SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદીય * प्राप्तोपरागरूपा सा विप्लवैरनुषङ्गिभिः । वैखरी सत्त्वमात्रेव गुणन व्यवकीर्यते ॥१७०॥ જેમ સત્તારૂપ શબ્દબ્રહ્મનું સ્વરૂપ (સત્ત્વાદિ) ગુણો વડે ભેદાતું નથી તેમ તે વૈખરી, આગતુક અશુદ્ધિઓ રૂપ ગુણે વડે અનુરક્ત બનવા છતાં ભેદાતી નથી.(૧૦૦) કારિકા ૧૫૯ની સ્વીવશવૃત્તિમાં આ ૧૬૦–૧૭૦ કારિકાએ રજૂ થઈ છે. મહાભારત આશ્વમેધિક પર્વ અધ્યાય ૨૧માં ૧૭ અઆ, ૧૮ અઆ, ૧૮ઈઈ, ૧૪ અઆ ૧૪ ઈઈ, ૧૫ , ૧૫ઈઈ અને ૧૬ રૂપે તે પ્રાપ્ત થાય છે. આ કારિકાઓમાં પશ્યન્તી, મધ્યમાં અને વૈખરીનું સ્વરૂપે વર્ણવવામાં આવ્યું છે. ૧૬ ૫ થી ૧૭૦ કારિકાઓને બાદૃ એવા શબ્દોથી રજૂ કરવામાં આવી છે. તે કારિકાએ પણ ત્રણ વાણીઓને ચર્ચે છે. तविभागाविभागाभ्यां क्रियमाणमवस्थितम् । स्वभाव स्तु भावानां दृश्यन्ते शब्दशक्तयः ॥१७१॥ પદાર્થોના સ્વભાવને જાણનાર (જ્ઞાનીએ) શબ્દની શકિંતાનો સાક્ષાત્કાર કરે છે, તેથી (પ્રકૃતિ પ્રત્યય) વિભાગ અને (સ્વરૂપનિર્દેશરૂપી) અવિભાગને આધારે વ્યાકરણની રચના થયેલી છે. (૧૭૧) વિભાગ એટલે શબ્દોનાં પ્રકૃતિ અને પ્રત્યયને જુદાં જુદાં સમજવાં. અવિભાગ એટલે શબ્દોને છૂટા પાડ્યા વિના તેમના મૂળ સ્વરૂપે રજૂ કરવા, જેમકે ૧. . ૭.૪. માં ટ્રાતિ, રક્થતિ એવાં ક્રિયારૂપો અને વા. ૬. ૬ ૧.૨.માં હવાનું, સદ્વાન વગેરે કૃદંતરૂપે તેમના અવિભક્તરૂપમાં સેંધવામાં આવ્યાં છે. વ્યાકરણશાસ્ત્રમાં શબ્દાર્થધ બંને રીતે કરવામાં આવે છે. अनादिमव्यवच्छिन्नां श्रुतिमाहुरकर्तृकाम् । शिष्टैर्निबध्यमाना तु न व्यच्छिद्यते स्मृतिः ।।१७२ ॥ શ્રુતિને અનાદિ, પ્રવાહ પરંપરાના સાતત્યવાળી અને અપૌરુષેય જાહેર કરવામાં આવી છે. શિગ્ટો વડે જુદે જુદે સમયે રચવામાં આવતી હેઈને સ્મૃતિ વિચ્છેદ પામતી નથી. (૧૨) अविभागाद्विवृत्तानामभिख्या स्वप्नवच्छ्रुतौ । भावतत्त्वं तु विज्ञाय लिड्गेभ्यो विहिता स्मृतिः ॥१७३ ॥ અવિભકત (શબ્દબ્રહ્મ)માંથી પ્રાદુર્ભાવ પામેલા ષિઓનું વેદોનું જ્ઞાન-- સ્વપ્નજ્ઞાન જેવું (કાન વડે અગમ્ય) છે શ્રુતિનાં સૂચનો માંથી પદાર્થોના તત્ત્વને જાણીને (ઋષિઓએ) સ્મૃતિની રચના કરી છે. (૧૭૩) અહીં સ્વપ્નશાન જેવું જ્ઞાન એટલે અતીન્દ્રિય જ્ઞાન અર્થાત્ શ્રોત્ર વડે ગમ્ય ન બને તેવું, પ્રતિભા પ્રાપ્ત, માનસ જ્ઞાન. શબ્દબ્રહ્મમાંથી પ્રાદુભવિ પામેલા ઋષિઓનું શ્રુતિ અંગેનું જ્ઞાન કેવળ પ્રતિભાથી પ્રાપ્ત હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy