________________
પ્રથમ કાંડ
૫૩ જે છ દ્વારાવાળી, છ અધિષ્ઠાનવાળી, છ પ્રકારનાં જ્ઞાનવાળી અને છ નિત્યતાઓવાળી વાણીની ઉપાસના કરનારા છે તે મૃત્યુને ઉલંઘી જાય છે. (૧૩૮)
સ્વપજ્ઞમાં કે પદ્ઘતિમાં આ કારિકા વિષે વિશેષ સ્પષ્ટતા નથી. છ ધારો એટલે સ્વભાવ, ચરણ, અભ્યાસ, યેગ, અદષ્ટ અને શબ્દો વડે ચલાવેલ વ્યવહાર (વિશિષ્ટો વનતા) ઉપરથી ક૯પવામાં આવેલ છ પ્રકારની પ્રતિભાઓ (વા. ૫. ૨. ૧૫૪). શબ્દતવને પામવાનાં આ દુર છે. છ અધિષ્ટાનો એટલે છ પ્રકારના અર્થો; છ પ્રાધ એટલે જ પ્રકારની પ્રતિભાએથી પ્રાપ્ત થતા જ્ઞાનના ઉપાયો અથવા પદ અને વાયગત વાચક, લક્ષક અને - વ્યંજકત્વ. છ પ્રકારના અર્થો વાતત્ત્વનાં અધિષ્ઠાનો છે, છ પ્રકારના જ્ઞાનથી તેને પ્રાપ્ત કરી શકાય છે. છ પ્રકારની નિત્યતાઓ એટલે છ નિત્યસંબંધે.
प्रविभागे यथा कर्ता तथा कार्ये प्रवर्तते ।
अविभागे तथा सैव कार्यत्वेनावतिष्ठते ॥१३९॥ (ધટ, પટ વગેરે પદાર્થોની ભિન્નતા જેમાં સ્પષ્ટ થાય છે તે જાગ્રદેવસ્થામાં જેમ, તે (વાણી)ને કારણે જ કર્તા (સવ વ્યવહાર) કાર્યમાં પ્રવૃત્ત થાય છે તેમ સ્વપ્નાવસ્થામાં પણ તે (ચૈતન્યરૂપ વાણી) જ કાર્યરૂપે રહે છે. (૧૩૯)
*प्रविभज्यात्मनात्मानं सृष्ट्वा भावान्पृथग्विधान् ।
सर्वेश्वरः सर्वमयः स्वप्ने भोक्ता प्रवर्तते ॥१४०॥ ભક્તા, ભક્તવ્ય અને ભેગરૂપે) પિતાની જાતને પોતે વિભક્ત કરીને અને જુદા જુદા ભાવ સજીને સર્વેશ્વર અને સર્વમય ભક્તા સ્વપ્નદશામાં પ્રવર્તમાન બને છે. (૧૪૦)
જાગ્રસ્થામાં સવભોકતારૂપ સર્વેશ્વર કર્તા રૂપે હોય છે, જ્યારે સ્વપ્નાવસ્થામાં બાહ્યવસ્વનો અભાવ હોવા છતાં તેમના જેવો જ પદાર્થોને સ્વભાવ હોવાથી. તે કાર્યરૂપે પ્રવર્તમાન બને છે.
स्वमात्रा परमात्रा वा श्रुत्या प्रकम्यते यथा ।
तथैव रूढतामेति तया ह्यर्थों विधीयते ॥१४१॥ (સવ પ્રાણીમાત્ર) આત્મસ્વરૂપ હોય કે પરમાત્માસ્વરૂપ હોય, વાણી વડે તેને જે રીતે વ્યકત કરવામાં આવે છે તે રીતે તેને સમજવામાં આવે છે. તેના વડે જ પદાર્થનું જ્ઞાન થાય છે (૧૪૧)
સ્વમાત્રા એટલે આત્માનું અર્થાત પિતાનું સ્વરૂપ, પરમાત્રા એટલે પરમાત્મતત્વનું સ્વરૂપ. વિશ્વમાં બધા વિકારે આત્મસ્વરૂપ છે એવો એક મત છે. તેનો આભાસ આંતર છે તેમજ બાહ્ય છે એવા ભેદ કાલ્પનિક છે. વ્યવહારસ્થિતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org