધયનુસંહાર કહે છે (ચુસૂનુવંતિ:. (૭) પહેલું પ્રજાનું પદ ક્રિયાવાચી અથવા કારક વાચી હોય. ક્રિયા અને કારકને પરસ્પર અવિભાજ્ય 'બંધ હોવાથી પહેલું પ્રયોજનું પદ પૂરેપૂરો અર્થ બેધ કરાવે છે તેથી પહેલું પદ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org