SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ વાકષપદીય ત્રઃ (૧. ૧ ૬૪.૬)ની ઋચામાં નિર્દિષ્ટ વાણુના ચોથા સ્વરૂપને (તુરી aa) ઉલેખીને સ્વપજ્ઞમાં જણાવવામાં આવ્યું છે કે તે શબ્દતત્ત્વનું અસંકીર્ણ રૂપ વ્યાકરણશાસ્ત્રમાં નિબદ્ધ છે ઉચ્ચ દર્શનને નહિ પામેલ જનોની શક્તિઓ ભૂલવાળી હોય છે. તેથી વ્યાખ્યાઓ અને વિસ્તારવાળું આ વ્યાકરણશાસ્ત્ર શબ્દોની પ્રાપ્તિ માટે સહેલે ઉપાય છે. વાક્યવઢીયનાં ત્રણ કાંડમાં ત્રણ પ્રકારની વાણીનો વિસ્તાર થયો છે એવું એક સૂચન પણ કરવામાં આવ્યું છે. પ્રથમ કાંડમાં બ્રહ્મસ્વરૂપ શબ્દતત્ત્વ અર્થાત ૫રમાં વાક પશ્યન્તીના વિસ્તાર મળે છે. તેથી તેને બ્રહ્મકાંડ કહ્યું છે. દિતીયાકાંડમાં અખંડ વાકયરૂ૫ શબ્દતનવની ચર્ચા હોવાથી તેમાં મધ્યમાને વિસ્તાર મળે છે અને તૃતી કાંડમાં અધૂત પદ-પ્રકૃતિ અને પ્રત્યય–ને વિસ્તાર હોવાથી તેમાં વૈખરીને વિસ્તાર છે એમ માનવું જોઈએ. હેલારાજ પણ કહે છે કે “પિતાના, સ્પષ્ટ (ચર્ચારૂપી) શરીર વડે સવજનોને એકસરખી સુલભ બનેલ વાણુની આ ત્રીજી અવસ્થા (અર્થાત વખરી, આ) મારી કૃતિ દ્વારા પ્રતિષ્ઠા પામે.” तस्याश्चासंकीर्ण वाचो रूपं कात्स्न्येन सामान्य विशेषवत्यस्मिल्लक्षणे व्याकरणाख्ये निबद्धम् । अग्दिर्शनानां तु पुरुषाणां प्रायेण सातिशयः प्रतिधातिन्यः सापराधाः शकतयः । निरपराधस्तु लक्षणप्रपञ्चवाननेकमागोऽयं शब्दानां प्रतिपत्त्युपायो दर्शित: ।--स्वोपज्ञ निराकाक्षेण वपुषा गता विश्वजनीनताम् ।। तृतीया वा गवस्थेयं प्रतिष्ठामुपयात्वितः ।। प्रकीर्णप्रकाश: २. पृ. २७२ * गौरिव प्रक्षरत्येका रसमुत्तमशालिनी । दिव्यादिव्येन रूपेण भारती गौ शुचिस्मिता ॥१६०॥ પ્રકાશિત સ્વભાવવાળી ભારતી વાફ (=વૈખરી વાણી) દિવ્ય અને અદિવ્યરૂપ વડે ગાયની જેમ ઉત્તમ રીતે શેભતી (શબ્દરૂપ) રસને વહાવે છે. (૧૬) * एतयोरन्तरं पश्य सूक्ष्मयोः स्पन्दमानयोः । प्राणापानान्तरे नित्या एका सर्वस्य तिष्ठति ॥१६॥ પ્રાણુ અને અપાનથી દૂર, એક વાણી (મધ્યમા) સર્વમાં હંમેશાં રહેલી છે. સૂકમ અને સતત પંદનવાળો તે બંને વચ્ચેની વિશિષ્ટતાને જુઓ. (૧૧) * अन्या त्वप्रेर्यमाणैव विना प्राणेन वर्तते । जायते हि ततः प्राणो वाचमाप्याययन्पुनः ॥१६२॥ (તેમનાથી) જુદી (પશ્યન્તી) કોઈ પ્રેરાણ વિનાની હોવા છતાં પ્રાણ વિના રહેલી છે. ત્યાર પછી (મધ્યમા) વાણીને પરિપુષ્ટ કરતો પ્રાણ તેમાંથી ફરી વાર ઉત્પન્ન થાય છે. (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy