SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ - સાંખ્યોની સૃષ્ટિ ધટતી નથી ૨૮૭ 89. સત્વ, રજસ્ અને તમસ એ ત્રણ ગુણોની સામ્યવસ્થારૂપ પ્રકૃતિ જે પ્રધાન શબ્દરાય છે તેમાંથી “મહત્' નામ ધરાવતી બુદ્ધિ ઉત્પન થાય છે વગેરે જે પ્રક્રિયાજાળને સાંખ્યોએ જણુવી છે તે બધી મહા અધપરંપરા ન્યાયથી ચાલતા ગુરુ પાઠના ક્રમે સાંખેને પ્રાપ્ત થઈ છે, તે પ્રમાણમૂલક નથી, કારણ કે કાર્યના પરિમાણુ કરતાં કારણનું પરિમાણુ અલ્પ દેખાય છે. એનાથી ઊલટું દેખાતું નથી; પિતાના અવયમાં રહેતા ઘટ, ૫ટ આદિના દર્શન ઉપરથી આ પુરવાર થાય છે. ધટ, પટ આદિના પરિમાણની અપેક્ષાએ તેમના અવયવોનું પરિમાણુ અલ્પ હોય છે. ઘટાવયવોથી અન્ય મૃદ્દનું (કમાટીનું મહાપરિમાણ ઘટના પરિમાણનું કારણ નથી. [સાંખે અનુસાર કાર્યના પરિમાણ કરતાં કારણનું પરિમાણ મોટું હોય છે, જે પ્રમાણુવિરુદ્ધ છે.] 90. अपि च बुद्धिर्नाम विषयोपलम्भः । अहंकारोऽप्यहंप्रत्ययरूपोऽभिमानो बुद्धि विशेष एव । तेन बाह्यानीन्द्रियाणि जन्यन्ते गन्धादयश्च गुणाः, गुणैश्च पृथिव्यादीनि भूतानीति महाव्यामोहः । इदं च चित्रम् - विषयजन्या हि सुखादयः प्रसिद्धाः, अत्र सुखादिजन्या विषयाः संवृत्ता इति नवेयं विश्वामित्रस्येव સાંયમુને સૃષ્ટિ: | 90. ઉપરાંત, બુદ્ધિ એ તે ખરેખર વિષયોપલબ્ધિ છે. અહંકાર પણ અહંપ્રત્યયરૂપ અભિમાન છે જે બુદ્ધિવિશેષ જ છે. અહંકારમાંથી બાઘેન્દ્રિય ઉત્પન્ન થાય છે, ગંધ આદિ ગુણે ઉત્પન્ન થાય છે અને ગુણમાંથી પૃથ્વી વગેરે ભૂત ઉત્પન્ન થાય છે એમ માનવું એ મહાવ્યામોહ છે વળી આ પણ વિચિત્ર છે કે સુખ, દુઃખ વગેરે ખરેખર વિષયમાંથી જન્મે છે એવી પ્રસિદ્ધિ છે જ્યારે અહી સાંખ્યદર્શનમાં તે વિષયે સુખ, દુઃખ, વગેરેમાંથી જન્મે છે. આમ વિશ્વામિત્રની સૃષ્ટિના જેવી સાંખ્યમુનિની આ નવીન સૃષ્ટિ છે. 91. ૨ ઘવાનાસ્તિવમfપ કમાનવત, અવયાદ્રિતૂનામસાધન વાત , चेतनानां हि भवेदपि सुखदुःखमोहान्वितत्वम् । अचेतनानि भूतानि सुखदुःखमोहवन्तीति सुभाषितम् । घटे पटे शकटे च सखदुःखमोहाः सन्तीति कः प्रतिपद्येत ? प्रकाशप्रवृत्तिनियमा अपि चेतनेष्वेव दृश्यन्ते, नाचेतनेष्वित्यसिद्धत्वाद्धेतोर्न प्रधानसिद्धिः । अपि च सत्कार्यवादमूल एष तपस्विनां विभ्रमः सर्व सर्वत्रास्तीति । ततोऽन्वयसिद्धिं बुद्धयमानास्ते प्रधानसिद्धावध्यवसिताः । सत्कार्यवादश्च विचार्यमाणो न समस्त्येवेति कुतस्त्या हेतुसिद्धिः ? 91. પ્રધાનનું અસ્તિત્વ પણ પ્રમાણસિદ્ધ નથી કારણ કે અવય વગેરે હતા તેના સાધક નથી. અન્વય વગેરે હેતુઓ પ્રધાનના અસ્તિત્વના સાધક નથી કારણ કે ચેતન પુષે ખરેખર સુખ–દુઃખમહાવિન હોય છે. અચેતન ભૂતો સુખ-દુઃખ-મેહવાળા છે એમ કહેવું એ તે ખરેખર સુભાષિત છે ! ઘટમાં, પટમાં અને શકટમાં સુખ- દુઃખ-મેહ છે એમ કોણ સ્વીકારે ? પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમ ચેતનામાં જ દેખાય છે, અચેતનામાં દેખાતાં નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy