________________
वाक्यकाण्डम्
द्वितीयकाण्डम्
વાચકાંડ બીજુ કાંડ
आख्यातं शब्दसंघातो जातिः संघातवर्तिनी। एकोऽनवयवः शब्दः क्रमो बुद्धथनुसंहृतिः ॥१॥ पदमाद्य पृथक्सर्वपद साकाङ्क्षमित्यपि ।
वाक्यं प्रति मतिभिन्ना बहुधा न्यायदर्शिनाम् ॥२॥ ક્રિયા(શબ્દ), શબ્દસમુદાય, શબ્દસમુદાયમાં અંતહિત જાતિ, અવયવવિનાનો એક શબ્દ, (શબ્દોન) ક્રમ, બુદ્ધચનુસંહાર, પહેલું પદ, અને દરેક સાપેક્ષ પદ એમ વાકય અંગે અનેક પ્રકારે જુદા મતે વિદ્વાન (વૈયાકરણ અને મીમાંસકો)ના છે. (૧-૨)
વ્યાકરણશાસ્ત્રમાં શબ્દનું વાચકત્વ અને વાકયનું વાચકવ એમ બે મત વાચસ્વ અંગે પ્રચલિત છે. તેમાંથી શબ્દના વાચકત્વ અંગે અને તેની સાથે સંબંધવાળા, જાતિ, ધ્વનિ, નાદ, ફેટ વગેરે બાબતો અંગે પહેલા કાંડમાં ચર્ચા કરવામાં આવી. વાકયના વાચક–ને મત સ્વીકારીને તેની ચર્ચા સાથે જોડાયેલી અનેક બાબતોની ચર્ચા આ કાંડમાં કરવામાં આવી છે.
વાક્યને સામાન્ય રીતે ત્રણ પ્રકારે સમજવામાં આવે છે : (૧) વિગ્રહવાય, જેમ કે રાજાનો પુરુષ (રાજ્ઞ: પુરુષ: એવું વાક્ય રાજપુરુષ એવા સમાસ ઉપરથી); (૨) લૌકિક વાકય જેમ કે દેવદત્ત ભાત રાંધે છે, અને (૩) પારિભાષિક વાય, તે મોટેથી વાંચે છે. આ ત્રણ વિભાગમાં સ્પષ્ટતા અને એકસાઈ નથી કાર કે કેવટ ( મઠ્ઠામાખ્યgs, વાં. મૂ. ૨૧૧ વા. ૨) વૈયાકરણની વાકયની વ્યાખ્યાને પારિભાષિક કહે છે તે નાગેશ (મદામાખ્યત્ર વાત વા. . રાલાલા વાં. ૯) તેને લૌકિક વાકય કહે છે. વૈયાકરણે અને મીમાંસકોએ વાકયની વ્યાખ્યા અંગે ઘણું ચર્ચા કરી છે. “અવ્યય સાથેનું, કારક સાથેનું વી-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org