SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ પ કોઈ વાર આવા અર્થની વિવેક્ષા હોય છે; જેમ કે, “ગર્ભથી આઠમે મહિને બ્રાહ્મણના ઉપનયન સંસ્કાર કરવા' (નર્માણ પુર્વત ગ્રાહ્યોપનયનમ્ ) એમાં લિંગની વિવક્ષા છે, કારણ કે પુરુષને ઉપનયન આપવાનું છે. સ્ત્રી અને નપુંસકને નહિ. પશુના મત (૫ વડે યજ્ઞ કરવો, એમાં તૃતીયાનો પ્રત્યય એક એવી સંખ્યા દર્શાવે છે, બે અથવા અનેક પશઓથી યજ્ઞ કરવામાં આવતું નથી, તેન વ્યતિતનતિજ્ઞાતિ... વા. સૂ. ૪.૪.૨ પ્રમાણે સ્થિતિ, વનતિ, ગતિ અને નિતમ્ એવા અર્થમાં તૃતીયાતને ૩ પ્રત્યય થાય છે)માં ભૂતકાળ અને વર્તમાનકાળની વિવેક્ષા છે. “નક્ષત્રને જોઈને મૌન તોડવું "( નક્ષત્ર દૃષ્ટવા વાળં વિસ્તૃત માં ) અહીં માત્ર નક્ષત્ર દર્શન નહિ પણ તેને યોગ્ય કાલ ઉદિષ્ટ છે. આકાશ વાદળોથી વ્યાપ્ત હોય તે પણ નક્ષત્ર દેખાયું છે તે સમય નક્કી કરીને વાગ્રસગ થઈ શકે. અહીં શબ્દોથી પ્રાપ્ત થતા અથ ઉપલક્ષણ છે જ્યારે યોગ્ય કાલ વિધેય હોઈને તેનું પ્રાધાન્ય છે. દહીંને કાગડાએથી બચાવો (ા ઢધિ રદ્યુતામૂ ) એવા વચનમાં વપરાયેલા શબ્દો ઉપરાંત અન્ય અથ પણ અભિપ્રેત છે, જેમકે, કાગડાઓ દેખાતા ન હોય તે પણ કૂતરાં, બિલાડાં, વગેરેથી દહીંને બચાવવું જોઈએ. જમીને ઊડ્યા પછી કહેવામાં આવે કે “વાસણ સાફ કરજે' એમાં વાસણ ઉપરાંત ટેબલ, ટેબલકથ વગેરે સાફ કરવાનું પણ આવી જાય છે. “ચાપડેલી શર્કરા તે મૂકે છે (માતા: શરા: ૩૧હજાતિ ) એ વચનમાં શેનાથી ચેપડી છે તે સ્પષ્ટ થતું નથી, પરંતુ પછી આવતું સૂચનવાકય, ઘી એ તો તેજ છે. (તેનો વૈ ઘુતમ ) જણાવી દે છે કે શરા ઘી લગાડેલી છે. અહીં બીજું વચન સૂચન (= લિંગ) રૂપે છે. તે મૂળ અર્થને વ્યક્ત કરે છે. આ બધી સ્પષ્ટતાએ મીમાંસામાં પ્રાપ્ત થાય છે. शब्दानामेव सा शक्तिस्तो यः पुरुषाश्रयः । ___ स शब्दानुगतो न्यायोऽनागमेष्वनिबन्धनः ॥१५३॥ જે પુરુષનિષ્ઠ તર્ક (=અનુમાન) છે તે (તે) શબ્દની જ શક્તિ છે. જેમનામાં આગમ(વ્યવસ્થા) નથી તેઓમાં શબ્દ(શક્તિ)વડે સ્થાપિત થયેલો ન્યાય પ્રમાણુભૂત નથી. (૧૫૩) અહીં તર્ક એટલે અથ, પ્રકરણ, લિંગ વગેરે મીમાંસાન્યાયોથી પ્રમાણભૂતમાનવામાં આવેલ અનુમાન. આગમયવસ્થા વિનાના એટલે વેદરૂ૫ આગમને નહિ માનનારા, શબ્દ વડે સ્થાપિત નહીં થયેલો એટલે શબ્દરૂપી મૂળ વિનાનો. જે તક શબ્દશક્તિ વડે પ્રાપ્ત થતો નથી પરંતુ પદાર્થોનાં સાધ–વૈધમ્મને અનુસરે છે તે આગમનો નાશ કરતો હોવાથી પ્રમાણભૂત નથી. એને શુક તકે કહીશું : * यदुदुम्बरवर्णानां घटीना मण्डलं महत् । पीतं न गमयेत्स्वर्ग किं तत्क्रतुगतं नयेत् ॥१५४॥ વા-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy