________________
પ્રથમ કાંડ
ય
તેથી જે શબ્દ સંસ્કાર છે. તે પરમાત્માની પ્રાપ્તિ(ના ઉપાય) છે. તેની પ્રવૃત્તિના તત્ત્વને જાણનાર અમૃત એવા શબ્દબ્રહ્મને પામે છે (૧૪૪)
શબ્દસંસ્કાર એટલે શુદ્ધ શબ્દને અપભ્રંશ અર્થાત અશુદ્ધ શબ્દોથી જુદા સમજવારૂપી વિવેકજ્ઞાન. સિદ્ધિ એટલે પ્રાપ્તિના ઉપાય. શબ્દબ્રહ્મની પ્રવૃત્તિ એટલે વિકારારૂપી કાર્યાં. આ કાયતુ જે પ્રેરકષ્મળ અર્થાત્ તત્ત્વ છે તેને જાણનાર જરામરણ વગેરે વિનાના અર્થાત્ અમૃત.એવા શબ્દબ્રહ્મના સાક્ષાત્કાર કરે છે.
प्राणवृत्तिमतिक्रान्ते वाचस्तत्त्वे व्यवस्थितः । क्रमसंहार योगेन संहृत्यात्मानमात्मनि ॥ १४५ ॥
वाचः संस्कारमाधाय वाचं ज्ञाने निवेश्य च ।
*
*
विभज्य बन्धनान्यस्याः कृत्वा तां छिन्नबन्धनाम् ॥१४६॥
* ज्योतिरान्तरमासाद्य च्छिन्नग्रन्थिपरिग्रहः ।
कारणज्योतिषैकत्वं छित्त्वा ग्रन्थीन्प्रवर्तते ॥ १४७ ॥
પ્રાણવૃત્તિની પેલે પાર રહેલા શબ્દતત્ત્વમાં દૃઢ બનીને, વર્ણ ક્રમના ત્યાગરૂપી એકત્વવડે આત્માને આત્મામાં લીન બનાવી, વાણીને (સાધુ-અસાધુ શબ્દવિવેક⟩રૂપી સસ્કાર કરીને, વાણીના જ્ઞાનમાં પ્રવેશ કરાવી, તેનાં અંધનેાને દૂર કરીને, અને આ પ્રમાણે તેને ખ'ધવિનાની કરીને, આન્તર જયાતિ પ્રાપ્ત કરી, (અવિદ્યા રૂપી) ગ્રન્થિના ખધનને દૂર કરીને (અને તેથી) ખ'ધનમુકત બનીને તે (પરમ) કારણરૂપ યાતિ સાથે એકત્વ પામે છે. (૧૪૫-૧૪૭)
કારિકા ૧૪૪ ઉપરની સ્વાપત્તવૃત્તિમાં આ ૧૪૫-૧૪૭ કારિકા રજૂ કરવામાં આવી છે. તેમાં શબ્દબ્રહ્મ સાથે એકત્વની પ્રક્રિયા સમજવામાં આવી છે,
न जात्वकर्तृकं कश्चिदागमं प्रतिपद्यते ।
बीजं सर्वागमापाये त्र्य्येवातो व्यवस्थिता ॥ १४८ ॥
કોઈ (તત્ત્વજ્ઞ) (કાઈપણ) આગમ અપૌરુષેય છે એમ સ્વીકારતા નથી. (આવા) બધા પૌરુષેય આગમાં નષ્ટ થતાં, વેૠત્રયી ખીજરૂપે પ્રવર્તમાન રહે છે.
Jain Education International
અહીં વેદ અને આગમે એમ બે શબ્દોને જુદી જુદી રીતે સમજવાના છે. વેદ અપરુષય છે. તેને કાઈ કર્તા નથી, પરંતુ બધા આગમા કેઈ પ્રાચીન તત્ત્વજ્ઞના કતૃત્વવાળા છે, જેમકે સાંખ્યના કર્તા કપિલ છે હરિવૃષભના મતમાં આગમ એટલે વ્યાર્ડિને સ ંગ્રહ નામે ગ્રંથ અને પતંજલિનુ મહાભાષ્ય. ાપક્ષવૃત્તિમાં અનેક સ્થળે પ્રાચીન ક્લેકા અવતારવામાં આવ્યા છે. તેમને પણ આગમ કહ્યા છે. વ્યાકરણુદર્શનને લગતા અને તેમના સોંગ્રહરૂપ ગ્રંથે! પ્રાચીન સમયમાં રચાયા હતા. તેમને આગમ અથવા આગમસંગ્રહ કથા છે. વાકયપદીય બ્રહ્મકાંડનું નામ આગમસમુચ્ચય એવુ પણ છે. તે નામ સૂચવે છે કે વાક્યપદીયમાં પૂર્વાચાયોમાંથી અનેક આગમશ્લાક અવતારવામાં આવ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org