SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ साधुत्वज्ञानविषया सेयं व्याकरणस्मृतिः । अविच्छेदेन शिष्टानामिदं स्मृतिनिबन्धनम् ॥१५८॥ સાધુ શબ્દોનું જ્ઞાન એ આ વ્યાકરણમૃતિનો વિષય છે. શિષ્યની અવિચ્છિન્ન મૃતિપરંપરાનું તે નિમિત્ત છે. (૧૫૮) वैखर्या मध्यमायाश्च पश्यन्त्याश्चैतदद्भुतम् ।। अनेकतीर्थभेदायास्त्रय्या वाचः परं पदम् ॥१५९॥ (આ વ્યાકરણસ્મૃતિ) વૈખરી, મધ્યમ અને પશ્યન્તી એમ અનેક ભિન્ન માર્ગોમાં વ્યાપ્ત વાણીનું અદ્ભુત અને ઉત્તમ સ્થાન છે (૧૫૯) બીજાઓ વડે સંવેદ્ય અને શ્રોત્રના વિષય તરીકે જેનું શ્રુતિરૂપ નિયત છે તે વાણી વૈખરી કહેવાય છે. વિખર એટલે દેહ અને ઇન્દ્રિયોનો સમૂહ, ત્યાંથી જન્મેલી એટલે વૈખરી. તે વણેના સ્પષ્ટ ઉચ્ચારણ રૂપ છે ગાડાની ધરીમાં, ઢાલમાં, વાંસળીમાં, વીણામાં એમ અનેક પરિમાણમાં તે વ્યાપેલી છે. મધ્યમા વાણી અંતઃસંનિવિષ્ટ, ક્રમવતી હોય તેવી દેખાતી, માત્ર બુદ્ધિ વડે પ્રતીત થનારી અને સૂક્ષ્મ પ્રાણવૃત્તિને અનુસરનારી છે. પશ્યની વાણી ક્રમનો અંતઃસંહાર કરીને અર્થાત્ અંતઃકરણમાં સમાવીને તેને વિલુપ્ત કરીને અક્રમરૂપે રહેલી છે. તે અત્યન્ત ક્રિયાશીલ, વિશુદ્ધ અને શાન્ત છે. પદાર્થોનાં રૂપો તેનામાં લીન છે. તે નિરાકાર, શેય પદાર્થોને સમાવનારી, સર્વ આકારોને પોતાનામાં નિમગ્ન કરનારી, મદિત અર્થને આભાસ આપનારી, બધા અર્થોના અવભાસને અંત લાવનારી એમ અસંખ્ય ભેદેવાળી છે. પશ્યન્તીને પરા અથવા પ્રકૃતિ અથવા પરા પ્રકૃતિ અથવા પ્રતિભા એવાં નામ આપવામાં આવ્યાં છે. પશ્યન્તીને પરા અને અપરા એમ બે રીતે સ્વપજ્ઞીલાં માં અને ભતૃહરિ પછી વિકસેલી વ્યાકરણદર્શનપરંપરામાં સમજવામાં આવી છે. ભર્તુહરિ પતે પશ્યન્તી ઉપરાંત પરાને પણ સ્વતંત્ર વાણી પ્રકાર તરીકે સ્વીકારતા હતા કે કેમ તે સ્પષ્ટ થતું નથી.' પ્રાચીન પરંપરા પ્રમાણે વૈખરી વાકુ કંઠપ્રદેશમાં, મધ્યમા હંદવમાં, પશ્યન્તી નાભિમાં અને પરા મૂલચક્રમાં રહેલી છે. પ્રત્યભિશાદર્શનના પ્રસિદ્ધ ચિંતકે રામકંઠ, ઉત્પલ અને અભિનવગુપ્ત આ વિચારોને ઘણે વિસ્તાર કરે છે. વજ્ઞવૃત્તિમાં શરૂઆતમાં વાણીના સ્વરૂપને લગતા પાંચ શ્લેક અવતારવામાં આવ્યા છે. આ બ્લેક મઠ્ઠામારત માશ્વધિ પર્વના ત્રાહ્મળrોતા વિમાનમાં અદાય ૨૧માં થોડા ફેરફાર સાથે પ્રાપ્ત થાય છે. પછીના છ શ્લોકો પણ પ્રાચીન વ્યાકરણગમના કેઈ ગ્રંથમાંથી લેવામાં આવ્યા હોય એમ લાગે છે. જયન્ત ભટ્ટની ન્યાયમ કરો (g. ૩૦ ૩, ૨૦૪ માં અને વાદિદેવસૂરિના થા ફૂવારના ર (૧, ૭) માં તેમાંના કેટલાંકનું વ્યાખ્યાન પ્રાપ્ત થાય છે. દર્શન થામાં પ્રાપ્ત થતી વાચવાયની અન્ય કરિકાએાની જેમ આ કારિકાએ પણ બીજે અનેક સ્થળે પ્રાપ્ત થાય છે. ઉ.ત. મેયક્રમમાર્ત (નિયસાર, પૃ. ૪૨) તરવાઉંઢવાર્તિ, (નિર્ગાસાગર, પૃ. ૨૪૨) વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy