SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ઢ વાક્યપટ્ટીય લાલ રંગના, મદિરાથી ભરેલા ઘડાએના માટે ઢગલે પીવામાં આવતાં (પશુ જો તે) સ્વગમાં પહાંચાડતા ન હોય તે, યજ્ઞમાં કરવામાં આવતુ' તે (થાડુંક મદિરાપાન) શુ ત્યાં પહાંચાડશે ? (૧૫૪) મહાભાષ્ય ( ૧. પૃ. ૩. લી. ૩)માં રજૂ થયેલુ આ સંદર્ભ વચન કારિકા ૧૫૩ ઉપરની સ્વોવજ્ઞવૃત્તિ માં મૂકવામાં આવ્યુ છે. બધાં આગમવચનાને નિષ્ફળ બનાવવાના યત્ન કરતા શુષ્ક તર્ક હંમેશાં નિષ્ફળ છે એ વિચારના અનુસંધાનમાં આ કારિકા રજૂ થઈ છે. रूपादयो यथा दृष्टाः प्रत्यर्थ यतशक्तयः । शब्दास्तथैव दृश्यन्ते विषापहरणादिषु ॥ १५५॥ જેમ રૂપ (રસ, ગન્ધ) વગેરે ગુણાની દરેક કા માટેની શક્તિ નિશ્ચિત હાય છે તેમ ઝેર દૂર કરવા વગેરે ખાખતામાં શબ્દો (નિશ્ચિત શક્તિવાળા) દેખાય છે. (૧૫૫) નીલરૂપ નેત્રને ઠંડક આપે છે, ભાસ્વરરૂપ નુકશાન કરે છે. મીઠા રસ કફ ઉત્પન્ન કરે છે, તીખા પિત્ત કરે છે. ઝેર અને ઝેરી ઔષધિની વાસ મૂર્છા લાવે છે, ફૂલેન વાસ ઉરોજિત કરે છે, ઝેરી ઔષધિને સ્પર્શી મૃત્યુ લાવે છે. ચન્દ્રનનેા સ્પર્શ આહલાદક બને છે. આવી રીતે કેટલાક મન્ત્રાના ઉચ્ચારણથી ઝેર ઊતરે છે, અમુક વેદસૂકતાના ઉચ્ચારણથી વિશિષ્ટ અદૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. यथैषां तत्र सामर्थ्य धर्मेऽप्येवं प्रतीयताम् । साधूनां साधुभिस्तस्माद्वाच्यमभ्युदयार्थिनाम् ॥ १५६ ॥ જેમ આ શબ્દોનુ' તે તે કાર્યોમાં આવું સામર્થ્ય છે તેમ સાધુ શબ્દોનું ધમપ્રાપ્તિ કરાવવામાં પણ તેવું જ સામર્થ્ય છે એમ સમજો. તેથી અભ્યુદયને ઇચ્છનારા સજ્જનેાએ સાધુ શબ્દોના (જ) પ્રયાગ કરવા. (૧૫૬) सर्वोऽदृष्टफलार्थानागमात्प्रतिपद्यते । विपरीतं च सर्वत्र शक्यते वक्तुमागमे ॥ १५७॥ સવે (જના) અદૃષ્ટ ફળ આપનાર (યજ્ઞાદિ) ખાતાને આગમ (=વેદ)માંથી પ્રાપ્ત કરે છે. આગમમાં નિર્દેશૈલી બધી માતાને તેથી વિરુદ્ધ જાહેર કરવી પણ શકય છે. (૧૫૭) મન્ત્રના શબ્દો જેમ ઝેર ઉતારે છે તેમ એમ પણ કહેવાય કે વેદવચનેાથી અધમ પણ પ્રાપ્ત થાય છે. શબ્દોની નિયત શક્તિથી વિપરીત એવી શક્તિની પણ પના કરી શકાય. આવી દલીલ અંગે એમ કહી શકાય કે દૃષ્ટ અથવા અદૃષ્ટ ફળ અંગે વેચનેને તે રીતે સમજી શકાશે, તેથી એવા નિણૅય કરવા કે સાધુ શબ્દોથી ધમ પ્રાપ્તિ થાય છે અને સાધુ શબ્દોથી અધમ પ્રાપ્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy